બેંક કર્મચારીઓએ ફરી હડતાળનું ઉગામ્યું શસ્ત્ર, બેંકોમાં આટલા દિવસ સુધી રહેશે કામકાજ ઠપ


  • Published By :
  • Published Date : 2023-11-17 18:14:37

દેશની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ ફરી એક વખત હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આગામી ડિસેમ્બર મહિનામાં બેંકોનું કામકાજ કેટલાક દિવસો સુધી ઠપ થઈ જશે. ઓલ ઈન્ડિયા બેંક ઓમ્પ્લોઈઝ એસોશિયેશન (AIBEA)એ આ મામલે એક નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપી છે. AIBEAએ ડિસેમ્બર 2023માં બેંકોમાં અલગ-અલગ તારીખોએ હડતાલની જાહેરાત કરી છે. આ હડતાળ 4 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ચાલશે. 


આ દિવસે બેંકોમાં રહેશે હડતાળ


બેંક યુનિયનના એલાન પ્રમાણે 4થી 11 ડિસેમ્બર દરમ્યાન અલગ-અલગ બેંકોના કર્મચારી જુદા-જુદા દિવસે હડતાળ પાડશે. 4 ડિસેમ્બરે પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક તથા પંજાબ એન્ડ સિંધ બેન્કમાં હડતાળ રહેશે. 5 ડિસેમ્બરે બેંક ઓફ બરોડા તથા બેંક ઓફ ઈન્ડીયામાં હડતાળ રહેશે. 6 ડિસેમ્બરે કેનેડા બેંક તથા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, 7 ડિસેમ્બરે ઈન્ડીયન બેંક તથા યુકો બેંક 8 ડિસેમ્બરે યુનિયન બેંક ઓફ ઈન્ડીયા તથા બેંક ઓફ મહારાષ્ટ્ર અને 11 ડિસેમ્બરે ખાનગી બેંકોમાં હડતાળ રહેશે.


શા માટે હડતાળ?


બેંકોમાં આઉટસોર્સિંગ બંધ કરીને ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા સહિતની માંગણીઓ સાથે બેંક કર્મચારી યુનિયન દ્વારા આવતા મહિનામાં હડતાળનું એલાન કરાયું છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે સરકાર તથા બેંક મેનેજમેન્ટ કલાર્કની જગ્યાઓમાં કાપ મુકીને સુપરવાઈઝરી સ્ટાફની સંખ્યા વધારી રહી છે. ઔદ્યોગીક તકરાર કાયદા હેઠળ છટકવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યાની શંકા છે, જેનો કર્મચારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા એકશન પ્લાન હેઠળ જુદા-જુદા દિવસોમાં અલગ-અલગ બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાશે એટલે બેંકીંગ કામગીરી વ્યાપક રીતે પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.