તહેવારોની સિઝન પહેલા Botadથી ઝડપાયું 400 લીટર નકલી દૂધ, જુઓ કેવી રીતે બનાવામાં આવ્યું નકલી દૂધ?


  • Published By :
  • Published Date : 2023-10-20 16:33:42

નકલી..... નકલી... નકલી..... કોઈ વખત નકલી ઘી મળી આવે છે તો કોઈ વખત નકલી પનીરનો જથ્થો મળી આવે છે. તહેવારની સિઝન શરૂ થવાની છે. દિવાળીના સમય દરમિયાન લોકો બહારથી જમવાનું લાવતા હોય છે, નાસ્તો પણ લાવવામાં આવતો હોય છે, મીઠાઈ પણ બહારથી લોકો લાવતા હોય છે. પરંતુ બહારથી લાવવામાં આવતી ખાદ્ય વસ્તુઓ જીવ માટે જોખમી સાબિત થતી હોય છે. ખાદ્ય વસ્તુમાં અનેક વખત ભેળસેળ કરવામાં આવે છે, તેવો રિપોર્ટ અનેક વખત આપણી સામે છે. અનેક વખતે ખાદ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે જે પરીક્ષણમાં ફેલ થઈ જતા હોય છે. ત્યારે બોટાદથી નકલી દૂધ ઝડપાયું છે. 10 કે 20 લીટર નહીં પરંતુ 400 લીટર નકલી દૂધ ઝડપાયું છે.

ભેળસેળિયા બેફામ: તમે નકલી દૂધ તો નથી પીતા ને? 400 લિટર બનાવટી દૂધ ડેરીમાં  ભરવાનો હતો કારસો, પોલીસે લાઈવ ડેમો પણ કરાવ્યો | Confused: You don't drink  fake milk do ...

બોટાદમાંથી ઝડપાયું 400 લીટર નકલી દૂધ

દૂધને આપણે આરોગ્યવર્ધક માનીએ છીએ. દૂધથી આપણને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે એવું માનીએ છીએ. દૂધથી જ આપણા દિવસની શરૂઆત થતી હોય છે. ચાથી અથવા તો કોફી પીધા બાદ આપણે ફ્રેશ ફીલ કરીએ છીએ. પરંતુ એ દૂધ જ નકલી હોય તો? નકલી દૂધ હોવાને કારણે શરીર પર ગંભીર અસર થતી હોય છે. અનેક વખત આપણને સમાચાર મળે છે કે આજે આ જગ્યાએથી આ ખાદ્યપદાર્થનો નકલી જથ્થો ઝડપાયો, ત્યારે બોટાદથી 400 લીટર નકલી દૂધ પકડાયું છે. મિલ્ક પાવડર અને પાણીના ઉપયોગથી નકલી દૂધ બનાવવામાં આવતું હતું. બોટાદ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી નકલી દૂધ પકડાયું છે.



સેમ્પલ મોકલાયા લેબોરેટરીમાં  

હકીકતમાં બોટાદ એલસીબીએ મળેલી બાતમીના આધારે બુબાવાવ ગામમાં જેજેરામ સંતરામભાઈ ગોંડલિયાને ત્યાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન દૂધમાં મિલાવટ થતી હોય તેવી વાત સામે આવી છે. દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની વાત ,સામે આવતા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મામલતદાર રાણપુર તેમજ ભાવનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સેમ્પલના ટેસ્ટ કરાવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા.


બનાવટી દૂધ કઈ ડેરીમાં મોકલાયું તે અંગે કરાઈ છે તપાસ 

પ્રાથમિક માહિતી અનુસાર નકલી દૂધ વનસ્પતિ તેલ ઉમેરીને બનાવવામાં આવતું હતું. મિલ્ક પાવડરને મિક્સ્ચરમાં મિક્સ કરીને તેમાં વનસ્પતિ તેલ ઉમેરવામાં આવતું હતું. તપાસ દરમિયાન પોલીસને 400 લીટર નકલી દૂધ ઉપરાંત 91520 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ભેળસેળવાળું દૂધ કઈ ડેરીમાં મોકલવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ થઈ રહી છે. 



ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જીવન માટે જોખમી છે 

મહત્વનું છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં નકલી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. નકલી વસ્તુને જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તેનો ટેસ્ટ એકદમ ઓરિજિનલ લાગે છે અથવા તો ઓરિજિનલ કરતા પણ વધારે સારો લાગે છે. નકલી વસ્તુઓ વેચી વધારે પૈસા કમાવાની લાલચ અનેક વખત બીજા લોકો માટે જીવલેણ સાબિત થતી હોય છે.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી