તહેવારોની સીઝનમાં કેન્દ્ર સરકારની મોટી ભેટ, નિવૃત કર્મચારીઓને DA બાદ હવે DRમાં પણ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 16:13:14

દિવાળીના તહેવાર પહેલા 7મા પગાર પંચે કેન્દ્ર સરકારના પેન્શનરોને ખુશખબર આપ્યા છે. તાજેતરમાં, સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ પછી મોંઘવારી રાહત એટલે કે DR (મોંઘવારી રાહત)માં પણ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ડીએ વધવાની સાથે ડીઆર પણ વધે છે. સરકારી પેન્શનરો માટે ડીઆરમાં 4 ટકાનો વધારો 1 જુલાઈ, 2022થી અમલી બનાવવામાં આવ્યો છે. આ રીતે, પેન્શનરો માટે DR હવે 38% થઈ ગયો છે. અગાઉ તે 34 ટકા હતું. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા આ જાહેરાતની સૂચના જારી કરવામાં આવી છે.


DR 34%થી વધારીને 38% કરવાનો નિર્ણય 


સરકારી પેન્શનરોની સાથે ફેમિલી પેન્શનરો પણ 38% DRનો લાભ લઈ શકશે. 1 જુલાઈ, 2022 થી DR 34% થી વધારીને 38% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઆરની સાથે સરકારે ડીએમાં પણ 4 ટકાનો વધારો કર્યો છે. ડીએ અને ડીઆરમાં વધારાનો લાભ સરકારી કર્મચારીઓ, કેન્દ્ર સરકારના પેન્શનરો અને કેન્દ્ર સરકાર તરફથી ફેમિલી પેન્શનનો લાભ લેનારા લોકોને આપવામાં આવશે.


DRનો લાભ આ લોકોને મળશે



- કેન્દ્ર સરકારના પેન્શનરો સિવાય કેન્દ્ર સરકારના નાગરિક પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો કે જેઓ જાહેર ઉપક્રમ અથવા સ્વાયત્ત સંસ્થામાં પોસ્ટ કરવામાં આવ્યા છે.


- સશસ્ત્ર દળોના પેન્શનરો, નાગરિક પેન્શનરો જેમને સંરક્ષણ સેવા અંદાજ દ્વારા ચૂકવવામાં આવે છે.


- અખિલ ભારતીય સેવા પેન્શનરો


- રેલ્વે પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો


જે પેન્શનરોને કામચલાઉ પેન્શન આપવામાં આવી રહ્યું છે.


બર્મા નાગરિક પેન્શનરો. કૌટુંબિક પેન્શનરો અથવા પેન્શનરો સિવાયના બર્મા/પાકિસ્તાનમાંથી વિસ્થાપિત સરકારી પેન્શનરો કે જેમના સંબંધમાં આ વિભાગના OM નંબર 23/3/2008-P&PW(B) તારીખ 11.09.2017 દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.