26/11 Mumbai Attack: ભારતીય ક્રિકેટરોએ શહીદ પોલીસકર્મીઓને આપી શ્રધ્ધાંજલિ, ઈંગ્લેન્ડની ટીમને કેમ યાદ કરાઈ?


  • Published By :
  • Published Date : 2023-11-26 15:27:47

26/11 મુંબઈ, 2008 આ એ તારીખ છે જેને યાદ કરીને આજે પણ દરેક ભારતીયનો આત્મા કંપી જાય છે. આ દિવસને ભારતના ઈતિહાસનો સૌથી કાળો દિવસ માનવામાં આવે છે. આજે પણ મુંબઈના લોકો તે દિવસને યાદ કરે છે ત્યારે રૂંવાડા ઉભા થઈ જાય છે. મુંબઈ પરના આતંકવાદી હુમલાએ સૌને ચોંકાવી દીધા હતા. કેટલાક આતંકવાદીઓ દરિયા માર્ગે મુંબઈમાં ઘૂસી ગયા હતા. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને બરાબર 15 વર્ષ થઈ ગયા છે.


 ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં સિરિઝ રમી રહી હતી 


લોકોને આજે પણ મને યાદ છે કે ઈંગ્લેન્ડ ભારતમાં શ્રેણી રમી રહ્યું હતું અને કેવિન પીટરસનની ટીમ આ આતંકવાદી ઘટનાથી હચમચી ગઈ હતી. કેવિન પીટરસનએ તેની આત્મકથામાં પણ આ વિશે લખ્યું છે, પરંતુ આપણે તેમની અને ઇંગ્લેન્ડની ટીમની પ્રશંસા કરવી પડશે, જેણે ભારતમાં વિશ્વાસ જાળવી રાખ્યો અને થોડા સમય પછી પરત આવી અને બાકીની મેચો રમી હતી. આજે ભારતીય ક્રિકેટરોએ આતંકવાદી ઘટનાને યાદ કરી શહીદ થયેલા પોલીસકર્મીઓને સેલ્યૂટ કર્યું હતું.


15 દિવસ પહેલા ઈંગ્લેન્ડની ટીમ તાજ હોટલમાં રોકાઈ હતી


જ્યારે મુંબઈમાં 26/11નો હુમલો થયો ત્યારે કેવિન પીટરસનની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે હતી.  ઈંગ્લેન્ડની  ટીમ આતંકવાદી હુમલા પહેલા 15 દિવસ સુધી તાજ હોટલમાં રોકાઈ હતી. આ ઉપરાંત કેવિન પીટરસન વન ડે સીરીઝ બાદ ફરી એકવાર મુંબઈના તાજ પેલેસમાં રોકાવાનો હતો. કેવિન પીટરસને પોતે પોતાના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. જોકે હુમલા બાદ ઈંગ્લેન્ડની ટીમ સ્વદેશ પરત ફરી હતી. પરંતુ બધુ નિયંત્રણમાં આવ્યા બાદ તે ફરી એકવાર ટેસ્ટ સિરીઝ રમવા ભારત આવી હતી. આજે પણ મહાન સુનીલ ગાવસ્કર એ નિર્ણય માટે ઈંગ્લેન્ડની ટીમના વખાણ કરે છે.


26/11ના રોજ ભારતીય ક્રિકેટરોની પ્રતિક્રિયા


હરભજન સિંહ


ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર ​​હરભજન સિંહે એકવાર કહ્યું હતું કે, '26/11ના મુંબઈ હુમલાની વરસી પર પ્રતિબદ્ધતા અને બહાદુરીની અદમ્ય ભાવનાનું સન્માન! આપણી અને માતૃભૂમિની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર નાયકોને હું સલામ અને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની હિંમત આપણને પ્રેરિત કરે છે અને એક કરે છે. 



ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે કહ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપનારા લોકો હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. સચિને કહ્યું, '26/11ને મુંબઈ અને ભારતના ઈતિહાસના સૌથી કાળા દિવસોમાંથી એક તરીકે યાદ કરવામાં આવશે. હુમલામાં જીવ ગુમાવનારા લોકો અને પ્રિયજનો હંમેશા અમારી પ્રાર્થનામાં રહેશે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ખરાબ સમયમાં લડનારા તમામ લોકો માટે મને ખૂબ પ્રેમ અને આદર છે. ભલે આપણે તેમનો કેટલો પણ આભાર માનીએ, તે ક્યારેય પૂરતું નથી.



દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે કહ્યું, 'આજથી 15 વર્ષ પહેલા આજના દિવસે થયા એક ભયાવહ આતંકવાદી હુમલાએ આપણને હચમચાવી દીધા હતા. ભારત માતાના મહાન પુત્રોમાંના એક, વીર શહીદ તુકારામ ઓમ્બલેએ કસાબને જીવતો પકડવા માટે અનુકરણીય હિંમત અને નિઃસ્વાર્થતા દર્શાવી હતી. આવા મહાન માણસ પર ગર્વ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.