ભારતમાં 5જી ક્રાંતિ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 13:45:42

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતેથી 5જી સેવાની શરૂઆત કરી છે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિમાં વડાપ્રધાન મોદીએ 5જી સેવા લોન્ચ કરી છે.  પ્રસંગે Bharti Airtel અને Reliance Jio ના ચેરમેન પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી સાથે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, આકાશ અંબાણી, સુનિલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલાએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.


Bharti Airtel અને Reliance Jio PM મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસી અને ગુજરાતના ગૃહ રાજ્યમાં અમદાવાદમાં 5G મોબાઇલ સેવા શરૂ કરવા જઈ રહી છે. આ સ્થળોએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

શું થસે 5Gથી ફાઇદા ?


5Gથી એક મોટો ફાઈદોએ થશે કે તમે હાઈસ્પીડ ઇન્ટરનેટ વાપરી શકશો. અને વિડિયો ગેમીંગ ક્ષેત્રમાં એક આગવો પરિવર્તન લાવશે. હવે વિડિયો  બફર ફ્રી સ્ટ્રીમ કરી શકશે ઉપરાંત ઇન્ટરનેટ કોલમાં જે પ્રોબ્લેમ હતી અવાજ અને વિડિયોની એ પણ હવે નહીં થાય. અને સૌથી મોટી વાત તો એ કે 2 GBનું મૂવી 15 થી 20 સેકેન્ડમાં ડાઉનલોડ થઈ જશે. કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે. 


કેવી રીતે મળશે 5G સેવા ?

અત્યારે 5G ઉપયોગ કરવા તમારે કોઈ નવું સીમકાર્ડ લેવા ની જરૂર પડશે નહીં તમે માત્ર તમારા જૂન સીમમાં સેવા શરૂ કરાવી શકશો પરંતુ તમારો મોબાઈલ ફોન 5G સપોર્ટ હોવો જરૂરી છે.માત્ર 5G સપોર્ટ જ નહીં, તેના પર એ બેન્ડ્સ હોવા પણ જરૂરી છે, જેના પર સેવા ઉપલબ્ધ થશે.





આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.