ઘટતી આવક અને વધતી મોંઘવારીના કારણે 74.1% ભારતીયો સ્વાસ્થ્ય વર્ધક આહાર લેવામાં અસમર્થ : FAO રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-12-13 20:01:22

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન 2023એ મંગળવારે એક રિપોર્ટ લોન્ચ કર્યો છે. જેમાં જણાવાયું હતું કે 74.1% ભારતીયો 2021માં સ્વાસ્થ્ય વર્ધક આહાર લઈ શક્યા નહોંતા કારણ કે તેમને આર્થિક રીતે તે પરવડી શકતો નથી. આ આંકડો  2020 માં, 76.2 ટકા હતો. પાકિસ્તાનમાં, આ આંકડો 82.2 ટકા છે અને બાંગ્લાદેશમાં, 66.1 ટકા વસ્તીને સ્વસ્થવર્ધક આહાર શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, મોંઘવારી વધતા અને ઘટતી આવકના કારણે લોકોને સ્વાસ્થ્ય વર્ધક આહાર પરવડી શકતો નથી.


ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો


FAOના રિપોર્ટમાં જણાવાયું છે કે "જો ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો થાય છે અને આવકમાં તે જ સમયે ઘટાડો થાય છે, તો બમણી અસર થાય છે જેના પરિણામે વધુ લોકોને તંદુરસ્ત આહાર પરવડી શકતો નથી,"  FAO રિપોર્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એન્ડ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (WHA) વૈશ્વિક પોષણ લક્ષ્યોને પૂર્ણ કરવામાં પ્રગતિની ઝાંખી દર્શાવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન અને   “5Fs” ક્રાઈસીસ - ખોરાક, ખોરાક, ઈંધણ, ખાતર અને નાણા  ક્ષેત્રે ભયંકર આંકડા જોવા મળ્યા છે.


16.6% વસ્તી કુપોષિત 


રિપોર્ટમાં જણાવાયું છે કે દેશની 16.6% વસ્તી કુપોષિત છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે "કુપોષણની અસર આરોગ્ય અને પોષક સુખાકારી ઉપરાંત આર્થિક અને સામાજિક ખર્ચનો પણ સમાવેશ થાય છે" રિપોર્ટ અનુસાર “વિશ્વના અન્ય દેશોની તુલનામાં દક્ષિણ એશિયામાં ખાદ્ય અસુરક્ષાની સ્થિતી ચિંતાજનક છે, જો કે પૂર્વ એશિયામાં ગંભીર ખાદ્ય અસુરક્ષાનો વ્યાપ સૌથી ઓછો છે. "વિશ્વની તુલનામાં, દક્ષિણ એશિયામાં 2015 થી મધ્યમ અથવા ગંભીર અને અતિ ગંભીર ખાદ્ય અસુરક્ષાની ઊંચી ટકાવારી હતી."  


31.7% બાળકોનો અલ્પ વિકાસ

 

દેશના પાંચ વર્ષથી ઓછી ઉંમરના 31.7% બાળકોનો અલ્પ વિકાસથી પિડાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, "માતાના નબળા સ્વાસ્થ્ય , અપૂરતા પોષણ અને નાના બાળકને ખોરાક આપવાની પ્રથાઓ અને સતત સમયાંતરે વારંવાર થતા ચેપના પરિણામે શિશુંની વૃદ્ધિ અને વિકાસ પર વિપરીત અસર કરે છે."


27.4% શિશુનું ઓછું વજન


ભારતમાં બાળકોની ઓછી ઊંચાઈ અને ઓછું વજનનો દર દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી વધુ છે, જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 18.7% બાળકો આ મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, "બાળપણમાં શારિરીક નબળાઈને 5% ની નીચે સુધી ઘટાડવું અને જાળવવું એ WHA નો વૈશ્વિક પોષણ લક્ષ્ય છે." પાંચ વર્ષથી ઓછી ઉંમરના 2.8% બાળકોનું વજન વધારે હતું, જે અન્ય સ્વાસ્થ્ય માટેનું જોખમ હતું. જન્મ સમયે શિશુંના ઓછા વજનનું પ્રમાણ ભારતમાં 27.4% સાથે સૌથી વધુ છે, ત્યારબાદ બાંગ્લાદેશ અને નેપાળનો નંબર આવે છે.


અગાઉ ગ્લોબલ હંગર ઈન્ડેક્સે પણ આવા જ આંકડા જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે ગણતરીની પદ્ધતિને ખોટી ગણાવીને તે આંકડાઓને ફગાવી દીધા હતા. ઉલ્લેખનિય છે કે FAO તેના સભ્ય દેશોની સરકારો સાથે મળીને કામ કરે છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.