મહારાષ્ટ્રમાં 75,000 સરકારી નોકરીઓની જાહેરાત !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 16:52:08


મહારાષ્ટ્ર સરકારે આવનાર એક વર્ષમાં રાજ્યમાં 75,000 સરકારી નોકરી આપવાનું એલાન કર્યું છે .દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એકનાથ શિંદેના નેતૃત્વ વાળી સરકાર એક વર્ષમાં 75 હજાર સરકારી નોકરી આપશે. ફડણવીસે યુવાનોને 10 લાખ રોજગારી આપવાની પીએમ મોદીની પહેલની પણ પ્રશંસા કરી છે.


દેવેદ્ર ફડણવીસે કહ્યું કે, પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ સાથે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં અમારી સરકારે પણ નોકરી આપવાનો નિર્ણય કર્યો છે. 75,000 નોકરીઓમાંથી 18,000 જગ્યાઓ પોલીસ વિભાગમાં હશે. આ માટેની જાહેરાત આગામી 5થી 7 દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.


pmએ શું કરી હતી જાહેરાત !!!


PM મોદીએ કહ્યું તેઓ આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને મિશન મોડ પર નોકરીઓ આપશે. બીજી તરફ પીએમ મોદીએ શનિવારે સરકારી નોકરીના 75,000 ઉમેદવારોને અપોઈન્ટમેન્ટ લેટર સોંપ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર યુવાનો માટે રોજગારની વધુમાં વધુ તક પેદા કરવા માટે અનેક મોર્ચા પર કામ કરી રહી છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.