ઘટતી આવક અને વધતી મોંઘવારીના કારણે 74.1% ભારતીયો સ્વાસ્થ્ય વર્ધક આહાર લેવામાં અસમર્થ : FAO રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-12-13 20:01:22

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન 2023એ મંગળવારે એક રિપોર્ટ લોન્ચ કર્યો છે. જેમાં જણાવાયું હતું કે 74.1% ભારતીયો 2021માં સ્વાસ્થ્ય વર્ધક આહાર લઈ શક્યા નહોંતા કારણ કે તેમને આર્થિક રીતે તે પરવડી શકતો નથી. આ આંકડો  2020 માં, 76.2 ટકા હતો. પાકિસ્તાનમાં, આ આંકડો 82.2 ટકા છે અને બાંગ્લાદેશમાં, 66.1 ટકા વસ્તીને સ્વસ્થવર્ધક આહાર શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, મોંઘવારી વધતા અને ઘટતી આવકના કારણે લોકોને સ્વાસ્થ્ય વર્ધક આહાર પરવડી શકતો નથી.


ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો


FAOના રિપોર્ટમાં જણાવાયું છે કે "જો ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો થાય છે અને આવકમાં તે જ સમયે ઘટાડો થાય છે, તો બમણી અસર થાય છે જેના પરિણામે વધુ લોકોને તંદુરસ્ત આહાર પરવડી શકતો નથી,"  FAO રિપોર્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એન્ડ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (WHA) વૈશ્વિક પોષણ લક્ષ્યોને પૂર્ણ કરવામાં પ્રગતિની ઝાંખી દર્શાવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન અને   “5Fs” ક્રાઈસીસ - ખોરાક, ખોરાક, ઈંધણ, ખાતર અને નાણા  ક્ષેત્રે ભયંકર આંકડા જોવા મળ્યા છે.


16.6% વસ્તી કુપોષિત 


રિપોર્ટમાં જણાવાયું છે કે દેશની 16.6% વસ્તી કુપોષિત છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે "કુપોષણની અસર આરોગ્ય અને પોષક સુખાકારી ઉપરાંત આર્થિક અને સામાજિક ખર્ચનો પણ સમાવેશ થાય છે" રિપોર્ટ અનુસાર “વિશ્વના અન્ય દેશોની તુલનામાં દક્ષિણ એશિયામાં ખાદ્ય અસુરક્ષાની સ્થિતી ચિંતાજનક છે, જો કે પૂર્વ એશિયામાં ગંભીર ખાદ્ય અસુરક્ષાનો વ્યાપ સૌથી ઓછો છે. "વિશ્વની તુલનામાં, દક્ષિણ એશિયામાં 2015 થી મધ્યમ અથવા ગંભીર અને અતિ ગંભીર ખાદ્ય અસુરક્ષાની ઊંચી ટકાવારી હતી."  


31.7% બાળકોનો અલ્પ વિકાસ

 

દેશના પાંચ વર્ષથી ઓછી ઉંમરના 31.7% બાળકોનો અલ્પ વિકાસથી પિડાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, "માતાના નબળા સ્વાસ્થ્ય , અપૂરતા પોષણ અને નાના બાળકને ખોરાક આપવાની પ્રથાઓ અને સતત સમયાંતરે વારંવાર થતા ચેપના પરિણામે શિશુંની વૃદ્ધિ અને વિકાસ પર વિપરીત અસર કરે છે."


27.4% શિશુનું ઓછું વજન


ભારતમાં બાળકોની ઓછી ઊંચાઈ અને ઓછું વજનનો દર દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી વધુ છે, જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 18.7% બાળકો આ મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, "બાળપણમાં શારિરીક નબળાઈને 5% ની નીચે સુધી ઘટાડવું અને જાળવવું એ WHA નો વૈશ્વિક પોષણ લક્ષ્ય છે." પાંચ વર્ષથી ઓછી ઉંમરના 2.8% બાળકોનું વજન વધારે હતું, જે અન્ય સ્વાસ્થ્ય માટેનું જોખમ હતું. જન્મ સમયે શિશુંના ઓછા વજનનું પ્રમાણ ભારતમાં 27.4% સાથે સૌથી વધુ છે, ત્યારબાદ બાંગ્લાદેશ અને નેપાળનો નંબર આવે છે.


અગાઉ ગ્લોબલ હંગર ઈન્ડેક્સે પણ આવા જ આંકડા જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે ગણતરીની પદ્ધતિને ખોટી ગણાવીને તે આંકડાઓને ફગાવી દીધા હતા. ઉલ્લેખનિય છે કે FAO તેના સભ્ય દેશોની સરકારો સાથે મળીને કામ કરે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.