કેરળ વિસ્ફોટમાં થયો હતો 4 IEDનો ઉપયોગ, હુમલાના માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિનની ચાલી રહી છે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-10-30 17:00:10

કેરળના એર્નાકુર્લમ શહેરમાં આવેલા એક કન્વેન્શન સેન્ટરમાં રવિવારે થયેલા ભયાનક વિસ્ફોટમાં 3 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બોંબ બ્લાસ્ટ અંગે તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓ દાવો કર્યો છે કે આ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિન છે. તે ઓનલાઈન માધ્યમથી બોંબ બનાવવાનું શિખ્યો હતો. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શરૂઆતના ફોરેન્સિક એનાલીસીસ પ્રમાણે આ વિસ્ફોટ માટે ચાર IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં આગ લાગે તેવું ડિવાઈસ પણ લગાવવામાં આવ્યું હતું તે જ રીતે તેને બનાવવા માટે પેટ્રોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 


વિસ્ફોટ માટેનો સામાન જપ્ત 


તપાસ એજન્સીઓએ ઘટના સ્થળેથી બેટરી, તાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જે ટિફિનમાં IED બોંબ રાખવામાં આવ્યો હતો તે હજુ સુધી  મળ્યું નથી. અધિકારીઓ હજુ આ દિશામાં તપાસ ચલાવી રહ્યા છે અને કન્વેન્શન સેન્ટરની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓ આ હુમલાના માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિનની પણ પૂછપરછ કરી રહ્યા છે. માર્ટિન દુબઈમાં કોઈ ફેક્ટરીમાં કામ કરતો હતો. તેને ઈલેક્ટોનિક ઈક્વિપમેન્ટની જાણકારી હતી. માર્ટિને તેનો ગુનો કબૂલી લીધો છે.  



કેન્દ્રને રિપોર્ટ સોંપવામાં આવશે 


બોંબ વિસ્ફોટની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને નેશનલ સિક્યુરીટીગાર્ડ (NSG)ને સ્થાનિક પોલીસ તપાસમાં મદદ કરી રહી છે. આ તપાસનો રિપોર્ટ કેન્દ્ર સરકારનો સોંપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે રવિવારે બે મહિલાઓનું મોત થયું હતું જ્યારે એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી જેનું સોમવારે મોત થયું હતું. હુમલામાં ઘાયલ થયેલા પૈકીના કેટલાકની હાલત ગંભીર છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.