વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ચૂંટાયેલા 3 ઉમેદવારોએ આપ્યું ભાજપને સમર્થન


  • Published By :
  • Published Date : 2022-12-20 14:09:55

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટો પર ભાજપે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે 17 સીટો પર, આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી છે. ઉપરાંત ધાનેરા, બાયડ અને વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે અપક્ષ ધારાસભ્યો રાજ્યપાલને મળી વિધીવત રીતે ભાજપને ટેકો જાહેર કરવાના છે. ટેકો જાહેર કરનાર અપક્ષ ધારાસભ્યો ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વિજેતા બન્યા બાદ ત્રણેય ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. 

Image


Image


Image

Gujarat Assembly : વિધાનસભામાં ભાજપની શક્તિ વધશે, 3 અપક્ષ ધારાસભ્યો કરશે ભાજપને સમર્થન


અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યોએ આપ્યું ભાજપને સમર્થન 

2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી દીધા છે. 182માંથી 156 સીટો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. કોંગ્રેસને માત્ર 17 સીટોથી સંતોષ માનવો પડયો છે જ્યારે આપના ફાળે 5 સીટો આવી છે. ભાજપે આ વખતે ગણતરી કરી ટિકિટની ફાળવણી કરી છે. જેને કારણે ટિકિટ ન મળતા અનેકોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. 3 ધારાસભ્યોએ અપક્ષ તરીકે જીત હાંસલ કરી છે. ત્રણેય ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષને સમર્થન આપતો પત્ર રજૂ કર્યો.  


ભાજપમાંથી ટિકિટ ન મળતા ભર્યું હતું અપક્ષ તરીકે ફોર્મ 

બાયડ પરથી ભાજપે ભીખીબેન પરમારને ટિકિટ આપી હતી જેને કારણે નારાજ થયેલા ધવલસિંહ ઝાલાએ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ વિજય બન્યા. આવી જ રીતે ધાનેરા બેઠક પરથી ભાજપે માવજી પટેલને ટિકિટ ન આપી હતી. જેને કારણે તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અને જીત પણ હાંસલ કરી હતી. વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપથી નારાજ થયેલા મધુશ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા હતા. ત્યારે આજે રાજ્યપાલને મળી ત્રણેય અપક્ષ ધારાસભ્યો ભાજપને સત્તાવાર રીતે ટેકો જાહેર કરવાના છે. આ થવાથી ભાજપનું બળ વધી જશે. ભાજપ પાસે પહેલા 156 સીટો હતી જે વધીને હવે 159 થઈ જશે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.