અમેરિકામાં ઘુસવા 66 ગુજરાતીઓએ એજન્ટોને 60થી 80 લાખ રૂપિયા ચૂકવ્યા, 15 એજન્ટો ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-03 15:32:42

ગુજરાતીઓમાં અમેરિકા જવાની ઘેલછા ગાંડપણની હદે પહોંચી છે, કોઈ પણ રસ્તે અમેરિકા પહોંચવા માગતા ગુજરાતીઓના કારણે એજન્ટો માલામાલ થઈ રહ્યા છે. તાજેતરમાં દુબઇથી ગેરકાયદેસર રીતે ફ્લાઇટ ભાડે કરીને જતા 260 ભારતીયો સાથે 300 જેટલા લોકોને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. ફ્રાંસ પોલીસે  શંકાને આધારે પેસેન્જરોના પાસપોર્ટ તપાસ્યા ત્યારે  પાસપોર્ટમાં નિકારાગુઆ જવાના વિઝા સ્ટેમ્પ ન જોવા મળતા ફ્લાઇટમાં રહેતા 303 જેટલા લોકોની અટકાયત કરી હતી. જેમાં 66 જેટલા ગુજરાતીઓ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ રાજ્યમાં ચાલતા કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. 


15 એજન્ટોએ રૂ.60-80 લાખ પડાવ્યા


સીઆઇડી ક્રાઇમે કબૂતરબાજીના કૌભાંડમાં ફ્રાંસથી પરત ફરેલા ગુજરાતીઓને લઈ મોટો ખુલાસો કર્યો છે. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે 15 એજન્ટોએ 60થી 80 લાખ રૂપિયા લઇને 66 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યા હતા. આ મુસાફરો મહેસાણા, ગાંધીનગર, આણંદ તેમજ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે. આ લોકોએ ધોરણ આઠથી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ લોકલ એજન્ટ મારફતે 60થી 80 લાખ રૂપિયા ચૂકવી અમદાવાદથી દુબઈ, દુબઈથી નિકારા ગુઆ અને ત્યાંથી અમેરિકા જવાના હતા. આ માટે મુસાફરોને સાથે રાખવા માટે એજન્ટોએ એક હજારથી 3 હજાર ડૉલર આપ્યા હતા. અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી 10 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન દુબઇ પહોંચ્યા હતા. બાદમાં 21 ડિસેમ્બર લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટમાં નિકારાગુઆ જવા માટે નીકળ્યા હતા. 


મોટાભાગના ધોરણ 8 થી 12 સુધી ભણેલા

  

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તમામ 66 મુસાફરોના નિવેદનો નોંધવાની સાથે તેમના સગાઓ અને મિત્રોની પણ પુછપરછ કરવામાં આવતા સીઆઇડી  ક્રાઇમને 15 એજન્ટોના નામ અને મોબાઇલ નંબર મળ્યા હતા. એક કરોડના પેકેજમાં મેક્સિકો-અમેરિકા બોર્ડર પરથી ટ્રમ્પ વોલ ક્રોસ કરવા દેવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાંક એજન્ટોએ નિકારાગુઆથી મેક્સિકો જવા માટે વિવિધ સુવિદ્યાઓ આપવા માટે એક હજાર ડોલરથી ત્રણ હજાર ડોલર સુધીની રકમ નક્કી થઇ હતી. 66 મુસાફરોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  મોટાભાગના ધોરણ 8 થી 12 સુધી ભણેલા છે. જેના કારણે સારા પગારની નોકરી ન મળતા ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. તપાસનો રેલો ઘર સુધી પહોંચતા તમામ 15 એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને ઝડપી લેવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે તમામની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે