Mahisagarનાં અમેઠી ગામના 75 વર્ષના દાદા બન્યા વરરાજા, વૃદ્ધે લગ્ન કરવાનું વિચાર્યું તો ગામના લોકોએ કરાવી દીધા લગ્ન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-15 18:56:44

કહેવાય છે ને કે એજ ઇસ જસ્ટ અ નંબર અને ઘણી બધી વાર આ લાઇન સાચી પુરવાર થાય તેવા ઉદાહરણો પણ સામે આવે છે.. એવા ઉદાહણો સામે આવે છે જેમાં મોટી ઉંમરના લોકો અદ્ધભૂત રીતે કંઈક કામ કરતાં હોય.. આમ તો સમાજમાં મોટી ઉંમરના લોકો લગ્નનું વિચારે તો બધા એમની મજાક બનાવે કે દાદા આ ઉંમરે તમારે લગન કરી ક્યાં જવું છે? જ્યારે મોટી ઉંમરના વ્યક્તિ આવી વાત કરે તો તેમની લોકો મજાક બનાવે છે પરંતુ મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો જેમાં 75 વર્ષના દાદાએ લગ્ન કર્યા..  

એકલવાયું જીવન જીવતા હતા એટલા માટે...  

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 75 વર્ષની ઉંમરે આવું કરવા પાછળનું કારણ એ હતું કે તેમને જીવન એકલવાયું લાગતું. જીવન અને ઘડપણનો આશરો મળી રહે તે માટે તેમણે લગ્ન કરવાનું વિચાર્યું. 


તમામ કાર્યો તે જાતે કરતા હતા.. 

આખાય ગામની સંમતિથી સાયબાભાઈ ડામોર પોતાનું જીવન નિર્વાહ એકલવાયું જીવન જીવીને ગુજારતા હતા. પોતાની નિત્યક્રિયાઓ પણ તેઓ દરરોજ એકલા હાથે કરતા હતા જમવાથી લઇને તમામ ક્રિયાઓ ૭૫ વર્ષના સાયબા ડામોર પોતાની જાતે કરતા હતા ત્યારે સમાજના કેટલાક માણસોએ તેમના એકલતાનો સહારો અપાવવા અને તેમને કોઈ જમવાનું આ ઉંમરે બનાવી આપે તે માટે તેમના સમકક્ષ પાત્ર સાથે લગ્ન કરાવડાયા.

 


આ આખી કહાની પછી એક કવિતા યાદ આવે છે રાજેન્દ્ર શુકલએ લખ્યું છે કે

ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે,

એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું. 

 

જીવન સાથી સાથે હોય તેનાથી વધારે શું જોઈએ?  

એટલે જીવનમાં જીવનસાથીનો સાથ અને છેલ્લા શ્વાસ સુધી એ આપની સાથે હોય એનાથી વધારે શું જોઈએ તો મહીસાગરના સાયબાને 75 વર્ષે પોતાની સજની મળી છે. તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવો!



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે