Loksabhaના વધુ 49 સાંસદોને કરાયા સસ્પેન્ડ, નિલંબિત થયેલા સાંસદોને આંકડો પહોંચ્યો 141 પર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-19 14:33:38

સંસદમાં શિયાળા સત્રમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. સુરક્ષા ચૂક બાદ લોકસભામાં વિપક્ષી સાંસદો સતત હોબાળો કરી રહ્યા છે. હજી સુધી 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે પણ વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ નિલંબિત થયેલા સાસંદોનો આંકડો 141 પર પહોંચ્યો છે. 

49 સાંસદોને આજે કરાયા સસ્પેન્ડ

થોડા દિવસ પહેલા લોકસભામાં લોકો ઘૂસી આવ્યા હતા. તે બાદ વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. ગઈકાલે પણ 92 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં વી વેન્થિલિંગમ, ગુરજીત સિંહ ઔજલા, સુપ્રિયા સુલે, સપ્તગિરી ઉલાકા, અદૂર પ્રકાશ, અબ્દુલ સમદ સમદાની, મનીષ તિવારી, પ્રદ્યુત બોરદોલોઈ, ગિરધારી યાદવ, ગીતા કોડા, ફ્રાન્સિસ્કો સાર્દિન્હા, જગત રક્ષમ, એસઆર પાર્થિવન, ફારૂક અબ્દુલ્લા, ગણેશ મુર્તિ, એ. , માલા રાય, વેલુસામી, એ ચાંદકુમાર, શશિ થરૂર, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંદોપાધ્યાય, ડિમ્પલ યાદવ, હસનૈન મસૂદી સહિતના સાંસદોને સમાવેશ થાય છે.     


ચંદ્ર ગોસ્વામી, રવનીત બિટ્ટુ, દિનેશ યાદવ, કે સુધાકરણ, મોહમ્મદ સાદિક, એમકે વિષ્ણુ પ્રસાદ, પીપી મોહમ્મદ ફૈઝલ, સાજદા અહેમદ, જસવીર સિંહ ગિલ, મહાબલી સિંહ, અમોલ કોલ્હે, સુશીલ કુમાર રિંકુ, સુનીલ કુમાર સિંહ, એચટી હસન, એમ ધનુષ કુમાર, પ્રતિભા સિંહ, થોલ થોલમાવલમ, ચંદ્રેશ્વર પ્રસાદ, આલોક કુમાર સુમન, દિલેશ્વર કામતને મંગળવારે એટલે કે આજે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


141 સાંસદોને હજી સુધી કરાયા છે સસ્પેન્ડ

સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. ગૃહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી જવાબ આપે તેવી માગ કરી રહ્યા છે. અમિત શાહ આ મામલે જવાબ આપે તેવી માગ તે કરી રહ્યા છે. લોકસભામાં ખુરશીનું અપમાન કરવા બદલ આજે ફરી અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના નામ સામેલ છે.કુલ 41 સાંસદોને આજે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના 8 સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 141 સાંસદોને સંસદના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 18 ડિસેમ્બર સુધી કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.