લોકસભાના વધુ 33 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધી 46 સાંસદો સામે કાર્યવાહી, વિપક્ષનો ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2023-12-18 21:09:54

લોકસભામાં વિપક્ષી સાંસદોના હોબાળા પર સખત કાર્યવાહી કરતા 33 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકસભા સ્પિકરે આકરી કાર્યવાહી કરતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષીએ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી, જે અધ્યક્ષે સ્વિકારી લીધી અને આ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે ગત શુક્રવારે 13 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 46 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


શા માટે કાર્યવાહી?


વાસ્તવમાં સત્ર શરૂ થયા બાદ વિપક્ષી સાંસદો સંસદની સુરક્ષામાં ભંગનો વિરોધ કરી રહ્યા હતા. પ્લેકાર્ડ સાથે વિરોધ કરવા માટે ઘણા સાંસદો આવ્યા હતા. આ તમામ સાંસદોને ગૃહની બાકીની મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે સ્પીકરે સોમવારે 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાંસદો સંસદની સુરક્ષામાં ખામીને લઈને હંગામો મચાવી રહ્યા હતા, જેના કારણે આ કડક પગલું લેવામાં આવ્યું છે.


સરકાર પર વિપક્ષ લાલઘુમ


લોકસભામાં વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવતા વિપક્ષના નેતાઓ લાલઘુમ થયા છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકારનું કામ સંસદ ચલાવવાનું છે. અમને સસ્પેન્ડ કરીને અવાજ દબાવવામાં આવવામાં આવી રહ્યો છે. ત્યાંજ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર ગૃહમંત્રી અમિત શાહને બચાવવા માગે છે. અધીર રંજને કહ્યું કે અમે છેલ્લા બે દિવસથી અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોનું સસ્પેન્શન ખતમ કરવાની માગ કરી રહ્યા હતા, અમે સંસદમાં સુરક્ષા ચૂક પર ચર્ચા કરવાની માગ કરી રહ્યા હતા. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે