સાબરકાંઠાના હિંમતનગર પાસે ભયાનક અકસ્માતમાં અમદાવાદના 7 યુવાનોનું મૃત્યુ, કારના પતરા કાપી કાઢ્યા મૃતદેહ


  • Published By :
  • Published Date : 2024-09-25 14:57:44

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના પરિવારના માળા અકસ્માતને કારણે વિખેરાઈ ગયા.. ઓવરસ્પીડ ખતરો બની લોકોને ભરખી રહ્યી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો અને 7 લોકોના મૃત્યુ થયા... કરુણતા એ સર્જાય કે ગેસ કટરથી પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા.. એક વ્યક્તિની હાલત ગંભીર છે તેવી માહિતી સામે આવી છે.. આ ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા તે અમદાવાદના રહેવાસી હતા અને શામળાજી દર્શન કરવા માટે ગયા હતા અને પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ...

ટ્રેલર પાછળ ઘુસી ગયેલી ઇનોવા.


ગાડીને પતરાથી કાપવી પડી અને લાશોને બહાર કાઢવી પડી!

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં 7 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે. કારમાં સવાર તમામ યુવકો અમદાવાદના રહેવાસી હતા અને તેઓ શામળાજી તરફથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી. જેના કારણેગેસ કટરથી કારનાં પતરાં કાપી લાશોને બહાર કાઢવી પડી હતી.હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 




સારવાર અર્થે એક વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા! 

હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે.ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાસી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેના પિતા વહેલી સવારે અમદાવાદથી હિંમતનગર ખાતે પહોંચી આવ્યા હતા..



અનેક કારણો હોઈ શકે છે અકસ્માત પાછળ જવાબદાર!

ઘરેથી નીકળતી વખતે પરિવારને એમ હોય કે સમસયસર પરત આવી જશે.. પણ તમારી એક ભૂલ તમને કેટલી નડી શકે છે એ તમે આ ઘટના પરથી કલ્પના કરી શકો છો.... ઓવરસ્પીડના કારણે સાત લોકોના મોત થયા.... હજુ તપાસ પછી અન્ય કારણો પણ સામે આવશે... પણ જેટલા પણ અકસ્માતો સર્જાય છે તેમાં સૌથી મોટુ કારણ જ બેદરકારી સામે આવે છે... અકસ્માતો પાછળ પણ કારણ ઓવરસ્પીડ સામે આવ્યું છે.... આ સિવાય રોંગ સાઈડ ડ્રાઈવિંગ, લેન ડ્રાઈવિંગ ન હોય.... યોગ્ય પાર્કિંગ ન હોય... અન્ડર એઈજ ડ્રાઈવિંગ આ બધા કારણોથી સૌથી વધારે અકસ્માતો થાય છે... અકસ્માતો થાય અને આટલા મૃત્યુ થાય તો આપણે શ્રદ્ધાંજલિ તો આપી દઈશું... 




શું કહે છે અકસ્માતોનો આંકડો?

વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2021માં 15185 અને વર્ષ 2022માં 15751થી વધુ અકસ્માતો નોંધાયા છે એટલે કે રાજ્યમાં દરરોજ 40થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2020માં આ અકસ્માતની સંખ્યા 13398 હતી એટલે તેમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે...સમાચાર વાંચીને એકવાર અરેરાટી વ્યાપી જાય પણ પછી શું..... એમાંથી ક્યારેય કોઈ શીખ લીધી છે ખરી.. આનો જવાબ તમારે પોતાની જાતને આપવાનો છે.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.