Mahisagarનાં અમેઠી ગામના 75 વર્ષના દાદા બન્યા વરરાજા, વૃદ્ધે લગ્ન કરવાનું વિચાર્યું તો ગામના લોકોએ કરાવી દીધા લગ્ન, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-15 18:56:44

કહેવાય છે ને કે એજ ઇસ જસ્ટ અ નંબર અને ઘણી બધી વાર આ લાઇન સાચી પુરવાર થાય તેવા ઉદાહરણો પણ સામે આવે છે.. એવા ઉદાહણો સામે આવે છે જેમાં મોટી ઉંમરના લોકો અદ્ધભૂત રીતે કંઈક કામ કરતાં હોય.. આમ તો સમાજમાં મોટી ઉંમરના લોકો લગ્નનું વિચારે તો બધા એમની મજાક બનાવે કે દાદા આ ઉંમરે તમારે લગન કરી ક્યાં જવું છે? જ્યારે મોટી ઉંમરના વ્યક્તિ આવી વાત કરે તો તેમની લોકો મજાક બનાવે છે પરંતુ મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો જેમાં 75 વર્ષના દાદાએ લગ્ન કર્યા..  

એકલવાયું જીવન જીવતા હતા એટલા માટે...  

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 75 વર્ષની ઉંમરે આવું કરવા પાછળનું કારણ એ હતું કે તેમને જીવન એકલવાયું લાગતું. જીવન અને ઘડપણનો આશરો મળી રહે તે માટે તેમણે લગ્ન કરવાનું વિચાર્યું. 


તમામ કાર્યો તે જાતે કરતા હતા.. 

આખાય ગામની સંમતિથી સાયબાભાઈ ડામોર પોતાનું જીવન નિર્વાહ એકલવાયું જીવન જીવીને ગુજારતા હતા. પોતાની નિત્યક્રિયાઓ પણ તેઓ દરરોજ એકલા હાથે કરતા હતા જમવાથી લઇને તમામ ક્રિયાઓ ૭૫ વર્ષના સાયબા ડામોર પોતાની જાતે કરતા હતા ત્યારે સમાજના કેટલાક માણસોએ તેમના એકલતાનો સહારો અપાવવા અને તેમને કોઈ જમવાનું આ ઉંમરે બનાવી આપે તે માટે તેમના સમકક્ષ પાત્ર સાથે લગ્ન કરાવડાયા.

 


આ આખી કહાની પછી એક કવિતા યાદ આવે છે રાજેન્દ્ર શુકલએ લખ્યું છે કે

ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે,

એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું. 

 

જીવન સાથી સાથે હોય તેનાથી વધારે શું જોઈએ?  

એટલે જીવનમાં જીવનસાથીનો સાથ અને છેલ્લા શ્વાસ સુધી એ આપની સાથે હોય એનાથી વધારે શું જોઈએ તો મહીસાગરના સાયબાને 75 વર્ષે પોતાની સજની મળી છે. તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવો!



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.