મહારાષ્ટ્રમાં 75,000 સરકારી નોકરીઓની જાહેરાત !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 16:52:08


મહારાષ્ટ્ર સરકારે આવનાર એક વર્ષમાં રાજ્યમાં 75,000 સરકારી નોકરી આપવાનું એલાન કર્યું છે .દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એકનાથ શિંદેના નેતૃત્વ વાળી સરકાર એક વર્ષમાં 75 હજાર સરકારી નોકરી આપશે. ફડણવીસે યુવાનોને 10 લાખ રોજગારી આપવાની પીએમ મોદીની પહેલની પણ પ્રશંસા કરી છે.


દેવેદ્ર ફડણવીસે કહ્યું કે, પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ સાથે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં અમારી સરકારે પણ નોકરી આપવાનો નિર્ણય કર્યો છે. 75,000 નોકરીઓમાંથી 18,000 જગ્યાઓ પોલીસ વિભાગમાં હશે. આ માટેની જાહેરાત આગામી 5થી 7 દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.


pmએ શું કરી હતી જાહેરાત !!!


PM મોદીએ કહ્યું તેઓ આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને મિશન મોડ પર નોકરીઓ આપશે. બીજી તરફ પીએમ મોદીએ શનિવારે સરકારી નોકરીના 75,000 ઉમેદવારોને અપોઈન્ટમેન્ટ લેટર સોંપ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર યુવાનો માટે રોજગારની વધુમાં વધુ તક પેદા કરવા માટે અનેક મોર્ચા પર કામ કરી રહી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .