Loksabhaના વધુ 49 સાંસદોને કરાયા સસ્પેન્ડ, નિલંબિત થયેલા સાંસદોને આંકડો પહોંચ્યો 141 પર


  • Published By :
  • Published Date : 2023-12-19 14:33:38

સંસદમાં શિયાળા સત્રમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. સુરક્ષા ચૂક બાદ લોકસભામાં વિપક્ષી સાંસદો સતત હોબાળો કરી રહ્યા છે. હજી સુધી 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે પણ વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ નિલંબિત થયેલા સાસંદોનો આંકડો 141 પર પહોંચ્યો છે. 

49 સાંસદોને આજે કરાયા સસ્પેન્ડ

થોડા દિવસ પહેલા લોકસભામાં લોકો ઘૂસી આવ્યા હતા. તે બાદ વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. ગઈકાલે પણ 92 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં વી વેન્થિલિંગમ, ગુરજીત સિંહ ઔજલા, સુપ્રિયા સુલે, સપ્તગિરી ઉલાકા, અદૂર પ્રકાશ, અબ્દુલ સમદ સમદાની, મનીષ તિવારી, પ્રદ્યુત બોરદોલોઈ, ગિરધારી યાદવ, ગીતા કોડા, ફ્રાન્સિસ્કો સાર્દિન્હા, જગત રક્ષમ, એસઆર પાર્થિવન, ફારૂક અબ્દુલ્લા, ગણેશ મુર્તિ, એ. , માલા રાય, વેલુસામી, એ ચાંદકુમાર, શશિ થરૂર, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંદોપાધ્યાય, ડિમ્પલ યાદવ, હસનૈન મસૂદી સહિતના સાંસદોને સમાવેશ થાય છે.     


ચંદ્ર ગોસ્વામી, રવનીત બિટ્ટુ, દિનેશ યાદવ, કે સુધાકરણ, મોહમ્મદ સાદિક, એમકે વિષ્ણુ પ્રસાદ, પીપી મોહમ્મદ ફૈઝલ, સાજદા અહેમદ, જસવીર સિંહ ગિલ, મહાબલી સિંહ, અમોલ કોલ્હે, સુશીલ કુમાર રિંકુ, સુનીલ કુમાર સિંહ, એચટી હસન, એમ ધનુષ કુમાર, પ્રતિભા સિંહ, થોલ થોલમાવલમ, ચંદ્રેશ્વર પ્રસાદ, આલોક કુમાર સુમન, દિલેશ્વર કામતને મંગળવારે એટલે કે આજે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


141 સાંસદોને હજી સુધી કરાયા છે સસ્પેન્ડ

સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. ગૃહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી જવાબ આપે તેવી માગ કરી રહ્યા છે. અમિત શાહ આ મામલે જવાબ આપે તેવી માગ તે કરી રહ્યા છે. લોકસભામાં ખુરશીનું અપમાન કરવા બદલ આજે ફરી અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના નામ સામેલ છે.કુલ 41 સાંસદોને આજે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના 8 સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 141 સાંસદોને સંસદના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 18 ડિસેમ્બર સુધી કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.