30000 શિક્ષકો કોન્ટ્રાક્ટ પર લેવાશે? જો સરકારના પ્રયાસો યોગ્ય તો ભરોસાનો અભાવ કેમ? સાંભળો આ મુદ્દે શું કહ્યું દેવાંશી જોષીએ?


  • Published By :
  • Published Date : 2023-07-08 13:19:06

અનેક સંસ્થાઓનું પ્રાઈવેટાઈઝેશન થઈ રહ્યું છે. ખાનગી કંપનીને કામ સોંપવામાં આવે છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ શિક્ષણ વિભાગમાં પણ જોવા મળી રહ્યું છે. જે ગુરૂઓ બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરે છે તેમનું જ ભવિષ્ય અંધકારમય થઈ જશે તેવો ડર શિક્ષકોને અને TET-TATની પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને લાગી રહ્યો છે. ઘણા વર્ષોથી TET-TATની પરીક્ષા નથી લેવાઈ, અને જ્યારે લેવાઈ ત્યારે નવા ફોર્મેટમાં લેવાઈ. નવા ફોર્મેટ માટે પણ ઉમેદવારો તૈયાર હતા. તેમને થયું કે હમણા થોડી મહેનત કરી લઈશું પછી શાંતિ જ છેને. પરંતુ આ બધા વચ્ચે એવા સમાયાર આવ્યા કે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ વાતને લઈ ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે. સરકારના નિવેદન ઉપરથી ઉમેદવારોને ડર છે કે પરીક્ષા પાસ કર્યા બાદ પણ તેમને કાયમી નોકરી નહીં મળે, કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરવું પડી શકે છે.  

પ્રવાસી શિક્ષકના મુદ્દાને લઈ જમાવટને અનેક ઉમેદવારોએ ફોન કર્યા, રજૂઆત કરી. મહત્વનું છે કે થોડા દિવસો બાદ જીઆર આવવાનો છે. પાંચ વર્ષથી પરીક્ષા ન લેવાવાને કારણે ઉમેદવારો આતુરતાથી રાહ જોતા હતા. અનેક વર્ષો બાદ પરીક્ષા લેવામાં આવી પરંતુ બદલાયેલા ફોર્મેટમાં. અનેક લેવલોમાં પરીક્ષા લેવામાં આવી હતી. પ્રિલિમમાં પાસ કરેલા ઉમેદવારોએ તનતોડ મહેનત કરીને મેઈન્સની પરીક્ષા આપી, જેનું પરિણામ થોડા દિવસની અંદર આવવાનું છે. એવું માનીને કે જો એક વખત પરીક્ષા પાસ  કરી દીધી તો પછી શાંતિ. પરંતુ તેમની શાંતિ ચિંતામાં ત્યારે ફેરવાઈ જ્યારે તેમણે શિક્ષણમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને સાંભળ્યું. એવા સમાચારો સામે આવ્યા હતા કે પ્રવાસી શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કરાર આધાર ભરતી આપવામાં આવશે. સરકાર પ્રવાસીને આપે છે તેનાથી સારા એવા પગાર કોન્ટ્રાક્ટ બેઝ પર લેવાયેલા શિક્ષકોને આપવાની છે. 

સરકારી નોકરીને લોકો એટલા માટે પસંદ કરતા હોય છે કારણ કે તેઓ માને છે કે એક વાર મહેનત કરવાની પછી જીંદગી ભરની શાંતિ. સરકારી પરીક્ષાઓમાં , સરકારી કચેરીઓમાં ગેરરીતિ થાય છે પરંતુ તેનો અર્થ એ ન થાય કે તમે સરકારી શાળાઓ જ બંધ કરી દો. જે વિભાગમાં ખામી, જેમાં વિવાદ સર્જાયો તે વિભાગનું ખાનગીકરણ કરી દેવાનું! કરાર આધારીત લોકોને નોકરી પર રાખવામાં આવી રહ્યા છે. જો સેટ ન થયું તો રામ રામ.  


કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરતા લોકોને નથી હોતી જોબની ગેરંટી!

કોરોના સમયે પણ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં આરોગ્ય વિભાગના કર્માચારી વેક્સિન લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરતા હતા. તેમના કામ માટે તેમને બિરદાવવામાં પણ આવ્યા. પરંતુ થોડા સમય બાદ સમાચાર સામે આવ્યા કે તે કોન્ટ્રાક્ટ બેઝ પર હતા. મહત્વનું છે કે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા લોકોને ખબર ન હોય કે આજે જે નોકરી તેમની પાસે છે તે નોકરી આવતી કાલે તેમની પાસે હશે ખરી? 


અનેક સંસ્થાઓનું થઈ રહ્યું છે ખાનગીકરણ! 

ઉલ્લેખનિય છે કે જો સરકાર  આ ભરતી કરીને ટેમ્પરરી સોલ્યુશન હોય તો શંકાને સ્થાન નથી, કારણ કે સમગ્ર ભરતી પ્રક્રિયાને પૂર્ણ થતા વાર લાગી શકે છે. ત્યારે વિદ્યાર્થીના શિક્ષણ પર આ વાતની અસર ન પડે જો એના માટે આ સોલ્યુશન લાવી હોય તો તેનાથી સારૂ કઈ ન હોય, પરંતુ હજી જીઆર આવવાનો બાકી છે, ત્યાં સુધી આ અંગે વિસ્તૃત ચર્ચા કરવી થોડીક વહેલી છે. એ વાત સ્વાભાવિક છે કે શિક્ષક બનતા ઉમેદવારોની ધીરજ હવે ખૂટી છે. ઉમેદવારોએ જમાવટને પોતાની વ્યથા જણાવી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.