21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ..એ માતૃભાષા કે જેમાં બા-દાદા પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી..


  • Published By :
  • Published Date : 2025-02-20 18:37:14

આજે 20 ફેબ્રુઆરી છે એટલે આવતી કાલે થશે 21 ફેબ્રુઆરી...

તમને થશે આ બેન કેમ આવી નાના છોકરા જેવી વાત કરે છે, સારુ ઠીક છે ચલો કે તમને કાલે 21 ફેબ્રુઆરી છે એવી ખબર છે પણ દર વર્ષે એ 21 ફેબ્રુઆરીએ શું હોય છે એની બહુ ઓછા લોકોને ખબર હશે, જી હાં તો એ 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...એ માતૃભાષા કે જેમાં કાલીઘેલી વાતો કરીને તમે તમારુ નાનપણ વિતાવ્યુ છે, એ માતૃભાષા કે જેમાં બા-દાદા પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી અને એ માતૃભાષા કે જેમાં તમારી લાગણીઓ શ્રેષ્ઠ રીતે વ્યક્ત થાય. 

આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે. આવો જ પ્રેમ દર્શાવવા આવતી કાલે ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિશ્વ માતૃભાષા દિવસની એક વિશેષ ઉજવણી થઈ રહી છે. 

આ કાર્યક્રમનું શિર્ષક છે, "પંડિત સુખલાલજીનાં તત્વદર્શનથી વજેસિંગ વિપાશાની કવિતા સુધીની સંવેદન સફર" ગુજરાતી ભાષાનાં એવા રસિકો અને સાહિત્યકારો કે જેઓ શારીરિક રીતે અક્ષમ છે તેમને સમર્પિત આ કાર્યક્રમ છે. 

પંડિત સુખલાલજી


કાર્યક્રમમાં 10 અક્ષમિત ભાષાપ્રેમીઓ કવિતાઓ વાંચશે અને વાર્તાઓ કહેશે અને તેમની સાથે ગુજરાતી ભાષાનાં બે ઉત્તમ સર્જકો રઘુવીર ચૌધરી તથા યોગેશ જોશી પણ કવિતાઓ વાંચશે.


કાર્યક્રમ: "પંડિત સુખલાલજીનાં તત્વદર્શનથી વજેસિંગ વિપાશાની કવિતા સુધીની સંવેદન સફર"


સ્થળ અને સમય: 21/2/2025 સાંજે 5 વાગ્યે રા.વિ.પાઠક સભાગૃહ

 


પ્રિય માતૃભાષા,

તારા શબ્દોમાં જે સાર મળે ...

બોલતાંની સાથે જે પ્રતિસાદ મળે...

તારા સ્વરથી જે સંગીત સર્જાય...

હૃદયમાં એક ઉમંગ અનુભવાય....

વિસરે ભલે બીજું બધુંય

છતાં માતૃભાષા ના વિસરાય...

તારી ભાષાનો જો મર્મ સમજાય ...

જે અભિવ્યક્તિ તુજ થકી કરું 

જે વાંચન તુજમાં કરું...

મારી માતૃભાષા તુજને હું વંદન કરું.

                                           ~પૂર્વી પુજારા




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .