ભારતમાં 5જી ક્રાંતિ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 13:45:42

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતેથી 5જી સેવાની શરૂઆત કરી છે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિમાં વડાપ્રધાન મોદીએ 5જી સેવા લોન્ચ કરી છે.  પ્રસંગે Bharti Airtel અને Reliance Jio ના ચેરમેન પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી સાથે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, આકાશ અંબાણી, સુનિલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલાએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.


Bharti Airtel અને Reliance Jio PM મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસી અને ગુજરાતના ગૃહ રાજ્યમાં અમદાવાદમાં 5G મોબાઇલ સેવા શરૂ કરવા જઈ રહી છે. આ સ્થળોએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

શું થસે 5Gથી ફાઇદા ?


5Gથી એક મોટો ફાઈદોએ થશે કે તમે હાઈસ્પીડ ઇન્ટરનેટ વાપરી શકશો. અને વિડિયો ગેમીંગ ક્ષેત્રમાં એક આગવો પરિવર્તન લાવશે. હવે વિડિયો  બફર ફ્રી સ્ટ્રીમ કરી શકશે ઉપરાંત ઇન્ટરનેટ કોલમાં જે પ્રોબ્લેમ હતી અવાજ અને વિડિયોની એ પણ હવે નહીં થાય. અને સૌથી મોટી વાત તો એ કે 2 GBનું મૂવી 15 થી 20 સેકેન્ડમાં ડાઉનલોડ થઈ જશે. કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે. 


કેવી રીતે મળશે 5G સેવા ?

અત્યારે 5G ઉપયોગ કરવા તમારે કોઈ નવું સીમકાર્ડ લેવા ની જરૂર પડશે નહીં તમે માત્ર તમારા જૂન સીમમાં સેવા શરૂ કરાવી શકશો પરંતુ તમારો મોબાઈલ ફોન 5G સપોર્ટ હોવો જરૂરી છે.માત્ર 5G સપોર્ટ જ નહીં, તેના પર એ બેન્ડ્સ હોવા પણ જરૂરી છે, જેના પર સેવા ઉપલબ્ધ થશે.





લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.