વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ચૂંટાયેલા 3 ઉમેદવારોએ આપ્યું ભાજપને સમર્થન


  • Published By :
  • Published Date : 2022-12-20 14:09:55

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટો પર ભાજપે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે 17 સીટો પર, આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી છે. ઉપરાંત ધાનેરા, બાયડ અને વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે અપક્ષ ધારાસભ્યો રાજ્યપાલને મળી વિધીવત રીતે ભાજપને ટેકો જાહેર કરવાના છે. ટેકો જાહેર કરનાર અપક્ષ ધારાસભ્યો ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વિજેતા બન્યા બાદ ત્રણેય ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. 

Image


Image


Image

Gujarat Assembly : વિધાનસભામાં ભાજપની શક્તિ વધશે, 3 અપક્ષ ધારાસભ્યો કરશે ભાજપને સમર્થન


અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યોએ આપ્યું ભાજપને સમર્થન 

2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી દીધા છે. 182માંથી 156 સીટો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. કોંગ્રેસને માત્ર 17 સીટોથી સંતોષ માનવો પડયો છે જ્યારે આપના ફાળે 5 સીટો આવી છે. ભાજપે આ વખતે ગણતરી કરી ટિકિટની ફાળવણી કરી છે. જેને કારણે ટિકિટ ન મળતા અનેકોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. 3 ધારાસભ્યોએ અપક્ષ તરીકે જીત હાંસલ કરી છે. ત્રણેય ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષને સમર્થન આપતો પત્ર રજૂ કર્યો.  


ભાજપમાંથી ટિકિટ ન મળતા ભર્યું હતું અપક્ષ તરીકે ફોર્મ 

બાયડ પરથી ભાજપે ભીખીબેન પરમારને ટિકિટ આપી હતી જેને કારણે નારાજ થયેલા ધવલસિંહ ઝાલાએ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ વિજય બન્યા. આવી જ રીતે ધાનેરા બેઠક પરથી ભાજપે માવજી પટેલને ટિકિટ ન આપી હતી. જેને કારણે તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અને જીત પણ હાંસલ કરી હતી. વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપથી નારાજ થયેલા મધુશ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા હતા. ત્યારે આજે રાજ્યપાલને મળી ત્રણેય અપક્ષ ધારાસભ્યો ભાજપને સત્તાવાર રીતે ટેકો જાહેર કરવાના છે. આ થવાથી ભાજપનું બળ વધી જશે. ભાજપ પાસે પહેલા 156 સીટો હતી જે વધીને હવે 159 થઈ જશે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.