ચીનની 40 ટકા વસ્તી થઈ જશે કોરોના સંક્રમણનો શિકાર!!! WHOએ ચીન પાસે માગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-04 11:40:25

ચીનમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના દેશોની ચિંતા વધી છે. એક અંદાજ પ્રમાણે લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં કોરોનાને કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આવનાર સમયમાં 40 ટકા જેટલી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. 


કોરોના સંક્રમણ પ્રતિદિન વધી રહ્યું છે  

કોરોના વાયરસને કારણે અનેક લોકો સંક્રમિત થયા છે જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે દુનિયાના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. વિશ્વના અનેક દેશોએ ચીનથી આવતા લોકો માટે નિયમો જાહેર કરી દીધા છે. અનેક પ્રતિબંધો લાદી દીધા છે. ત્યારે કોરોના સંક્રમણ પર કાબુ નથી આવતો પરંતુ પ્રતિદિન આ સંક્રમણ સતત વધી રહ્યું છે. 


40 ટકા વસ્તી થઈ શકે છે કોરોના સંક્રમિત 

ચીનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ચીનમાં કોરોનાની દહેશત સતત વધી રહી છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ચીનની 40 ટકા વસ્તી કોરોનાનો ભોગ બની જશે. છેલ્લા એક મહિનામાં કોરોનાની ઝપેટામાં અનેક લોકો આવી ગયા છે. 


વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીન પાસે મંગાવ્યા સંક્રમિતોના આંકડા 

ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ગંભીર બની છે. ચીન પર એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે તે કોરોના સંક્રમિતોના આંકડા છૂપાવી રહ્યું છે. ઉપરાંત મૃતકોના આંકડા પણ છૂપાવે છે. ઉપરાંત ચીને દૈનિક કેસોનો આંકડો જાહેર કરવાનો પણ બંધ કરી દીધું છે. જેને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે અને ચીન પાસેથી વિસ્તૃત માહિતી આપવા માટે કહ્યું છે. ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની માહિતી આપવા પણ કહ્યું છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .