Mahisagarનાં અમેઠી ગામના 75 વર્ષના દાદા બન્યા વરરાજા, વૃદ્ધે લગ્ન કરવાનું વિચાર્યું તો ગામના લોકોએ કરાવી દીધા લગ્ન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-15 18:56:44

કહેવાય છે ને કે એજ ઇસ જસ્ટ અ નંબર અને ઘણી બધી વાર આ લાઇન સાચી પુરવાર થાય તેવા ઉદાહરણો પણ સામે આવે છે.. એવા ઉદાહણો સામે આવે છે જેમાં મોટી ઉંમરના લોકો અદ્ધભૂત રીતે કંઈક કામ કરતાં હોય.. આમ તો સમાજમાં મોટી ઉંમરના લોકો લગ્નનું વિચારે તો બધા એમની મજાક બનાવે કે દાદા આ ઉંમરે તમારે લગન કરી ક્યાં જવું છે? જ્યારે મોટી ઉંમરના વ્યક્તિ આવી વાત કરે તો તેમની લોકો મજાક બનાવે છે પરંતુ મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો જેમાં 75 વર્ષના દાદાએ લગ્ન કર્યા..  

એકલવાયું જીવન જીવતા હતા એટલા માટે...  

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 75 વર્ષની ઉંમરે આવું કરવા પાછળનું કારણ એ હતું કે તેમને જીવન એકલવાયું લાગતું. જીવન અને ઘડપણનો આશરો મળી રહે તે માટે તેમણે લગ્ન કરવાનું વિચાર્યું. 


તમામ કાર્યો તે જાતે કરતા હતા.. 

આખાય ગામની સંમતિથી સાયબાભાઈ ડામોર પોતાનું જીવન નિર્વાહ એકલવાયું જીવન જીવીને ગુજારતા હતા. પોતાની નિત્યક્રિયાઓ પણ તેઓ દરરોજ એકલા હાથે કરતા હતા જમવાથી લઇને તમામ ક્રિયાઓ ૭૫ વર્ષના સાયબા ડામોર પોતાની જાતે કરતા હતા ત્યારે સમાજના કેટલાક માણસોએ તેમના એકલતાનો સહારો અપાવવા અને તેમને કોઈ જમવાનું આ ઉંમરે બનાવી આપે તે માટે તેમના સમકક્ષ પાત્ર સાથે લગ્ન કરાવડાયા.

 


આ આખી કહાની પછી એક કવિતા યાદ આવે છે રાજેન્દ્ર શુકલએ લખ્યું છે કે

ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે,

એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું. 

 

જીવન સાથી સાથે હોય તેનાથી વધારે શું જોઈએ?  

એટલે જીવનમાં જીવનસાથીનો સાથ અને છેલ્લા શ્વાસ સુધી એ આપની સાથે હોય એનાથી વધારે શું જોઈએ તો મહીસાગરના સાયબાને 75 વર્ષે પોતાની સજની મળી છે. તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવો!



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .