એક જ પરિવારના 7 સભ્યોએ દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ, અંતિમ સંસ્કાર માટે ટ્રેક્ટરમાં લઈ જવાયા મૃતદેહ


  • Published By :
  • Published Date : 2022-10-31 15:02:59

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે. ત્યારે ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ પરિવારના 7 સભ્યોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જે 7 લોકોના મોત થયા છે તેમાંથી 5 મૃતકો તો બાળકો હતા. આ તમામ 7 લોકોના મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ યાત્રા દરમિયાન સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. 



મોતના આંક સતત વધી રહ્યા છે

રવિવારની સાંજે મચ્છુ નદી પર બનેલો ઝુલતો બ્રિજ અચાનક પડી જતા અનેક લોકો નદીમાં ડૂબી ગયા હતા. અંદાજીત આ ઘટનામાં 400 લોકો નદીમાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા રેસ્કયુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન થકી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો મોતને ભેટ્યા છે. મોતનો આંક સતત વધી રહ્યો છે. મળતા આંકડા મુજબ આ મોતનો આંક 130ને પાર પહોંચી ગયો છે.


એક જ પરિવારના 7 સભ્યોએ ગુમાવ્યો જીવ  

ઘટના બાદ મોરબીમાં દરેક વ્યક્તિ પોતાના પરિવારના સભ્યોને શોધી રહી છે. આ ઘટનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. કોઈકે પોતાનો દિકરો ગુમાવ્યો છે તો કોઈકે માતા પિતાને ગુમાવ્યા છે. આ ઘટનામાં ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ  પરિવારના 7 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે સાત લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો તેમાંથી 5 તો બાળકો હતા. આ ઘટનામાં અનેક બાળકો તથા મહિલાઓ મોતને ભેટ્યા છે. નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્તા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરિવારને ગુમાવનાર લોકો કોને દોષ આપે. સરકારને, કંપનીને કે કુદરતને... આમા જેની પણ ભૂલ હોય પરંતુ તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.