Rajkotમાં 3 લોકોના મોત થયા હાર્ટ એટેકને કારણે... જો તમને પણ આ લક્ષણો દેખાય તો ચેતી જજો!


  • Published By :
  • Published Date : 2023-11-25 11:04:02

હાર્ટ એટેક...  આ શબ્દ જાણે સામાન્ય બની ગયો હોય તેવું લાગે છે. આ વાક્ય એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હૃદય હુમલાને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. સરેરાશ 2થી 3 લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. રાજકોટથી એવા સમાચાર આવ્યા જેમાં 3 લોકોના મોત એક જ દિવસમાં હાર્ટ એટેકને કારણે થયા છે. જે લોકોના મોત થયા છે તેમની ઉંમર 27 વર્ષ, 46 અને 51 વર્ષ છે. તે ઉપરાંત મહારાષ્ટ્રથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા યુવાનનું પણ મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યું છે.


વડોદરામાં વકીલનું થયું હતું હાર્ટ એટેકને કારણે મોત

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા, અનેક પરિવારોનો માળો વિખેરાયો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. હાર્ટ એટેક લોકોને ભરખી રહ્યો છે. થોડા સમય પહેલા વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં વકીલનું મોત થયું હતું. કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન વકીલનું મોત થયું. સારવાર મળે તે માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમને ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા. પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ઉપરાંત વકીલ જગતમાં પણ શોક વ્યાપી ઉઠ્યો હતો.


રાજકોટમાં ત્રણ લોકોના થયા હૃદય હુમલાને કારણે મોત 

રાજકોટથી અનેક વખત હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક રાજકોટવાસીઓએ હાર્ટ એટેકને કારણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ગઈકાલે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મળતી માહિતી અનુસાર રેલનગરમાં રહેતા 27 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. તે ઉપરાંત ભારતીનગરમાં 46 વર્ષીય વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. પાળ ગામથી પણ આવો કિસ્સો સામે આવ્યો જેમાં 51 વર્ષીય આધેડનું મોત થયું છે. આ ત્રણેય વ્યક્તિઓના મોત હાર્ટને કારણે થયા હોય તેવી પ્રાથમિક માહિતી છે. 

યુનિ.માં વિદ્યાર્થીઓને સીપીઆર ટેકનિક શીખવાડતો કોર્સ શરુ કરાશે | msu will  start course on cpr technique for students

શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ 

મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં સરકારે પણ લીધા છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. અનેક એવા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં સીપીઆર આપીને લોકોના જીવ બચ્યા છે.                

      



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.