3 વાગ્યા સુધી થયું 47.03 ટકા મતદાન, Valsad, Jamnagar, Bharuch સહિત લોકસભા બેઠકોમાં થયું આટલા ટકા મતદાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-07 15:59:31

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન વલસાડમાં થયું છે.. તે સિવાય 50 ટકાથી ઉપર મતદાન સાબરકાંઠામાં, છોટા ઉદેપુરમાં, ભરૂચ, બારડોલીમાં થયું છે. સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે.. મહત્વનું છે કે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે...



આ જગ્યાઓ પર આટલા ટકા થયું મતદાન

3 વાગ્યા સુધી કચ્છમાં અંદાજીત 41.18 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 55.74 ટકા, પાટણમાં 46.69 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 48.15 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 50.36 ટકા મતદાન, ગાંધીનગરમાં 48.99 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 43.55 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 42.21 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 40.93 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 46.67 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 37.96 ટકા મતદાન 3 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 42.52 ટકા મતદાન, જૂનાગઢમાં 44.47 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 37.82 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 40.96 ટકા મતદાન થયું છે. આણંદમાં52.49 ટકા મતદાન થયું છે. ખેડામાં 46.11 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 45.72 ટકા મતદાન થયું છે. દાહોદમાં 46.97 ટકા મતદાન થયું છે. વડોદરામાં 48.48 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 54.24 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 54.90 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 51.97 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 48.03 ટકા મતદાન થયું છે. વલસાડમાં 58.05 ટકા મતદાન થયું છે...   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.