ચીનની 40 ટકા વસ્તી થઈ જશે કોરોના સંક્રમણનો શિકાર!!! WHOએ ચીન પાસે માગ્યો જવાબ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-04 11:40:25

ચીનમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના દેશોની ચિંતા વધી છે. એક અંદાજ પ્રમાણે લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં કોરોનાને કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આવનાર સમયમાં 40 ટકા જેટલી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. 


કોરોના સંક્રમણ પ્રતિદિન વધી રહ્યું છે  

કોરોના વાયરસને કારણે અનેક લોકો સંક્રમિત થયા છે જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે દુનિયાના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. વિશ્વના અનેક દેશોએ ચીનથી આવતા લોકો માટે નિયમો જાહેર કરી દીધા છે. અનેક પ્રતિબંધો લાદી દીધા છે. ત્યારે કોરોના સંક્રમણ પર કાબુ નથી આવતો પરંતુ પ્રતિદિન આ સંક્રમણ સતત વધી રહ્યું છે. 


40 ટકા વસ્તી થઈ શકે છે કોરોના સંક્રમિત 

ચીનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ચીનમાં કોરોનાની દહેશત સતત વધી રહી છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ચીનની 40 ટકા વસ્તી કોરોનાનો ભોગ બની જશે. છેલ્લા એક મહિનામાં કોરોનાની ઝપેટામાં અનેક લોકો આવી ગયા છે. 


વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીન પાસે મંગાવ્યા સંક્રમિતોના આંકડા 

ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ગંભીર બની છે. ચીન પર એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે તે કોરોના સંક્રમિતોના આંકડા છૂપાવી રહ્યું છે. ઉપરાંત મૃતકોના આંકડા પણ છૂપાવે છે. ઉપરાંત ચીને દૈનિક કેસોનો આંકડો જાહેર કરવાનો પણ બંધ કરી દીધું છે. જેને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે અને ચીન પાસેથી વિસ્તૃત માહિતી આપવા માટે કહ્યું છે. ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની માહિતી આપવા પણ કહ્યું છે. 



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે