આપના ઉમેદવારની ગાડીમાંથી 20 લાખની ચોરી થતા ઉઠ્યા અનેક પ્રશ્ન, ઈન્કમ ટેક્ષ વિભાગ કરશે આ મામલે તપાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 10:20:23

વિધાનસભા ચૂંટણીને લઈ પ્રતિદિન ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોઈને કોઈ નવો વળાંક સામે આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી સતત વિવાદમાં ઘેરાઈ રહી છે. હજી તો ગોપાલ ઈટાલિયાના વિડીયોનો મામલો શાંત નથી પડ્યો ત્યારે બીજો એક વિવાદ છેડાઈ ગયો છે. આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભા ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની ગાડીમાંથી 20 લાખની ચોરી થતા અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આ પૈસા ક્યાંથી આવ્યા છે. જેને લઈ રાજકારણ ફરી ગરમાયું છે.   

ઈન્કમ ટેક્ષ વિભાગ કરશે આ મામલાની તપાસ

પ્રાપ્ત થતી વિગતો અનુસાર બારડોલીમાં ગાડીના કાચ તોડી, ગાડીમાં રહેલી બેગની ચોરી કરવામાં આવી હતી. બેગ લઈને ફરાર થયેલા બાઈક સવાર શખ્સોને રોકવા એક વ્યક્તિએ તેમનો પીછો કર્યો. તેમનો પીછો થતાં બાઈક ચાલકોએ પૈસાથી ભરેલું બેગ રસ્તા પર ફેંકી દીધું હતું. બેગ ફેંકી દેતા પીછો કરનાર શખ્સે બેગને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવી દીધું હતું. તપાસ કરાતા આ ગાડી આપના ઉમેદવારની હતી તેવું સામે આવ્યું હતું. રાજેન્દ્ર સોલંકીએ પણ આ અંગે પોલીસ ફરિયાદ કરાવી હતી 20 લાખ જેટલી રકમ મળી આવતા ઈન્કમ ટેક્ષ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. અને હવે આ ઈન્કમ ટેક્ષ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે ચર્ચાઓ મુજબ ચૂંટણીમાં આ પૈસાનો ઉપયોગ કરી શકાય તે માટે દિલ્હીથી આ નાણાં મોકલવામાં આવ્યા હતા..


વધી શકે છે આપની રાજેન્દ્ર સોલંકીની મુશ્કેલીઓ 

20 લાખ રૂપિયા પરત મળતા રાજેન્દ્ર સોલંકીની ચિંતામાં ઘટાડો થયો હતો. પરંતુ આ મામલે હવે ઈન્કમ ટેક્ષ વિભાગ તપાસ કરી રહી છે. આ પૈસા ક્યાંથી આવ્યા તેનો કોઈ જવાબ નહીં મળે તો રાજેન્દ્ર સોલંકીની તેમજ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 

સી. આર. પાટીલની રેલીમાં ગરબે રમનાર ભાજપના ધારાસભ્યને કોરોના, લોકોએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા 

આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે જે ઉમેદવારે છેલ્લા અનેક વર્ષથી ભરતા. અને 20 લાખ રૂપિયા દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યાલયથી અહીં આવે. પૈસાને લઈ સવાલ ઉમેદવારોને કરવો જોઈે તેવી વાત તેમણે કરી હતી.




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"