Rajkotમાં 3 લોકોના મોત થયા હાર્ટ એટેકને કારણે... જો તમને પણ આ લક્ષણો દેખાય તો ચેતી જજો!


  • Published By :
  • Published Date : 2023-11-25 11:04:02

હાર્ટ એટેક...  આ શબ્દ જાણે સામાન્ય બની ગયો હોય તેવું લાગે છે. આ વાક્ય એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હૃદય હુમલાને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. સરેરાશ 2થી 3 લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. રાજકોટથી એવા સમાચાર આવ્યા જેમાં 3 લોકોના મોત એક જ દિવસમાં હાર્ટ એટેકને કારણે થયા છે. જે લોકોના મોત થયા છે તેમની ઉંમર 27 વર્ષ, 46 અને 51 વર્ષ છે. તે ઉપરાંત મહારાષ્ટ્રથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા યુવાનનું પણ મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યું છે.


વડોદરામાં વકીલનું થયું હતું હાર્ટ એટેકને કારણે મોત

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા, અનેક પરિવારોનો માળો વિખેરાયો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. હાર્ટ એટેક લોકોને ભરખી રહ્યો છે. થોડા સમય પહેલા વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં વકીલનું મોત થયું હતું. કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન વકીલનું મોત થયું. સારવાર મળે તે માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમને ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા. પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ઉપરાંત વકીલ જગતમાં પણ શોક વ્યાપી ઉઠ્યો હતો.


રાજકોટમાં ત્રણ લોકોના થયા હૃદય હુમલાને કારણે મોત 

રાજકોટથી અનેક વખત હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક રાજકોટવાસીઓએ હાર્ટ એટેકને કારણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ગઈકાલે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મળતી માહિતી અનુસાર રેલનગરમાં રહેતા 27 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. તે ઉપરાંત ભારતીનગરમાં 46 વર્ષીય વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. પાળ ગામથી પણ આવો કિસ્સો સામે આવ્યો જેમાં 51 વર્ષીય આધેડનું મોત થયું છે. આ ત્રણેય વ્યક્તિઓના મોત હાર્ટને કારણે થયા હોય તેવી પ્રાથમિક માહિતી છે. 

યુનિ.માં વિદ્યાર્થીઓને સીપીઆર ટેકનિક શીખવાડતો કોર્સ શરુ કરાશે | msu will  start course on cpr technique for students

શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ 

મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં સરકારે પણ લીધા છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. અનેક એવા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં સીપીઆર આપીને લોકોના જીવ બચ્યા છે.                

      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.