તહેવારોની સિઝન પહેલા Botadથી ઝડપાયું 400 લીટર નકલી દૂધ, જુઓ કેવી રીતે બનાવામાં આવ્યું નકલી દૂધ?


  • Published By :
  • Published Date : 2023-10-20 16:33:42

નકલી..... નકલી... નકલી..... કોઈ વખત નકલી ઘી મળી આવે છે તો કોઈ વખત નકલી પનીરનો જથ્થો મળી આવે છે. તહેવારની સિઝન શરૂ થવાની છે. દિવાળીના સમય દરમિયાન લોકો બહારથી જમવાનું લાવતા હોય છે, નાસ્તો પણ લાવવામાં આવતો હોય છે, મીઠાઈ પણ બહારથી લોકો લાવતા હોય છે. પરંતુ બહારથી લાવવામાં આવતી ખાદ્ય વસ્તુઓ જીવ માટે જોખમી સાબિત થતી હોય છે. ખાદ્ય વસ્તુમાં અનેક વખત ભેળસેળ કરવામાં આવે છે, તેવો રિપોર્ટ અનેક વખત આપણી સામે છે. અનેક વખતે ખાદ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે જે પરીક્ષણમાં ફેલ થઈ જતા હોય છે. ત્યારે બોટાદથી નકલી દૂધ ઝડપાયું છે. 10 કે 20 લીટર નહીં પરંતુ 400 લીટર નકલી દૂધ ઝડપાયું છે.

ભેળસેળિયા બેફામ: તમે નકલી દૂધ તો નથી પીતા ને? 400 લિટર બનાવટી દૂધ ડેરીમાં  ભરવાનો હતો કારસો, પોલીસે લાઈવ ડેમો પણ કરાવ્યો | Confused: You don't drink  fake milk do ...

બોટાદમાંથી ઝડપાયું 400 લીટર નકલી દૂધ

દૂધને આપણે આરોગ્યવર્ધક માનીએ છીએ. દૂધથી આપણને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે એવું માનીએ છીએ. દૂધથી જ આપણા દિવસની શરૂઆત થતી હોય છે. ચાથી અથવા તો કોફી પીધા બાદ આપણે ફ્રેશ ફીલ કરીએ છીએ. પરંતુ એ દૂધ જ નકલી હોય તો? નકલી દૂધ હોવાને કારણે શરીર પર ગંભીર અસર થતી હોય છે. અનેક વખત આપણને સમાચાર મળે છે કે આજે આ જગ્યાએથી આ ખાદ્યપદાર્થનો નકલી જથ્થો ઝડપાયો, ત્યારે બોટાદથી 400 લીટર નકલી દૂધ પકડાયું છે. મિલ્ક પાવડર અને પાણીના ઉપયોગથી નકલી દૂધ બનાવવામાં આવતું હતું. બોટાદ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી નકલી દૂધ પકડાયું છે.



સેમ્પલ મોકલાયા લેબોરેટરીમાં  

હકીકતમાં બોટાદ એલસીબીએ મળેલી બાતમીના આધારે બુબાવાવ ગામમાં જેજેરામ સંતરામભાઈ ગોંડલિયાને ત્યાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન દૂધમાં મિલાવટ થતી હોય તેવી વાત સામે આવી છે. દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની વાત ,સામે આવતા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મામલતદાર રાણપુર તેમજ ભાવનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સેમ્પલના ટેસ્ટ કરાવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા.


બનાવટી દૂધ કઈ ડેરીમાં મોકલાયું તે અંગે કરાઈ છે તપાસ 

પ્રાથમિક માહિતી અનુસાર નકલી દૂધ વનસ્પતિ તેલ ઉમેરીને બનાવવામાં આવતું હતું. મિલ્ક પાવડરને મિક્સ્ચરમાં મિક્સ કરીને તેમાં વનસ્પતિ તેલ ઉમેરવામાં આવતું હતું. તપાસ દરમિયાન પોલીસને 400 લીટર નકલી દૂધ ઉપરાંત 91520 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ભેળસેળવાળું દૂધ કઈ ડેરીમાં મોકલવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ થઈ રહી છે. 



ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જીવન માટે જોખમી છે 

મહત્વનું છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં નકલી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. નકલી વસ્તુને જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તેનો ટેસ્ટ એકદમ ઓરિજિનલ લાગે છે અથવા તો ઓરિજિનલ કરતા પણ વધારે સારો લાગે છે. નકલી વસ્તુઓ વેચી વધારે પૈસા કમાવાની લાલચ અનેક વખત બીજા લોકો માટે જીવલેણ સાબિત થતી હોય છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.