Rajkotમાં 3 લોકોના મોત થયા હાર્ટ એટેકને કારણે... જો તમને પણ આ લક્ષણો દેખાય તો ચેતી જજો!


  • Published By :
  • Published Date : 2023-11-25 11:04:02

હાર્ટ એટેક...  આ શબ્દ જાણે સામાન્ય બની ગયો હોય તેવું લાગે છે. આ વાક્ય એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હૃદય હુમલાને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. સરેરાશ 2થી 3 લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. રાજકોટથી એવા સમાચાર આવ્યા જેમાં 3 લોકોના મોત એક જ દિવસમાં હાર્ટ એટેકને કારણે થયા છે. જે લોકોના મોત થયા છે તેમની ઉંમર 27 વર્ષ, 46 અને 51 વર્ષ છે. તે ઉપરાંત મહારાષ્ટ્રથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા યુવાનનું પણ મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યું છે.


વડોદરામાં વકીલનું થયું હતું હાર્ટ એટેકને કારણે મોત

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા, અનેક પરિવારોનો માળો વિખેરાયો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. હાર્ટ એટેક લોકોને ભરખી રહ્યો છે. થોડા સમય પહેલા વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં વકીલનું મોત થયું હતું. કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન વકીલનું મોત થયું. સારવાર મળે તે માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમને ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા. પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ઉપરાંત વકીલ જગતમાં પણ શોક વ્યાપી ઉઠ્યો હતો.


રાજકોટમાં ત્રણ લોકોના થયા હૃદય હુમલાને કારણે મોત 

રાજકોટથી અનેક વખત હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક રાજકોટવાસીઓએ હાર્ટ એટેકને કારણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ગઈકાલે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મળતી માહિતી અનુસાર રેલનગરમાં રહેતા 27 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. તે ઉપરાંત ભારતીનગરમાં 46 વર્ષીય વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. પાળ ગામથી પણ આવો કિસ્સો સામે આવ્યો જેમાં 51 વર્ષીય આધેડનું મોત થયું છે. આ ત્રણેય વ્યક્તિઓના મોત હાર્ટને કારણે થયા હોય તેવી પ્રાથમિક માહિતી છે. 

યુનિ.માં વિદ્યાર્થીઓને સીપીઆર ટેકનિક શીખવાડતો કોર્સ શરુ કરાશે | msu will  start course on cpr technique for students

શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ 

મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં સરકારે પણ લીધા છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. અનેક એવા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં સીપીઆર આપીને લોકોના જીવ બચ્યા છે.                

      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી