Rajkotમાં 3 લોકોના મોત થયા હાર્ટ એટેકને કારણે... જો તમને પણ આ લક્ષણો દેખાય તો ચેતી જજો!


  • Published By :
  • Published Date : 2023-11-25 11:04:02

હાર્ટ એટેક...  આ શબ્દ જાણે સામાન્ય બની ગયો હોય તેવું લાગે છે. આ વાક્ય એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હૃદય હુમલાને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. સરેરાશ 2થી 3 લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. રાજકોટથી એવા સમાચાર આવ્યા જેમાં 3 લોકોના મોત એક જ દિવસમાં હાર્ટ એટેકને કારણે થયા છે. જે લોકોના મોત થયા છે તેમની ઉંમર 27 વર્ષ, 46 અને 51 વર્ષ છે. તે ઉપરાંત મહારાષ્ટ્રથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા યુવાનનું પણ મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યું છે.


વડોદરામાં વકીલનું થયું હતું હાર્ટ એટેકને કારણે મોત

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા, અનેક પરિવારોનો માળો વિખેરાયો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. હાર્ટ એટેક લોકોને ભરખી રહ્યો છે. થોડા સમય પહેલા વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં વકીલનું મોત થયું હતું. કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન વકીલનું મોત થયું. સારવાર મળે તે માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમને ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા. પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ઉપરાંત વકીલ જગતમાં પણ શોક વ્યાપી ઉઠ્યો હતો.


રાજકોટમાં ત્રણ લોકોના થયા હૃદય હુમલાને કારણે મોત 

રાજકોટથી અનેક વખત હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક રાજકોટવાસીઓએ હાર્ટ એટેકને કારણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ગઈકાલે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મળતી માહિતી અનુસાર રેલનગરમાં રહેતા 27 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. તે ઉપરાંત ભારતીનગરમાં 46 વર્ષીય વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. પાળ ગામથી પણ આવો કિસ્સો સામે આવ્યો જેમાં 51 વર્ષીય આધેડનું મોત થયું છે. આ ત્રણેય વ્યક્તિઓના મોત હાર્ટને કારણે થયા હોય તેવી પ્રાથમિક માહિતી છે. 

યુનિ.માં વિદ્યાર્થીઓને સીપીઆર ટેકનિક શીખવાડતો કોર્સ શરુ કરાશે | msu will  start course on cpr technique for students

શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ 

મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં સરકારે પણ લીધા છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. અનેક એવા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં સીપીઆર આપીને લોકોના જીવ બચ્યા છે.                

      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.