આપના ઉમેદવારની ગાડીમાંથી 20 લાખની ચોરી થતા ઉઠ્યા અનેક પ્રશ્ન, ઈન્કમ ટેક્ષ વિભાગ કરશે આ મામલે તપાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 10:20:23

વિધાનસભા ચૂંટણીને લઈ પ્રતિદિન ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોઈને કોઈ નવો વળાંક સામે આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી સતત વિવાદમાં ઘેરાઈ રહી છે. હજી તો ગોપાલ ઈટાલિયાના વિડીયોનો મામલો શાંત નથી પડ્યો ત્યારે બીજો એક વિવાદ છેડાઈ ગયો છે. આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભા ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની ગાડીમાંથી 20 લાખની ચોરી થતા અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આ પૈસા ક્યાંથી આવ્યા છે. જેને લઈ રાજકારણ ફરી ગરમાયું છે.   

ઈન્કમ ટેક્ષ વિભાગ કરશે આ મામલાની તપાસ

પ્રાપ્ત થતી વિગતો અનુસાર બારડોલીમાં ગાડીના કાચ તોડી, ગાડીમાં રહેલી બેગની ચોરી કરવામાં આવી હતી. બેગ લઈને ફરાર થયેલા બાઈક સવાર શખ્સોને રોકવા એક વ્યક્તિએ તેમનો પીછો કર્યો. તેમનો પીછો થતાં બાઈક ચાલકોએ પૈસાથી ભરેલું બેગ રસ્તા પર ફેંકી દીધું હતું. બેગ ફેંકી દેતા પીછો કરનાર શખ્સે બેગને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવી દીધું હતું. તપાસ કરાતા આ ગાડી આપના ઉમેદવારની હતી તેવું સામે આવ્યું હતું. રાજેન્દ્ર સોલંકીએ પણ આ અંગે પોલીસ ફરિયાદ કરાવી હતી 20 લાખ જેટલી રકમ મળી આવતા ઈન્કમ ટેક્ષ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. અને હવે આ ઈન્કમ ટેક્ષ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે ચર્ચાઓ મુજબ ચૂંટણીમાં આ પૈસાનો ઉપયોગ કરી શકાય તે માટે દિલ્હીથી આ નાણાં મોકલવામાં આવ્યા હતા..


વધી શકે છે આપની રાજેન્દ્ર સોલંકીની મુશ્કેલીઓ 

20 લાખ રૂપિયા પરત મળતા રાજેન્દ્ર સોલંકીની ચિંતામાં ઘટાડો થયો હતો. પરંતુ આ મામલે હવે ઈન્કમ ટેક્ષ વિભાગ તપાસ કરી રહી છે. આ પૈસા ક્યાંથી આવ્યા તેનો કોઈ જવાબ નહીં મળે તો રાજેન્દ્ર સોલંકીની તેમજ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 

સી. આર. પાટીલની રેલીમાં ગરબે રમનાર ભાજપના ધારાસભ્યને કોરોના, લોકોએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા 

આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે જે ઉમેદવારે છેલ્લા અનેક વર્ષથી ભરતા. અને 20 લાખ રૂપિયા દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યાલયથી અહીં આવે. પૈસાને લઈ સવાલ ઉમેદવારોને કરવો જોઈે તેવી વાત તેમણે કરી હતી.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.