21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ..એ માતૃભાષા કે જેમાં બા-દાદા પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી..


  • Published By :
  • Published Date : 2025-02-20 18:37:14

આજે 20 ફેબ્રુઆરી છે એટલે આવતી કાલે થશે 21 ફેબ્રુઆરી...

તમને થશે આ બેન કેમ આવી નાના છોકરા જેવી વાત કરે છે, સારુ ઠીક છે ચલો કે તમને કાલે 21 ફેબ્રુઆરી છે એવી ખબર છે પણ દર વર્ષે એ 21 ફેબ્રુઆરીએ શું હોય છે એની બહુ ઓછા લોકોને ખબર હશે, જી હાં તો એ 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...એ માતૃભાષા કે જેમાં કાલીઘેલી વાતો કરીને તમે તમારુ નાનપણ વિતાવ્યુ છે, એ માતૃભાષા કે જેમાં બા-દાદા પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી અને એ માતૃભાષા કે જેમાં તમારી લાગણીઓ શ્રેષ્ઠ રીતે વ્યક્ત થાય. 

આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે. આવો જ પ્રેમ દર્શાવવા આવતી કાલે ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિશ્વ માતૃભાષા દિવસની એક વિશેષ ઉજવણી થઈ રહી છે. 

આ કાર્યક્રમનું શિર્ષક છે, "પંડિત સુખલાલજીનાં તત્વદર્શનથી વજેસિંગ વિપાશાની કવિતા સુધીની સંવેદન સફર" ગુજરાતી ભાષાનાં એવા રસિકો અને સાહિત્યકારો કે જેઓ શારીરિક રીતે અક્ષમ છે તેમને સમર્પિત આ કાર્યક્રમ છે. 

પંડિત સુખલાલજી


કાર્યક્રમમાં 10 અક્ષમિત ભાષાપ્રેમીઓ કવિતાઓ વાંચશે અને વાર્તાઓ કહેશે અને તેમની સાથે ગુજરાતી ભાષાનાં બે ઉત્તમ સર્જકો રઘુવીર ચૌધરી તથા યોગેશ જોશી પણ કવિતાઓ વાંચશે.


કાર્યક્રમ: "પંડિત સુખલાલજીનાં તત્વદર્શનથી વજેસિંગ વિપાશાની કવિતા સુધીની સંવેદન સફર"


સ્થળ અને સમય: 21/2/2025 સાંજે 5 વાગ્યે રા.વિ.પાઠક સભાગૃહ

 


પ્રિય માતૃભાષા,

તારા શબ્દોમાં જે સાર મળે ...

બોલતાંની સાથે જે પ્રતિસાદ મળે...

તારા સ્વરથી જે સંગીત સર્જાય...

હૃદયમાં એક ઉમંગ અનુભવાય....

વિસરે ભલે બીજું બધુંય

છતાં માતૃભાષા ના વિસરાય...

તારી ભાષાનો જો મર્મ સમજાય ...

જે અભિવ્યક્તિ તુજ થકી કરું 

જે વાંચન તુજમાં કરું...

મારી માતૃભાષા તુજને હું વંદન કરું.

                                           ~પૂર્વી પુજારા




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.