ભાદર-1 ડેમમાં પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 14:17:27

વિદાય લેતા પહેલા મેઘરાજા સમગ્ર રાજ્ય પર મહેરબાન થઈ વરસી રહ્યા છે. વરસાદી માહોલ જામતા અનેક નદીઓ બે કાંઠે વહી થઈ છે. પાણીની સારી આવક થતા અનેક ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ થતા રાજકોટ પર જળસંકટ ઘેરાઈ રહ્યું છે. આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણી આવક થતા ભાદર-1 ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ભાદર-1 ડેમ ઓવરફ્લો

સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. શ્રાવણ મહિનામાં વરસ્યા બાદ ભાદરવા મહિનામાં પણ મેઘમહેર જોવા મળી છે. ભાદરવો ભરપૂર કહેવત સાચી થઈ રહી છે. ભાદર-1 ડેમમાં સતત બીજા દિવસે પાણીની આવક થઈ છે. ડેમ છલોછલ ભરાતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજકોટ:ન્યારી બાદ આજી-ભાદર છલકાવાની તૈયારી

આસપાસના ગામોને કરાયા એલર્ટ

સતત પાણીની આવક થતા ડેમ નજીક આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખીરસરા, સરઘાપુર, વસાવડા, ભૂખી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. ડેમના 8 દરવાજા ખોલી 7000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ડેમ ગણાતા ભાદર ડેમમાં પાણી આવતા પાણીનો સંકટ ટળી ગયો છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .