ફ્રાન્સમાં 4 દિવસ રોકાયા બાદ 276 ભારતીયો મુંબઈ પરત ફર્યા, CISFએ એરપોર્ટ પર કરી પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-12-26 18:22:38

માનવ તસ્કરીની આશંકાના પગલે ફ્રાન્સમાં રોકવામાં આવેલું  276  ભારતીયોવાળું પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.  ફ્રાન્સમાં 4 દિવસ સુધી પ્લેન રોકવામા આવ્યા બાદ મુસાફરો મંગળવાર સવારે મુંબઈ આવ્યા હતા. આ લોકોએ 25 ડિસેમ્બરની સાંજે પેરિસ કે વાટ્રી એરપોર્ટથી ફ્લાઇટ ભરી હતી. આ પ્લેન મંગળવાર સવારે 4 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ફ્રાન્સની એક કોર્ટના આદેશ બાદ ભારતીયોથી ભરેલા પ્લેનને મંજુરી આપવામાં આવી હતી. રવિવારે 4 જજોની બેન્ચે ક્રિસમસની રજાઓમાં પણ સુનાવણી કરતા અટકાયત હેઠળ રાખવામાં આવેલા પેસેન્જરોની પૂછપરછ કર્યા બાદ વિમાનને ઉડાન માટે આદેશ આપ્યો હતો. 


CISFએ કરી પૂછપરછ 


મીડિયા રિપોર્ટ મુજબ આજે સવારે 4:30 વાગ્યે આ ફ્લાઈટ દ્વારા 276 લોકો પરત ફરતા જ એરપોર્ટ પર પહોંચતા જ CISFએ તેમની પૂછપરછ કરી હતી. સાથે જ મીડિયાના સવાલોથી બચવા માટે ઘણા લોકો દોડતા જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમાંના મોટાભાગના લોકો પંજાબ, ગુજરાત અને દક્ષિણ ભારતના છે. આ પહેલા માહિતી આપવામાં આવી હતી કે આ ફ્લાઈટ સોમવારે બપોરે 2.20 કલાકે ભારતમાં આવશે. રિપોર્ટ અનુસાર કેટલાક લોકો દેશમાં પાછા ફરવા માંગતા ન હતા. જેના કારણે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં વિલંબ થયો હતો. આ લોકોએ ફ્રાન્સમાં જ આશ્રયની માંગણી કરી હતી.


શા માટે ફ્લાઈટ રોકવામાં આવી? 


ફ્રાન્સે રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટને ચાર દિવસ માટે ગ્રાઉન્ડ કરી દીધી હતી. વાસ્તવમાં, 22 ડિસેમ્બરે 303 ભારતીયો સાથે દુબઈથી નિકારાગુઆ માટે ઉડેલું વિમાન ઈંધણ ભરવા માટે  વાટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ સમય દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ફ્લાઈટને ટેકઓફ કરવાથી રોકી દેવામાં આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.