તહેવારોની સીઝનમાં કેન્દ્ર સરકારની મોટી ભેટ, નિવૃત કર્મચારીઓને DA બાદ હવે DRમાં પણ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 16:13:14

દિવાળીના તહેવાર પહેલા 7મા પગાર પંચે કેન્દ્ર સરકારના પેન્શનરોને ખુશખબર આપ્યા છે. તાજેતરમાં, સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ પછી મોંઘવારી રાહત એટલે કે DR (મોંઘવારી રાહત)માં પણ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ડીએ વધવાની સાથે ડીઆર પણ વધે છે. સરકારી પેન્શનરો માટે ડીઆરમાં 4 ટકાનો વધારો 1 જુલાઈ, 2022થી અમલી બનાવવામાં આવ્યો છે. આ રીતે, પેન્શનરો માટે DR હવે 38% થઈ ગયો છે. અગાઉ તે 34 ટકા હતું. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા આ જાહેરાતની સૂચના જારી કરવામાં આવી છે.


DR 34%થી વધારીને 38% કરવાનો નિર્ણય 


સરકારી પેન્શનરોની સાથે ફેમિલી પેન્શનરો પણ 38% DRનો લાભ લઈ શકશે. 1 જુલાઈ, 2022 થી DR 34% થી વધારીને 38% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઆરની સાથે સરકારે ડીએમાં પણ 4 ટકાનો વધારો કર્યો છે. ડીએ અને ડીઆરમાં વધારાનો લાભ સરકારી કર્મચારીઓ, કેન્દ્ર સરકારના પેન્શનરો અને કેન્દ્ર સરકાર તરફથી ફેમિલી પેન્શનનો લાભ લેનારા લોકોને આપવામાં આવશે.


DRનો લાભ આ લોકોને મળશે



- કેન્દ્ર સરકારના પેન્શનરો સિવાય કેન્દ્ર સરકારના નાગરિક પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો કે જેઓ જાહેર ઉપક્રમ અથવા સ્વાયત્ત સંસ્થામાં પોસ્ટ કરવામાં આવ્યા છે.


- સશસ્ત્ર દળોના પેન્શનરો, નાગરિક પેન્શનરો જેમને સંરક્ષણ સેવા અંદાજ દ્વારા ચૂકવવામાં આવે છે.


- અખિલ ભારતીય સેવા પેન્શનરો


- રેલ્વે પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો


જે પેન્શનરોને કામચલાઉ પેન્શન આપવામાં આવી રહ્યું છે.


બર્મા નાગરિક પેન્શનરો. કૌટુંબિક પેન્શનરો અથવા પેન્શનરો સિવાયના બર્મા/પાકિસ્તાનમાંથી વિસ્થાપિત સરકારી પેન્શનરો કે જેમના સંબંધમાં આ વિભાગના OM નંબર 23/3/2008-P&PW(B) તારીખ 11.09.2017 દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.