એક જ પરિવારના 7 સભ્યોએ દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ, અંતિમ સંસ્કાર માટે ટ્રેક્ટરમાં લઈ જવાયા મૃતદેહ


  • Published By :
  • Published Date : 2022-10-31 15:02:59

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે. ત્યારે ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ પરિવારના 7 સભ્યોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જે 7 લોકોના મોત થયા છે તેમાંથી 5 મૃતકો તો બાળકો હતા. આ તમામ 7 લોકોના મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ યાત્રા દરમિયાન સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. 



મોતના આંક સતત વધી રહ્યા છે

રવિવારની સાંજે મચ્છુ નદી પર બનેલો ઝુલતો બ્રિજ અચાનક પડી જતા અનેક લોકો નદીમાં ડૂબી ગયા હતા. અંદાજીત આ ઘટનામાં 400 લોકો નદીમાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા રેસ્કયુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન થકી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો મોતને ભેટ્યા છે. મોતનો આંક સતત વધી રહ્યો છે. મળતા આંકડા મુજબ આ મોતનો આંક 130ને પાર પહોંચી ગયો છે.


એક જ પરિવારના 7 સભ્યોએ ગુમાવ્યો જીવ  

ઘટના બાદ મોરબીમાં દરેક વ્યક્તિ પોતાના પરિવારના સભ્યોને શોધી રહી છે. આ ઘટનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. કોઈકે પોતાનો દિકરો ગુમાવ્યો છે તો કોઈકે માતા પિતાને ગુમાવ્યા છે. આ ઘટનામાં ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ  પરિવારના 7 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે સાત લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો તેમાંથી 5 તો બાળકો હતા. આ ઘટનામાં અનેક બાળકો તથા મહિલાઓ મોતને ભેટ્યા છે. નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્તા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરિવારને ગુમાવનાર લોકો કોને દોષ આપે. સરકારને, કંપનીને કે કુદરતને... આમા જેની પણ ભૂલ હોય પરંતુ તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.