વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ચૂંટાયેલા 3 ઉમેદવારોએ આપ્યું ભાજપને સમર્થન


  • Published By :
  • Published Date : 2022-12-20 14:09:55

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટો પર ભાજપે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે 17 સીટો પર, આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી છે. ઉપરાંત ધાનેરા, બાયડ અને વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે અપક્ષ ધારાસભ્યો રાજ્યપાલને મળી વિધીવત રીતે ભાજપને ટેકો જાહેર કરવાના છે. ટેકો જાહેર કરનાર અપક્ષ ધારાસભ્યો ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વિજેતા બન્યા બાદ ત્રણેય ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. 

Image


Image


Image

Gujarat Assembly : વિધાનસભામાં ભાજપની શક્તિ વધશે, 3 અપક્ષ ધારાસભ્યો કરશે ભાજપને સમર્થન


અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યોએ આપ્યું ભાજપને સમર્થન 

2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી દીધા છે. 182માંથી 156 સીટો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. કોંગ્રેસને માત્ર 17 સીટોથી સંતોષ માનવો પડયો છે જ્યારે આપના ફાળે 5 સીટો આવી છે. ભાજપે આ વખતે ગણતરી કરી ટિકિટની ફાળવણી કરી છે. જેને કારણે ટિકિટ ન મળતા અનેકોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. 3 ધારાસભ્યોએ અપક્ષ તરીકે જીત હાંસલ કરી છે. ત્રણેય ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષને સમર્થન આપતો પત્ર રજૂ કર્યો.  


ભાજપમાંથી ટિકિટ ન મળતા ભર્યું હતું અપક્ષ તરીકે ફોર્મ 

બાયડ પરથી ભાજપે ભીખીબેન પરમારને ટિકિટ આપી હતી જેને કારણે નારાજ થયેલા ધવલસિંહ ઝાલાએ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ વિજય બન્યા. આવી જ રીતે ધાનેરા બેઠક પરથી ભાજપે માવજી પટેલને ટિકિટ ન આપી હતી. જેને કારણે તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અને જીત પણ હાંસલ કરી હતી. વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપથી નારાજ થયેલા મધુશ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા હતા. ત્યારે આજે રાજ્યપાલને મળી ત્રણેય અપક્ષ ધારાસભ્યો ભાજપને સત્તાવાર રીતે ટેકો જાહેર કરવાના છે. આ થવાથી ભાજપનું બળ વધી જશે. ભાજપ પાસે પહેલા 156 સીટો હતી જે વધીને હવે 159 થઈ જશે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.