ગુજરાતમાં કોરોનાના નોંધાયા 372 કેસ, અમદાવાદમાં સૌથી વધારે નોંધાયા કોરોના કેસ, ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-04-01 19:54:38

ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.     


ક્યાં નોંધાયા કેટલા કેસ ?

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2000થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં 372 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે પણ સૌથી વધારે કેસ નોંધાયા છે. 128 કોરોના કેસ માત્ર અમદાવાદથી નોંધાયા છે. અમરેલીથી 8 કેસ સામે આવ્યા છે, ખેડાથી 2 કેસ નોંધાયા છે. મહેસાણાથી 27 કેસ આવ્યા છે. મોરબીથી 29 કેસ, પંચમહાલથી એક કેસ સામે આવ્યો છે. કચ્છથી 8 કેસ નોંધાયા છે. બનાસકાંઠાથી 14 કેસ સામે આવ્યા છે. આણંદથી 7 કેસ સામે આવ્યો છે. ભરૂચથી 14 કેસ નોંધાયા હતા. ગાંધીનગર કોર્પોરેશનથી 3 અને ગાંધીનગરથી 5 કેસ સામે આવ્યા છે. રાજકોટ કોર્પોરેશનથી 10 કેસ સામે આવ્યા છે જ્યારે સાબરકાંઠાથી 6 કેસ સામે આવ્યા છે. વડોદરાથી 11 કેસ સામે આવ્યા છે જ્યારે વડોદરા કોર્પોરેશનથી 23 કેસ સામે આવ્યા છે.


શું કહ્યું ઋષિકેશ પટેલે કોરોના કેસને લઈ? 

વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેઓ કોરોના સાથે જીવવું પડશે તેવું કહી રહ્યા છે. પરિસ્થિતિ કાબુમાં છે, ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી. લોકોએ કોરોનાની સાથે રહેવાનું છે, ડરવાનું નથી પણ સાવચેત રહેવાની જરૂર છે. વેક્સિન અંગે પણ તેમણે નિવેદન આપ્યું હતું. વેક્સિન અંગે નિવેદન આપતા કહ્યું કે એક સમય એવો હતો જ્યારે કોઈ વેક્સિન લેવા આવતું ન હતું. આપણે વેક્સિનના જથ્થાની માગણી કરી છે. કેન્દ્ર પાસેથી વેક્સિનની માગણી કરવામાં આવી છે. જેમ જેમ વેક્સિનનો ડોઝ આવતો રહેશે તેમ તેમ લોકોને વેક્સિન આપવામાં આવશે.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે