ગુજરાતમાં કોરોનાના નોંધાયા 372 કેસ, અમદાવાદમાં સૌથી વધારે નોંધાયા કોરોના કેસ, ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-04-01 19:54:38

ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.     


ક્યાં નોંધાયા કેટલા કેસ ?

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2000થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં 372 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે પણ સૌથી વધારે કેસ નોંધાયા છે. 128 કોરોના કેસ માત્ર અમદાવાદથી નોંધાયા છે. અમરેલીથી 8 કેસ સામે આવ્યા છે, ખેડાથી 2 કેસ નોંધાયા છે. મહેસાણાથી 27 કેસ આવ્યા છે. મોરબીથી 29 કેસ, પંચમહાલથી એક કેસ સામે આવ્યો છે. કચ્છથી 8 કેસ નોંધાયા છે. બનાસકાંઠાથી 14 કેસ સામે આવ્યા છે. આણંદથી 7 કેસ સામે આવ્યો છે. ભરૂચથી 14 કેસ નોંધાયા હતા. ગાંધીનગર કોર્પોરેશનથી 3 અને ગાંધીનગરથી 5 કેસ સામે આવ્યા છે. રાજકોટ કોર્પોરેશનથી 10 કેસ સામે આવ્યા છે જ્યારે સાબરકાંઠાથી 6 કેસ સામે આવ્યા છે. વડોદરાથી 11 કેસ સામે આવ્યા છે જ્યારે વડોદરા કોર્પોરેશનથી 23 કેસ સામે આવ્યા છે.


શું કહ્યું ઋષિકેશ પટેલે કોરોના કેસને લઈ? 

વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેઓ કોરોના સાથે જીવવું પડશે તેવું કહી રહ્યા છે. પરિસ્થિતિ કાબુમાં છે, ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી. લોકોએ કોરોનાની સાથે રહેવાનું છે, ડરવાનું નથી પણ સાવચેત રહેવાની જરૂર છે. વેક્સિન અંગે પણ તેમણે નિવેદન આપ્યું હતું. વેક્સિન અંગે નિવેદન આપતા કહ્યું કે એક સમય એવો હતો જ્યારે કોઈ વેક્સિન લેવા આવતું ન હતું. આપણે વેક્સિનના જથ્થાની માગણી કરી છે. કેન્દ્ર પાસેથી વેક્સિનની માગણી કરવામાં આવી છે. જેમ જેમ વેક્સિનનો ડોઝ આવતો રહેશે તેમ તેમ લોકોને વેક્સિન આપવામાં આવશે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.