વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ચૂંટાયેલા 3 ઉમેદવારોએ આપ્યું ભાજપને સમર્થન


  • Published By :
  • Published Date : 2022-12-20 14:09:55

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટો પર ભાજપે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે 17 સીટો પર, આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી છે. ઉપરાંત ધાનેરા, બાયડ અને વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે અપક્ષ ધારાસભ્યો રાજ્યપાલને મળી વિધીવત રીતે ભાજપને ટેકો જાહેર કરવાના છે. ટેકો જાહેર કરનાર અપક્ષ ધારાસભ્યો ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વિજેતા બન્યા બાદ ત્રણેય ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. 

Image


Image


Image

Gujarat Assembly : વિધાનસભામાં ભાજપની શક્તિ વધશે, 3 અપક્ષ ધારાસભ્યો કરશે ભાજપને સમર્થન


અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યોએ આપ્યું ભાજપને સમર્થન 

2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી દીધા છે. 182માંથી 156 સીટો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. કોંગ્રેસને માત્ર 17 સીટોથી સંતોષ માનવો પડયો છે જ્યારે આપના ફાળે 5 સીટો આવી છે. ભાજપે આ વખતે ગણતરી કરી ટિકિટની ફાળવણી કરી છે. જેને કારણે ટિકિટ ન મળતા અનેકોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. 3 ધારાસભ્યોએ અપક્ષ તરીકે જીત હાંસલ કરી છે. ત્રણેય ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષને સમર્થન આપતો પત્ર રજૂ કર્યો.  


ભાજપમાંથી ટિકિટ ન મળતા ભર્યું હતું અપક્ષ તરીકે ફોર્મ 

બાયડ પરથી ભાજપે ભીખીબેન પરમારને ટિકિટ આપી હતી જેને કારણે નારાજ થયેલા ધવલસિંહ ઝાલાએ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ વિજય બન્યા. આવી જ રીતે ધાનેરા બેઠક પરથી ભાજપે માવજી પટેલને ટિકિટ ન આપી હતી. જેને કારણે તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અને જીત પણ હાંસલ કરી હતી. વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપથી નારાજ થયેલા મધુશ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા હતા. ત્યારે આજે રાજ્યપાલને મળી ત્રણેય અપક્ષ ધારાસભ્યો ભાજપને સત્તાવાર રીતે ટેકો જાહેર કરવાના છે. આ થવાથી ભાજપનું બળ વધી જશે. ભાજપ પાસે પહેલા 156 સીટો હતી જે વધીને હવે 159 થઈ જશે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.