3 વાગ્યા સુધી થયું 47.03 ટકા મતદાન, Valsad, Jamnagar, Bharuch સહિત લોકસભા બેઠકોમાં થયું આટલા ટકા મતદાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-07 15:59:31

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન વલસાડમાં થયું છે.. તે સિવાય 50 ટકાથી ઉપર મતદાન સાબરકાંઠામાં, છોટા ઉદેપુરમાં, ભરૂચ, બારડોલીમાં થયું છે. સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે.. મહત્વનું છે કે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે...



આ જગ્યાઓ પર આટલા ટકા થયું મતદાન

3 વાગ્યા સુધી કચ્છમાં અંદાજીત 41.18 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 55.74 ટકા, પાટણમાં 46.69 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 48.15 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 50.36 ટકા મતદાન, ગાંધીનગરમાં 48.99 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 43.55 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 42.21 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 40.93 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 46.67 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 37.96 ટકા મતદાન 3 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 42.52 ટકા મતદાન, જૂનાગઢમાં 44.47 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 37.82 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 40.96 ટકા મતદાન થયું છે. આણંદમાં52.49 ટકા મતદાન થયું છે. ખેડામાં 46.11 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 45.72 ટકા મતદાન થયું છે. દાહોદમાં 46.97 ટકા મતદાન થયું છે. વડોદરામાં 48.48 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 54.24 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 54.90 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 51.97 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 48.03 ટકા મતદાન થયું છે. વલસાડમાં 58.05 ટકા મતદાન થયું છે...   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે