અમેરિકામાં ઘુસવા 66 ગુજરાતીઓએ એજન્ટોને 60થી 80 લાખ રૂપિયા ચૂકવ્યા, 15 એજન્ટો ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-03 15:32:42

ગુજરાતીઓમાં અમેરિકા જવાની ઘેલછા ગાંડપણની હદે પહોંચી છે, કોઈ પણ રસ્તે અમેરિકા પહોંચવા માગતા ગુજરાતીઓના કારણે એજન્ટો માલામાલ થઈ રહ્યા છે. તાજેતરમાં દુબઇથી ગેરકાયદેસર રીતે ફ્લાઇટ ભાડે કરીને જતા 260 ભારતીયો સાથે 300 જેટલા લોકોને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. ફ્રાંસ પોલીસે  શંકાને આધારે પેસેન્જરોના પાસપોર્ટ તપાસ્યા ત્યારે  પાસપોર્ટમાં નિકારાગુઆ જવાના વિઝા સ્ટેમ્પ ન જોવા મળતા ફ્લાઇટમાં રહેતા 303 જેટલા લોકોની અટકાયત કરી હતી. જેમાં 66 જેટલા ગુજરાતીઓ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ રાજ્યમાં ચાલતા કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. 


15 એજન્ટોએ રૂ.60-80 લાખ પડાવ્યા


સીઆઇડી ક્રાઇમે કબૂતરબાજીના કૌભાંડમાં ફ્રાંસથી પરત ફરેલા ગુજરાતીઓને લઈ મોટો ખુલાસો કર્યો છે. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે 15 એજન્ટોએ 60થી 80 લાખ રૂપિયા લઇને 66 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યા હતા. આ મુસાફરો મહેસાણા, ગાંધીનગર, આણંદ તેમજ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે. આ લોકોએ ધોરણ આઠથી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ લોકલ એજન્ટ મારફતે 60થી 80 લાખ રૂપિયા ચૂકવી અમદાવાદથી દુબઈ, દુબઈથી નિકારા ગુઆ અને ત્યાંથી અમેરિકા જવાના હતા. આ માટે મુસાફરોને સાથે રાખવા માટે એજન્ટોએ એક હજારથી 3 હજાર ડૉલર આપ્યા હતા. અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી 10 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન દુબઇ પહોંચ્યા હતા. બાદમાં 21 ડિસેમ્બર લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટમાં નિકારાગુઆ જવા માટે નીકળ્યા હતા. 


મોટાભાગના ધોરણ 8 થી 12 સુધી ભણેલા

  

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તમામ 66 મુસાફરોના નિવેદનો નોંધવાની સાથે તેમના સગાઓ અને મિત્રોની પણ પુછપરછ કરવામાં આવતા સીઆઇડી  ક્રાઇમને 15 એજન્ટોના નામ અને મોબાઇલ નંબર મળ્યા હતા. એક કરોડના પેકેજમાં મેક્સિકો-અમેરિકા બોર્ડર પરથી ટ્રમ્પ વોલ ક્રોસ કરવા દેવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાંક એજન્ટોએ નિકારાગુઆથી મેક્સિકો જવા માટે વિવિધ સુવિદ્યાઓ આપવા માટે એક હજાર ડોલરથી ત્રણ હજાર ડોલર સુધીની રકમ નક્કી થઇ હતી. 66 મુસાફરોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  મોટાભાગના ધોરણ 8 થી 12 સુધી ભણેલા છે. જેના કારણે સારા પગારની નોકરી ન મળતા ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. તપાસનો રેલો ઘર સુધી પહોંચતા તમામ 15 એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને ઝડપી લેવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે તમામની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.