ભારતમાં 5જી ક્રાંતિ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 13:45:42

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતેથી 5જી સેવાની શરૂઆત કરી છે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિમાં વડાપ્રધાન મોદીએ 5જી સેવા લોન્ચ કરી છે.  પ્રસંગે Bharti Airtel અને Reliance Jio ના ચેરમેન પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી સાથે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, આકાશ અંબાણી, સુનિલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલાએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.


Bharti Airtel અને Reliance Jio PM મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસી અને ગુજરાતના ગૃહ રાજ્યમાં અમદાવાદમાં 5G મોબાઇલ સેવા શરૂ કરવા જઈ રહી છે. આ સ્થળોએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

શું થસે 5Gથી ફાઇદા ?


5Gથી એક મોટો ફાઈદોએ થશે કે તમે હાઈસ્પીડ ઇન્ટરનેટ વાપરી શકશો. અને વિડિયો ગેમીંગ ક્ષેત્રમાં એક આગવો પરિવર્તન લાવશે. હવે વિડિયો  બફર ફ્રી સ્ટ્રીમ કરી શકશે ઉપરાંત ઇન્ટરનેટ કોલમાં જે પ્રોબ્લેમ હતી અવાજ અને વિડિયોની એ પણ હવે નહીં થાય. અને સૌથી મોટી વાત તો એ કે 2 GBનું મૂવી 15 થી 20 સેકેન્ડમાં ડાઉનલોડ થઈ જશે. કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે. 


કેવી રીતે મળશે 5G સેવા ?

અત્યારે 5G ઉપયોગ કરવા તમારે કોઈ નવું સીમકાર્ડ લેવા ની જરૂર પડશે નહીં તમે માત્ર તમારા જૂન સીમમાં સેવા શરૂ કરાવી શકશો પરંતુ તમારો મોબાઈલ ફોન 5G સપોર્ટ હોવો જરૂરી છે.માત્ર 5G સપોર્ટ જ નહીં, તેના પર એ બેન્ડ્સ હોવા પણ જરૂરી છે, જેના પર સેવા ઉપલબ્ધ થશે.





અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.