ઘટતી આવક અને વધતી મોંઘવારીના કારણે 74.1% ભારતીયો સ્વાસ્થ્ય વર્ધક આહાર લેવામાં અસમર્થ : FAO રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-12-13 20:01:22

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન 2023એ મંગળવારે એક રિપોર્ટ લોન્ચ કર્યો છે. જેમાં જણાવાયું હતું કે 74.1% ભારતીયો 2021માં સ્વાસ્થ્ય વર્ધક આહાર લઈ શક્યા નહોંતા કારણ કે તેમને આર્થિક રીતે તે પરવડી શકતો નથી. આ આંકડો  2020 માં, 76.2 ટકા હતો. પાકિસ્તાનમાં, આ આંકડો 82.2 ટકા છે અને બાંગ્લાદેશમાં, 66.1 ટકા વસ્તીને સ્વસ્થવર્ધક આહાર શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, મોંઘવારી વધતા અને ઘટતી આવકના કારણે લોકોને સ્વાસ્થ્ય વર્ધક આહાર પરવડી શકતો નથી.


ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો


FAOના રિપોર્ટમાં જણાવાયું છે કે "જો ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો થાય છે અને આવકમાં તે જ સમયે ઘટાડો થાય છે, તો બમણી અસર થાય છે જેના પરિણામે વધુ લોકોને તંદુરસ્ત આહાર પરવડી શકતો નથી,"  FAO રિપોર્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એન્ડ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (WHA) વૈશ્વિક પોષણ લક્ષ્યોને પૂર્ણ કરવામાં પ્રગતિની ઝાંખી દર્શાવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન અને   “5Fs” ક્રાઈસીસ - ખોરાક, ખોરાક, ઈંધણ, ખાતર અને નાણા  ક્ષેત્રે ભયંકર આંકડા જોવા મળ્યા છે.


16.6% વસ્તી કુપોષિત 


રિપોર્ટમાં જણાવાયું છે કે દેશની 16.6% વસ્તી કુપોષિત છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે "કુપોષણની અસર આરોગ્ય અને પોષક સુખાકારી ઉપરાંત આર્થિક અને સામાજિક ખર્ચનો પણ સમાવેશ થાય છે" રિપોર્ટ અનુસાર “વિશ્વના અન્ય દેશોની તુલનામાં દક્ષિણ એશિયામાં ખાદ્ય અસુરક્ષાની સ્થિતી ચિંતાજનક છે, જો કે પૂર્વ એશિયામાં ગંભીર ખાદ્ય અસુરક્ષાનો વ્યાપ સૌથી ઓછો છે. "વિશ્વની તુલનામાં, દક્ષિણ એશિયામાં 2015 થી મધ્યમ અથવા ગંભીર અને અતિ ગંભીર ખાદ્ય અસુરક્ષાની ઊંચી ટકાવારી હતી."  


31.7% બાળકોનો અલ્પ વિકાસ

 

દેશના પાંચ વર્ષથી ઓછી ઉંમરના 31.7% બાળકોનો અલ્પ વિકાસથી પિડાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, "માતાના નબળા સ્વાસ્થ્ય , અપૂરતા પોષણ અને નાના બાળકને ખોરાક આપવાની પ્રથાઓ અને સતત સમયાંતરે વારંવાર થતા ચેપના પરિણામે શિશુંની વૃદ્ધિ અને વિકાસ પર વિપરીત અસર કરે છે."


27.4% શિશુનું ઓછું વજન


ભારતમાં બાળકોની ઓછી ઊંચાઈ અને ઓછું વજનનો દર દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી વધુ છે, જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 18.7% બાળકો આ મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, "બાળપણમાં શારિરીક નબળાઈને 5% ની નીચે સુધી ઘટાડવું અને જાળવવું એ WHA નો વૈશ્વિક પોષણ લક્ષ્ય છે." પાંચ વર્ષથી ઓછી ઉંમરના 2.8% બાળકોનું વજન વધારે હતું, જે અન્ય સ્વાસ્થ્ય માટેનું જોખમ હતું. જન્મ સમયે શિશુંના ઓછા વજનનું પ્રમાણ ભારતમાં 27.4% સાથે સૌથી વધુ છે, ત્યારબાદ બાંગ્લાદેશ અને નેપાળનો નંબર આવે છે.


અગાઉ ગ્લોબલ હંગર ઈન્ડેક્સે પણ આવા જ આંકડા જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે ગણતરીની પદ્ધતિને ખોટી ગણાવીને તે આંકડાઓને ફગાવી દીધા હતા. ઉલ્લેખનિય છે કે FAO તેના સભ્ય દેશોની સરકારો સાથે મળીને કામ કરે છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.