તહેવારોની સિઝન પહેલા Botadથી ઝડપાયું 400 લીટર નકલી દૂધ, જુઓ કેવી રીતે બનાવામાં આવ્યું નકલી દૂધ?


  • Published By :
  • Published Date : 2023-10-20 16:33:42

નકલી..... નકલી... નકલી..... કોઈ વખત નકલી ઘી મળી આવે છે તો કોઈ વખત નકલી પનીરનો જથ્થો મળી આવે છે. તહેવારની સિઝન શરૂ થવાની છે. દિવાળીના સમય દરમિયાન લોકો બહારથી જમવાનું લાવતા હોય છે, નાસ્તો પણ લાવવામાં આવતો હોય છે, મીઠાઈ પણ બહારથી લોકો લાવતા હોય છે. પરંતુ બહારથી લાવવામાં આવતી ખાદ્ય વસ્તુઓ જીવ માટે જોખમી સાબિત થતી હોય છે. ખાદ્ય વસ્તુમાં અનેક વખત ભેળસેળ કરવામાં આવે છે, તેવો રિપોર્ટ અનેક વખત આપણી સામે છે. અનેક વખતે ખાદ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે જે પરીક્ષણમાં ફેલ થઈ જતા હોય છે. ત્યારે બોટાદથી નકલી દૂધ ઝડપાયું છે. 10 કે 20 લીટર નહીં પરંતુ 400 લીટર નકલી દૂધ ઝડપાયું છે.

ભેળસેળિયા બેફામ: તમે નકલી દૂધ તો નથી પીતા ને? 400 લિટર બનાવટી દૂધ ડેરીમાં  ભરવાનો હતો કારસો, પોલીસે લાઈવ ડેમો પણ કરાવ્યો | Confused: You don't drink  fake milk do ...

બોટાદમાંથી ઝડપાયું 400 લીટર નકલી દૂધ

દૂધને આપણે આરોગ્યવર્ધક માનીએ છીએ. દૂધથી આપણને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે એવું માનીએ છીએ. દૂધથી જ આપણા દિવસની શરૂઆત થતી હોય છે. ચાથી અથવા તો કોફી પીધા બાદ આપણે ફ્રેશ ફીલ કરીએ છીએ. પરંતુ એ દૂધ જ નકલી હોય તો? નકલી દૂધ હોવાને કારણે શરીર પર ગંભીર અસર થતી હોય છે. અનેક વખત આપણને સમાચાર મળે છે કે આજે આ જગ્યાએથી આ ખાદ્યપદાર્થનો નકલી જથ્થો ઝડપાયો, ત્યારે બોટાદથી 400 લીટર નકલી દૂધ પકડાયું છે. મિલ્ક પાવડર અને પાણીના ઉપયોગથી નકલી દૂધ બનાવવામાં આવતું હતું. બોટાદ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી નકલી દૂધ પકડાયું છે.



સેમ્પલ મોકલાયા લેબોરેટરીમાં  

હકીકતમાં બોટાદ એલસીબીએ મળેલી બાતમીના આધારે બુબાવાવ ગામમાં જેજેરામ સંતરામભાઈ ગોંડલિયાને ત્યાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન દૂધમાં મિલાવટ થતી હોય તેવી વાત સામે આવી છે. દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની વાત ,સામે આવતા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મામલતદાર રાણપુર તેમજ ભાવનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સેમ્પલના ટેસ્ટ કરાવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા.


બનાવટી દૂધ કઈ ડેરીમાં મોકલાયું તે અંગે કરાઈ છે તપાસ 

પ્રાથમિક માહિતી અનુસાર નકલી દૂધ વનસ્પતિ તેલ ઉમેરીને બનાવવામાં આવતું હતું. મિલ્ક પાવડરને મિક્સ્ચરમાં મિક્સ કરીને તેમાં વનસ્પતિ તેલ ઉમેરવામાં આવતું હતું. તપાસ દરમિયાન પોલીસને 400 લીટર નકલી દૂધ ઉપરાંત 91520 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ભેળસેળવાળું દૂધ કઈ ડેરીમાં મોકલવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ થઈ રહી છે. 



ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જીવન માટે જોખમી છે 

મહત્વનું છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં નકલી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. નકલી વસ્તુને જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તેનો ટેસ્ટ એકદમ ઓરિજિનલ લાગે છે અથવા તો ઓરિજિનલ કરતા પણ વધારે સારો લાગે છે. નકલી વસ્તુઓ વેચી વધારે પૈસા કમાવાની લાલચ અનેક વખત બીજા લોકો માટે જીવલેણ સાબિત થતી હોય છે.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.