લોકસભાના વધુ 33 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધી 46 સાંસદો સામે કાર્યવાહી, વિપક્ષનો ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2023-12-18 21:09:54

લોકસભામાં વિપક્ષી સાંસદોના હોબાળા પર સખત કાર્યવાહી કરતા 33 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકસભા સ્પિકરે આકરી કાર્યવાહી કરતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષીએ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી, જે અધ્યક્ષે સ્વિકારી લીધી અને આ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે ગત શુક્રવારે 13 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 46 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


શા માટે કાર્યવાહી?


વાસ્તવમાં સત્ર શરૂ થયા બાદ વિપક્ષી સાંસદો સંસદની સુરક્ષામાં ભંગનો વિરોધ કરી રહ્યા હતા. પ્લેકાર્ડ સાથે વિરોધ કરવા માટે ઘણા સાંસદો આવ્યા હતા. આ તમામ સાંસદોને ગૃહની બાકીની મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે સ્પીકરે સોમવારે 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાંસદો સંસદની સુરક્ષામાં ખામીને લઈને હંગામો મચાવી રહ્યા હતા, જેના કારણે આ કડક પગલું લેવામાં આવ્યું છે.


સરકાર પર વિપક્ષ લાલઘુમ


લોકસભામાં વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવતા વિપક્ષના નેતાઓ લાલઘુમ થયા છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકારનું કામ સંસદ ચલાવવાનું છે. અમને સસ્પેન્ડ કરીને અવાજ દબાવવામાં આવવામાં આવી રહ્યો છે. ત્યાંજ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર ગૃહમંત્રી અમિત શાહને બચાવવા માગે છે. અધીર રંજને કહ્યું કે અમે છેલ્લા બે દિવસથી અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોનું સસ્પેન્શન ખતમ કરવાની માગ કરી રહ્યા હતા, અમે સંસદમાં સુરક્ષા ચૂક પર ચર્ચા કરવાની માગ કરી રહ્યા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.