કેરળ વિસ્ફોટમાં થયો હતો 4 IEDનો ઉપયોગ, હુમલાના માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિનની ચાલી રહી છે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-10-30 17:00:10

કેરળના એર્નાકુર્લમ શહેરમાં આવેલા એક કન્વેન્શન સેન્ટરમાં રવિવારે થયેલા ભયાનક વિસ્ફોટમાં 3 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બોંબ બ્લાસ્ટ અંગે તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓ દાવો કર્યો છે કે આ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિન છે. તે ઓનલાઈન માધ્યમથી બોંબ બનાવવાનું શિખ્યો હતો. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શરૂઆતના ફોરેન્સિક એનાલીસીસ પ્રમાણે આ વિસ્ફોટ માટે ચાર IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં આગ લાગે તેવું ડિવાઈસ પણ લગાવવામાં આવ્યું હતું તે જ રીતે તેને બનાવવા માટે પેટ્રોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 


વિસ્ફોટ માટેનો સામાન જપ્ત 


તપાસ એજન્સીઓએ ઘટના સ્થળેથી બેટરી, તાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જે ટિફિનમાં IED બોંબ રાખવામાં આવ્યો હતો તે હજુ સુધી  મળ્યું નથી. અધિકારીઓ હજુ આ દિશામાં તપાસ ચલાવી રહ્યા છે અને કન્વેન્શન સેન્ટરની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓ આ હુમલાના માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિનની પણ પૂછપરછ કરી રહ્યા છે. માર્ટિન દુબઈમાં કોઈ ફેક્ટરીમાં કામ કરતો હતો. તેને ઈલેક્ટોનિક ઈક્વિપમેન્ટની જાણકારી હતી. માર્ટિને તેનો ગુનો કબૂલી લીધો છે.  



કેન્દ્રને રિપોર્ટ સોંપવામાં આવશે 


બોંબ વિસ્ફોટની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને નેશનલ સિક્યુરીટીગાર્ડ (NSG)ને સ્થાનિક પોલીસ તપાસમાં મદદ કરી રહી છે. આ તપાસનો રિપોર્ટ કેન્દ્ર સરકારનો સોંપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે રવિવારે બે મહિલાઓનું મોત થયું હતું જ્યારે એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી જેનું સોમવારે મોત થયું હતું. હુમલામાં ઘાયલ થયેલા પૈકીના કેટલાકની હાલત ગંભીર છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે