લોકસભાના વધુ 33 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધી 46 સાંસદો સામે કાર્યવાહી, વિપક્ષનો ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2023-12-18 21:09:54

લોકસભામાં વિપક્ષી સાંસદોના હોબાળા પર સખત કાર્યવાહી કરતા 33 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકસભા સ્પિકરે આકરી કાર્યવાહી કરતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષીએ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી, જે અધ્યક્ષે સ્વિકારી લીધી અને આ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે ગત શુક્રવારે 13 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 46 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


શા માટે કાર્યવાહી?


વાસ્તવમાં સત્ર શરૂ થયા બાદ વિપક્ષી સાંસદો સંસદની સુરક્ષામાં ભંગનો વિરોધ કરી રહ્યા હતા. પ્લેકાર્ડ સાથે વિરોધ કરવા માટે ઘણા સાંસદો આવ્યા હતા. આ તમામ સાંસદોને ગૃહની બાકીની મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે સ્પીકરે સોમવારે 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાંસદો સંસદની સુરક્ષામાં ખામીને લઈને હંગામો મચાવી રહ્યા હતા, જેના કારણે આ કડક પગલું લેવામાં આવ્યું છે.


સરકાર પર વિપક્ષ લાલઘુમ


લોકસભામાં વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવતા વિપક્ષના નેતાઓ લાલઘુમ થયા છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકારનું કામ સંસદ ચલાવવાનું છે. અમને સસ્પેન્ડ કરીને અવાજ દબાવવામાં આવવામાં આવી રહ્યો છે. ત્યાંજ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર ગૃહમંત્રી અમિત શાહને બચાવવા માગે છે. અધીર રંજને કહ્યું કે અમે છેલ્લા બે દિવસથી અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોનું સસ્પેન્શન ખતમ કરવાની માગ કરી રહ્યા હતા, અમે સંસદમાં સુરક્ષા ચૂક પર ચર્ચા કરવાની માગ કરી રહ્યા હતા. 



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'