21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ..એ માતૃભાષા કે જેમાં બા-દાદા પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી..


  • Published By :
  • Published Date : 2025-02-20 18:37:14

આજે 20 ફેબ્રુઆરી છે એટલે આવતી કાલે થશે 21 ફેબ્રુઆરી...

તમને થશે આ બેન કેમ આવી નાના છોકરા જેવી વાત કરે છે, સારુ ઠીક છે ચલો કે તમને કાલે 21 ફેબ્રુઆરી છે એવી ખબર છે પણ દર વર્ષે એ 21 ફેબ્રુઆરીએ શું હોય છે એની બહુ ઓછા લોકોને ખબર હશે, જી હાં તો એ 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...એ માતૃભાષા કે જેમાં કાલીઘેલી વાતો કરીને તમે તમારુ નાનપણ વિતાવ્યુ છે, એ માતૃભાષા કે જેમાં બા-દાદા પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી અને એ માતૃભાષા કે જેમાં તમારી લાગણીઓ શ્રેષ્ઠ રીતે વ્યક્ત થાય. 

આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે. આવો જ પ્રેમ દર્શાવવા આવતી કાલે ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિશ્વ માતૃભાષા દિવસની એક વિશેષ ઉજવણી થઈ રહી છે. 

આ કાર્યક્રમનું શિર્ષક છે, "પંડિત સુખલાલજીનાં તત્વદર્શનથી વજેસિંગ વિપાશાની કવિતા સુધીની સંવેદન સફર" ગુજરાતી ભાષાનાં એવા રસિકો અને સાહિત્યકારો કે જેઓ શારીરિક રીતે અક્ષમ છે તેમને સમર્પિત આ કાર્યક્રમ છે. 

પંડિત સુખલાલજી


કાર્યક્રમમાં 10 અક્ષમિત ભાષાપ્રેમીઓ કવિતાઓ વાંચશે અને વાર્તાઓ કહેશે અને તેમની સાથે ગુજરાતી ભાષાનાં બે ઉત્તમ સર્જકો રઘુવીર ચૌધરી તથા યોગેશ જોશી પણ કવિતાઓ વાંચશે.


કાર્યક્રમ: "પંડિત સુખલાલજીનાં તત્વદર્શનથી વજેસિંગ વિપાશાની કવિતા સુધીની સંવેદન સફર"


સ્થળ અને સમય: 21/2/2025 સાંજે 5 વાગ્યે રા.વિ.પાઠક સભાગૃહ

 


પ્રિય માતૃભાષા,

તારા શબ્દોમાં જે સાર મળે ...

બોલતાંની સાથે જે પ્રતિસાદ મળે...

તારા સ્વરથી જે સંગીત સર્જાય...

હૃદયમાં એક ઉમંગ અનુભવાય....

વિસરે ભલે બીજું બધુંય

છતાં માતૃભાષા ના વિસરાય...

તારી ભાષાનો જો મર્મ સમજાય ...

જે અભિવ્યક્તિ તુજ થકી કરું 

જે વાંચન તુજમાં કરું...

મારી માતૃભાષા તુજને હું વંદન કરું.

                                           ~પૂર્વી પુજારા




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.