ચીનની 40 ટકા વસ્તી થઈ જશે કોરોના સંક્રમણનો શિકાર!!! WHOએ ચીન પાસે માગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-04 11:40:25

ચીનમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના દેશોની ચિંતા વધી છે. એક અંદાજ પ્રમાણે લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં કોરોનાને કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આવનાર સમયમાં 40 ટકા જેટલી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. 


કોરોના સંક્રમણ પ્રતિદિન વધી રહ્યું છે  

કોરોના વાયરસને કારણે અનેક લોકો સંક્રમિત થયા છે જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે દુનિયાના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. વિશ્વના અનેક દેશોએ ચીનથી આવતા લોકો માટે નિયમો જાહેર કરી દીધા છે. અનેક પ્રતિબંધો લાદી દીધા છે. ત્યારે કોરોના સંક્રમણ પર કાબુ નથી આવતો પરંતુ પ્રતિદિન આ સંક્રમણ સતત વધી રહ્યું છે. 


40 ટકા વસ્તી થઈ શકે છે કોરોના સંક્રમિત 

ચીનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ચીનમાં કોરોનાની દહેશત સતત વધી રહી છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ચીનની 40 ટકા વસ્તી કોરોનાનો ભોગ બની જશે. છેલ્લા એક મહિનામાં કોરોનાની ઝપેટામાં અનેક લોકો આવી ગયા છે. 


વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીન પાસે મંગાવ્યા સંક્રમિતોના આંકડા 

ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ગંભીર બની છે. ચીન પર એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે તે કોરોના સંક્રમિતોના આંકડા છૂપાવી રહ્યું છે. ઉપરાંત મૃતકોના આંકડા પણ છૂપાવે છે. ઉપરાંત ચીને દૈનિક કેસોનો આંકડો જાહેર કરવાનો પણ બંધ કરી દીધું છે. જેને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે અને ચીન પાસેથી વિસ્તૃત માહિતી આપવા માટે કહ્યું છે. ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની માહિતી આપવા પણ કહ્યું છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.