બેંક કર્મચારીઓએ ફરી હડતાળનું ઉગામ્યું શસ્ત્ર, બેંકોમાં આટલા દિવસ સુધી રહેશે કામકાજ ઠપ


  • Published By :
  • Published Date : 2023-11-17 18:14:37

દેશની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ ફરી એક વખત હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આગામી ડિસેમ્બર મહિનામાં બેંકોનું કામકાજ કેટલાક દિવસો સુધી ઠપ થઈ જશે. ઓલ ઈન્ડિયા બેંક ઓમ્પ્લોઈઝ એસોશિયેશન (AIBEA)એ આ મામલે એક નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપી છે. AIBEAએ ડિસેમ્બર 2023માં બેંકોમાં અલગ-અલગ તારીખોએ હડતાલની જાહેરાત કરી છે. આ હડતાળ 4 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ચાલશે. 


આ દિવસે બેંકોમાં રહેશે હડતાળ


બેંક યુનિયનના એલાન પ્રમાણે 4થી 11 ડિસેમ્બર દરમ્યાન અલગ-અલગ બેંકોના કર્મચારી જુદા-જુદા દિવસે હડતાળ પાડશે. 4 ડિસેમ્બરે પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક તથા પંજાબ એન્ડ સિંધ બેન્કમાં હડતાળ રહેશે. 5 ડિસેમ્બરે બેંક ઓફ બરોડા તથા બેંક ઓફ ઈન્ડીયામાં હડતાળ રહેશે. 6 ડિસેમ્બરે કેનેડા બેંક તથા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, 7 ડિસેમ્બરે ઈન્ડીયન બેંક તથા યુકો બેંક 8 ડિસેમ્બરે યુનિયન બેંક ઓફ ઈન્ડીયા તથા બેંક ઓફ મહારાષ્ટ્ર અને 11 ડિસેમ્બરે ખાનગી બેંકોમાં હડતાળ રહેશે.


શા માટે હડતાળ?


બેંકોમાં આઉટસોર્સિંગ બંધ કરીને ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા સહિતની માંગણીઓ સાથે બેંક કર્મચારી યુનિયન દ્વારા આવતા મહિનામાં હડતાળનું એલાન કરાયું છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે સરકાર તથા બેંક મેનેજમેન્ટ કલાર્કની જગ્યાઓમાં કાપ મુકીને સુપરવાઈઝરી સ્ટાફની સંખ્યા વધારી રહી છે. ઔદ્યોગીક તકરાર કાયદા હેઠળ છટકવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યાની શંકા છે, જેનો કર્મચારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા એકશન પ્લાન હેઠળ જુદા-જુદા દિવસોમાં અલગ-અલગ બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાશે એટલે બેંકીંગ કામગીરી વ્યાપક રીતે પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.