Loksabhaના વધુ 49 સાંસદોને કરાયા સસ્પેન્ડ, નિલંબિત થયેલા સાંસદોને આંકડો પહોંચ્યો 141 પર


  • Published By :
  • Published Date : 2023-12-19 14:33:38

સંસદમાં શિયાળા સત્રમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. સુરક્ષા ચૂક બાદ લોકસભામાં વિપક્ષી સાંસદો સતત હોબાળો કરી રહ્યા છે. હજી સુધી 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે પણ વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ નિલંબિત થયેલા સાસંદોનો આંકડો 141 પર પહોંચ્યો છે. 

49 સાંસદોને આજે કરાયા સસ્પેન્ડ

થોડા દિવસ પહેલા લોકસભામાં લોકો ઘૂસી આવ્યા હતા. તે બાદ વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. ગઈકાલે પણ 92 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં વી વેન્થિલિંગમ, ગુરજીત સિંહ ઔજલા, સુપ્રિયા સુલે, સપ્તગિરી ઉલાકા, અદૂર પ્રકાશ, અબ્દુલ સમદ સમદાની, મનીષ તિવારી, પ્રદ્યુત બોરદોલોઈ, ગિરધારી યાદવ, ગીતા કોડા, ફ્રાન્સિસ્કો સાર્દિન્હા, જગત રક્ષમ, એસઆર પાર્થિવન, ફારૂક અબ્દુલ્લા, ગણેશ મુર્તિ, એ. , માલા રાય, વેલુસામી, એ ચાંદકુમાર, શશિ થરૂર, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંદોપાધ્યાય, ડિમ્પલ યાદવ, હસનૈન મસૂદી સહિતના સાંસદોને સમાવેશ થાય છે.     


ચંદ્ર ગોસ્વામી, રવનીત બિટ્ટુ, દિનેશ યાદવ, કે સુધાકરણ, મોહમ્મદ સાદિક, એમકે વિષ્ણુ પ્રસાદ, પીપી મોહમ્મદ ફૈઝલ, સાજદા અહેમદ, જસવીર સિંહ ગિલ, મહાબલી સિંહ, અમોલ કોલ્હે, સુશીલ કુમાર રિંકુ, સુનીલ કુમાર સિંહ, એચટી હસન, એમ ધનુષ કુમાર, પ્રતિભા સિંહ, થોલ થોલમાવલમ, ચંદ્રેશ્વર પ્રસાદ, આલોક કુમાર સુમન, દિલેશ્વર કામતને મંગળવારે એટલે કે આજે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


141 સાંસદોને હજી સુધી કરાયા છે સસ્પેન્ડ

સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. ગૃહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી જવાબ આપે તેવી માગ કરી રહ્યા છે. અમિત શાહ આ મામલે જવાબ આપે તેવી માગ તે કરી રહ્યા છે. લોકસભામાં ખુરશીનું અપમાન કરવા બદલ આજે ફરી અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના નામ સામેલ છે.કુલ 41 સાંસદોને આજે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના 8 સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 141 સાંસદોને સંસદના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 18 ડિસેમ્બર સુધી કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે