આપના ઉમેદવારની ગાડીમાંથી 20 લાખની ચોરી થતા ઉઠ્યા અનેક પ્રશ્ન, ઈન્કમ ટેક્ષ વિભાગ કરશે આ મામલે તપાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 10:20:23

વિધાનસભા ચૂંટણીને લઈ પ્રતિદિન ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોઈને કોઈ નવો વળાંક સામે આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી સતત વિવાદમાં ઘેરાઈ રહી છે. હજી તો ગોપાલ ઈટાલિયાના વિડીયોનો મામલો શાંત નથી પડ્યો ત્યારે બીજો એક વિવાદ છેડાઈ ગયો છે. આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભા ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની ગાડીમાંથી 20 લાખની ચોરી થતા અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આ પૈસા ક્યાંથી આવ્યા છે. જેને લઈ રાજકારણ ફરી ગરમાયું છે.   

ઈન્કમ ટેક્ષ વિભાગ કરશે આ મામલાની તપાસ

પ્રાપ્ત થતી વિગતો અનુસાર બારડોલીમાં ગાડીના કાચ તોડી, ગાડીમાં રહેલી બેગની ચોરી કરવામાં આવી હતી. બેગ લઈને ફરાર થયેલા બાઈક સવાર શખ્સોને રોકવા એક વ્યક્તિએ તેમનો પીછો કર્યો. તેમનો પીછો થતાં બાઈક ચાલકોએ પૈસાથી ભરેલું બેગ રસ્તા પર ફેંકી દીધું હતું. બેગ ફેંકી દેતા પીછો કરનાર શખ્સે બેગને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવી દીધું હતું. તપાસ કરાતા આ ગાડી આપના ઉમેદવારની હતી તેવું સામે આવ્યું હતું. રાજેન્દ્ર સોલંકીએ પણ આ અંગે પોલીસ ફરિયાદ કરાવી હતી 20 લાખ જેટલી રકમ મળી આવતા ઈન્કમ ટેક્ષ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. અને હવે આ ઈન્કમ ટેક્ષ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે ચર્ચાઓ મુજબ ચૂંટણીમાં આ પૈસાનો ઉપયોગ કરી શકાય તે માટે દિલ્હીથી આ નાણાં મોકલવામાં આવ્યા હતા..


વધી શકે છે આપની રાજેન્દ્ર સોલંકીની મુશ્કેલીઓ 

20 લાખ રૂપિયા પરત મળતા રાજેન્દ્ર સોલંકીની ચિંતામાં ઘટાડો થયો હતો. પરંતુ આ મામલે હવે ઈન્કમ ટેક્ષ વિભાગ તપાસ કરી રહી છે. આ પૈસા ક્યાંથી આવ્યા તેનો કોઈ જવાબ નહીં મળે તો રાજેન્દ્ર સોલંકીની તેમજ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 

સી. આર. પાટીલની રેલીમાં ગરબે રમનાર ભાજપના ધારાસભ્યને કોરોના, લોકોએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા 

આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે જે ઉમેદવારે છેલ્લા અનેક વર્ષથી ભરતા. અને 20 લાખ રૂપિયા દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યાલયથી અહીં આવે. પૈસાને લઈ સવાલ ઉમેદવારોને કરવો જોઈે તેવી વાત તેમણે કરી હતી.




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે