એક જ પરિવારના 7 સભ્યોએ દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ, અંતિમ સંસ્કાર માટે ટ્રેક્ટરમાં લઈ જવાયા મૃતદેહ


  • Published By :
  • Published Date : 2022-10-31 15:02:59

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે. ત્યારે ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ પરિવારના 7 સભ્યોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જે 7 લોકોના મોત થયા છે તેમાંથી 5 મૃતકો તો બાળકો હતા. આ તમામ 7 લોકોના મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ યાત્રા દરમિયાન સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. 



મોતના આંક સતત વધી રહ્યા છે

રવિવારની સાંજે મચ્છુ નદી પર બનેલો ઝુલતો બ્રિજ અચાનક પડી જતા અનેક લોકો નદીમાં ડૂબી ગયા હતા. અંદાજીત આ ઘટનામાં 400 લોકો નદીમાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા રેસ્કયુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન થકી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો મોતને ભેટ્યા છે. મોતનો આંક સતત વધી રહ્યો છે. મળતા આંકડા મુજબ આ મોતનો આંક 130ને પાર પહોંચી ગયો છે.


એક જ પરિવારના 7 સભ્યોએ ગુમાવ્યો જીવ  

ઘટના બાદ મોરબીમાં દરેક વ્યક્તિ પોતાના પરિવારના સભ્યોને શોધી રહી છે. આ ઘટનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. કોઈકે પોતાનો દિકરો ગુમાવ્યો છે તો કોઈકે માતા પિતાને ગુમાવ્યા છે. આ ઘટનામાં ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ  પરિવારના 7 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે સાત લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો તેમાંથી 5 તો બાળકો હતા. આ ઘટનામાં અનેક બાળકો તથા મહિલાઓ મોતને ભેટ્યા છે. નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્તા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરિવારને ગુમાવનાર લોકો કોને દોષ આપે. સરકારને, કંપનીને કે કુદરતને... આમા જેની પણ ભૂલ હોય પરંતુ તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .