કેરળ વિસ્ફોટમાં થયો હતો 4 IEDનો ઉપયોગ, હુમલાના માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિનની ચાલી રહી છે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-10-30 17:00:10

કેરળના એર્નાકુર્લમ શહેરમાં આવેલા એક કન્વેન્શન સેન્ટરમાં રવિવારે થયેલા ભયાનક વિસ્ફોટમાં 3 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બોંબ બ્લાસ્ટ અંગે તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓ દાવો કર્યો છે કે આ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિન છે. તે ઓનલાઈન માધ્યમથી બોંબ બનાવવાનું શિખ્યો હતો. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શરૂઆતના ફોરેન્સિક એનાલીસીસ પ્રમાણે આ વિસ્ફોટ માટે ચાર IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં આગ લાગે તેવું ડિવાઈસ પણ લગાવવામાં આવ્યું હતું તે જ રીતે તેને બનાવવા માટે પેટ્રોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 


વિસ્ફોટ માટેનો સામાન જપ્ત 


તપાસ એજન્સીઓએ ઘટના સ્થળેથી બેટરી, તાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જે ટિફિનમાં IED બોંબ રાખવામાં આવ્યો હતો તે હજુ સુધી  મળ્યું નથી. અધિકારીઓ હજુ આ દિશામાં તપાસ ચલાવી રહ્યા છે અને કન્વેન્શન સેન્ટરની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓ આ હુમલાના માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિનની પણ પૂછપરછ કરી રહ્યા છે. માર્ટિન દુબઈમાં કોઈ ફેક્ટરીમાં કામ કરતો હતો. તેને ઈલેક્ટોનિક ઈક્વિપમેન્ટની જાણકારી હતી. માર્ટિને તેનો ગુનો કબૂલી લીધો છે.  



કેન્દ્રને રિપોર્ટ સોંપવામાં આવશે 


બોંબ વિસ્ફોટની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને નેશનલ સિક્યુરીટીગાર્ડ (NSG)ને સ્થાનિક પોલીસ તપાસમાં મદદ કરી રહી છે. આ તપાસનો રિપોર્ટ કેન્દ્ર સરકારનો સોંપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે રવિવારે બે મહિલાઓનું મોત થયું હતું જ્યારે એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી જેનું સોમવારે મોત થયું હતું. હુમલામાં ઘાયલ થયેલા પૈકીના કેટલાકની હાલત ગંભીર છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .