તહેવારોની સિઝન પહેલા Botadથી ઝડપાયું 400 લીટર નકલી દૂધ, જુઓ કેવી રીતે બનાવામાં આવ્યું નકલી દૂધ?


  • Published By :
  • Published Date : 2023-10-20 16:33:42

નકલી..... નકલી... નકલી..... કોઈ વખત નકલી ઘી મળી આવે છે તો કોઈ વખત નકલી પનીરનો જથ્થો મળી આવે છે. તહેવારની સિઝન શરૂ થવાની છે. દિવાળીના સમય દરમિયાન લોકો બહારથી જમવાનું લાવતા હોય છે, નાસ્તો પણ લાવવામાં આવતો હોય છે, મીઠાઈ પણ બહારથી લોકો લાવતા હોય છે. પરંતુ બહારથી લાવવામાં આવતી ખાદ્ય વસ્તુઓ જીવ માટે જોખમી સાબિત થતી હોય છે. ખાદ્ય વસ્તુમાં અનેક વખત ભેળસેળ કરવામાં આવે છે, તેવો રિપોર્ટ અનેક વખત આપણી સામે છે. અનેક વખતે ખાદ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે જે પરીક્ષણમાં ફેલ થઈ જતા હોય છે. ત્યારે બોટાદથી નકલી દૂધ ઝડપાયું છે. 10 કે 20 લીટર નહીં પરંતુ 400 લીટર નકલી દૂધ ઝડપાયું છે.

ભેળસેળિયા બેફામ: તમે નકલી દૂધ તો નથી પીતા ને? 400 લિટર બનાવટી દૂધ ડેરીમાં  ભરવાનો હતો કારસો, પોલીસે લાઈવ ડેમો પણ કરાવ્યો | Confused: You don't drink  fake milk do ...

બોટાદમાંથી ઝડપાયું 400 લીટર નકલી દૂધ

દૂધને આપણે આરોગ્યવર્ધક માનીએ છીએ. દૂધથી આપણને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે એવું માનીએ છીએ. દૂધથી જ આપણા દિવસની શરૂઆત થતી હોય છે. ચાથી અથવા તો કોફી પીધા બાદ આપણે ફ્રેશ ફીલ કરીએ છીએ. પરંતુ એ દૂધ જ નકલી હોય તો? નકલી દૂધ હોવાને કારણે શરીર પર ગંભીર અસર થતી હોય છે. અનેક વખત આપણને સમાચાર મળે છે કે આજે આ જગ્યાએથી આ ખાદ્યપદાર્થનો નકલી જથ્થો ઝડપાયો, ત્યારે બોટાદથી 400 લીટર નકલી દૂધ પકડાયું છે. મિલ્ક પાવડર અને પાણીના ઉપયોગથી નકલી દૂધ બનાવવામાં આવતું હતું. બોટાદ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી નકલી દૂધ પકડાયું છે.



સેમ્પલ મોકલાયા લેબોરેટરીમાં  

હકીકતમાં બોટાદ એલસીબીએ મળેલી બાતમીના આધારે બુબાવાવ ગામમાં જેજેરામ સંતરામભાઈ ગોંડલિયાને ત્યાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન દૂધમાં મિલાવટ થતી હોય તેવી વાત સામે આવી છે. દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની વાત ,સામે આવતા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મામલતદાર રાણપુર તેમજ ભાવનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સેમ્પલના ટેસ્ટ કરાવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા.


બનાવટી દૂધ કઈ ડેરીમાં મોકલાયું તે અંગે કરાઈ છે તપાસ 

પ્રાથમિક માહિતી અનુસાર નકલી દૂધ વનસ્પતિ તેલ ઉમેરીને બનાવવામાં આવતું હતું. મિલ્ક પાવડરને મિક્સ્ચરમાં મિક્સ કરીને તેમાં વનસ્પતિ તેલ ઉમેરવામાં આવતું હતું. તપાસ દરમિયાન પોલીસને 400 લીટર નકલી દૂધ ઉપરાંત 91520 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ભેળસેળવાળું દૂધ કઈ ડેરીમાં મોકલવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ થઈ રહી છે. 



ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જીવન માટે જોખમી છે 

મહત્વનું છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં નકલી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. નકલી વસ્તુને જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તેનો ટેસ્ટ એકદમ ઓરિજિનલ લાગે છે અથવા તો ઓરિજિનલ કરતા પણ વધારે સારો લાગે છે. નકલી વસ્તુઓ વેચી વધારે પૈસા કમાવાની લાલચ અનેક વખત બીજા લોકો માટે જીવલેણ સાબિત થતી હોય છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.