ઘટતી આવક અને વધતી મોંઘવારીના કારણે 74.1% ભારતીયો સ્વાસ્થ્ય વર્ધક આહાર લેવામાં અસમર્થ : FAO રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-12-13 20:01:22

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન 2023એ મંગળવારે એક રિપોર્ટ લોન્ચ કર્યો છે. જેમાં જણાવાયું હતું કે 74.1% ભારતીયો 2021માં સ્વાસ્થ્ય વર્ધક આહાર લઈ શક્યા નહોંતા કારણ કે તેમને આર્થિક રીતે તે પરવડી શકતો નથી. આ આંકડો  2020 માં, 76.2 ટકા હતો. પાકિસ્તાનમાં, આ આંકડો 82.2 ટકા છે અને બાંગ્લાદેશમાં, 66.1 ટકા વસ્તીને સ્વસ્થવર્ધક આહાર શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, મોંઘવારી વધતા અને ઘટતી આવકના કારણે લોકોને સ્વાસ્થ્ય વર્ધક આહાર પરવડી શકતો નથી.


ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો


FAOના રિપોર્ટમાં જણાવાયું છે કે "જો ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો થાય છે અને આવકમાં તે જ સમયે ઘટાડો થાય છે, તો બમણી અસર થાય છે જેના પરિણામે વધુ લોકોને તંદુરસ્ત આહાર પરવડી શકતો નથી,"  FAO રિપોર્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એન્ડ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (WHA) વૈશ્વિક પોષણ લક્ષ્યોને પૂર્ણ કરવામાં પ્રગતિની ઝાંખી દર્શાવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન અને   “5Fs” ક્રાઈસીસ - ખોરાક, ખોરાક, ઈંધણ, ખાતર અને નાણા  ક્ષેત્રે ભયંકર આંકડા જોવા મળ્યા છે.


16.6% વસ્તી કુપોષિત 


રિપોર્ટમાં જણાવાયું છે કે દેશની 16.6% વસ્તી કુપોષિત છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે "કુપોષણની અસર આરોગ્ય અને પોષક સુખાકારી ઉપરાંત આર્થિક અને સામાજિક ખર્ચનો પણ સમાવેશ થાય છે" રિપોર્ટ અનુસાર “વિશ્વના અન્ય દેશોની તુલનામાં દક્ષિણ એશિયામાં ખાદ્ય અસુરક્ષાની સ્થિતી ચિંતાજનક છે, જો કે પૂર્વ એશિયામાં ગંભીર ખાદ્ય અસુરક્ષાનો વ્યાપ સૌથી ઓછો છે. "વિશ્વની તુલનામાં, દક્ષિણ એશિયામાં 2015 થી મધ્યમ અથવા ગંભીર અને અતિ ગંભીર ખાદ્ય અસુરક્ષાની ઊંચી ટકાવારી હતી."  


31.7% બાળકોનો અલ્પ વિકાસ

 

દેશના પાંચ વર્ષથી ઓછી ઉંમરના 31.7% બાળકોનો અલ્પ વિકાસથી પિડાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, "માતાના નબળા સ્વાસ્થ્ય , અપૂરતા પોષણ અને નાના બાળકને ખોરાક આપવાની પ્રથાઓ અને સતત સમયાંતરે વારંવાર થતા ચેપના પરિણામે શિશુંની વૃદ્ધિ અને વિકાસ પર વિપરીત અસર કરે છે."


27.4% શિશુનું ઓછું વજન


ભારતમાં બાળકોની ઓછી ઊંચાઈ અને ઓછું વજનનો દર દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી વધુ છે, જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 18.7% બાળકો આ મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, "બાળપણમાં શારિરીક નબળાઈને 5% ની નીચે સુધી ઘટાડવું અને જાળવવું એ WHA નો વૈશ્વિક પોષણ લક્ષ્ય છે." પાંચ વર્ષથી ઓછી ઉંમરના 2.8% બાળકોનું વજન વધારે હતું, જે અન્ય સ્વાસ્થ્ય માટેનું જોખમ હતું. જન્મ સમયે શિશુંના ઓછા વજનનું પ્રમાણ ભારતમાં 27.4% સાથે સૌથી વધુ છે, ત્યારબાદ બાંગ્લાદેશ અને નેપાળનો નંબર આવે છે.


અગાઉ ગ્લોબલ હંગર ઈન્ડેક્સે પણ આવા જ આંકડા જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે ગણતરીની પદ્ધતિને ખોટી ગણાવીને તે આંકડાઓને ફગાવી દીધા હતા. ઉલ્લેખનિય છે કે FAO તેના સભ્ય દેશોની સરકારો સાથે મળીને કામ કરે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.