Mahisagarનાં અમેઠી ગામના 75 વર્ષના દાદા બન્યા વરરાજા, વૃદ્ધે લગ્ન કરવાનું વિચાર્યું તો ગામના લોકોએ કરાવી દીધા લગ્ન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-15 18:56:44

કહેવાય છે ને કે એજ ઇસ જસ્ટ અ નંબર અને ઘણી બધી વાર આ લાઇન સાચી પુરવાર થાય તેવા ઉદાહરણો પણ સામે આવે છે.. એવા ઉદાહણો સામે આવે છે જેમાં મોટી ઉંમરના લોકો અદ્ધભૂત રીતે કંઈક કામ કરતાં હોય.. આમ તો સમાજમાં મોટી ઉંમરના લોકો લગ્નનું વિચારે તો બધા એમની મજાક બનાવે કે દાદા આ ઉંમરે તમારે લગન કરી ક્યાં જવું છે? જ્યારે મોટી ઉંમરના વ્યક્તિ આવી વાત કરે તો તેમની લોકો મજાક બનાવે છે પરંતુ મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો જેમાં 75 વર્ષના દાદાએ લગ્ન કર્યા..  

એકલવાયું જીવન જીવતા હતા એટલા માટે...  

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 75 વર્ષની ઉંમરે આવું કરવા પાછળનું કારણ એ હતું કે તેમને જીવન એકલવાયું લાગતું. જીવન અને ઘડપણનો આશરો મળી રહે તે માટે તેમણે લગ્ન કરવાનું વિચાર્યું. 


તમામ કાર્યો તે જાતે કરતા હતા.. 

આખાય ગામની સંમતિથી સાયબાભાઈ ડામોર પોતાનું જીવન નિર્વાહ એકલવાયું જીવન જીવીને ગુજારતા હતા. પોતાની નિત્યક્રિયાઓ પણ તેઓ દરરોજ એકલા હાથે કરતા હતા જમવાથી લઇને તમામ ક્રિયાઓ ૭૫ વર્ષના સાયબા ડામોર પોતાની જાતે કરતા હતા ત્યારે સમાજના કેટલાક માણસોએ તેમના એકલતાનો સહારો અપાવવા અને તેમને કોઈ જમવાનું આ ઉંમરે બનાવી આપે તે માટે તેમના સમકક્ષ પાત્ર સાથે લગ્ન કરાવડાયા.

 


આ આખી કહાની પછી એક કવિતા યાદ આવે છે રાજેન્દ્ર શુકલએ લખ્યું છે કે

ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે,

એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું. 

 

જીવન સાથી સાથે હોય તેનાથી વધારે શું જોઈએ?  

એટલે જીવનમાં જીવનસાથીનો સાથ અને છેલ્લા શ્વાસ સુધી એ આપની સાથે હોય એનાથી વધારે શું જોઈએ તો મહીસાગરના સાયબાને 75 વર્ષે પોતાની સજની મળી છે. તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવો!



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે