3 વાગ્યા સુધી થયું 47.03 ટકા મતદાન, Valsad, Jamnagar, Bharuch સહિત લોકસભા બેઠકોમાં થયું આટલા ટકા મતદાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-07 15:59:31

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન વલસાડમાં થયું છે.. તે સિવાય 50 ટકાથી ઉપર મતદાન સાબરકાંઠામાં, છોટા ઉદેપુરમાં, ભરૂચ, બારડોલીમાં થયું છે. સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે.. મહત્વનું છે કે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે...



આ જગ્યાઓ પર આટલા ટકા થયું મતદાન

3 વાગ્યા સુધી કચ્છમાં અંદાજીત 41.18 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 55.74 ટકા, પાટણમાં 46.69 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 48.15 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 50.36 ટકા મતદાન, ગાંધીનગરમાં 48.99 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 43.55 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 42.21 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 40.93 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 46.67 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 37.96 ટકા મતદાન 3 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 42.52 ટકા મતદાન, જૂનાગઢમાં 44.47 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 37.82 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 40.96 ટકા મતદાન થયું છે. આણંદમાં52.49 ટકા મતદાન થયું છે. ખેડામાં 46.11 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 45.72 ટકા મતદાન થયું છે. દાહોદમાં 46.97 ટકા મતદાન થયું છે. વડોદરામાં 48.48 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 54.24 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 54.90 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 51.97 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 48.03 ટકા મતદાન થયું છે. વલસાડમાં 58.05 ટકા મતદાન થયું છે...   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે