ભાદર-1 ડેમમાં પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 14:17:27

વિદાય લેતા પહેલા મેઘરાજા સમગ્ર રાજ્ય પર મહેરબાન થઈ વરસી રહ્યા છે. વરસાદી માહોલ જામતા અનેક નદીઓ બે કાંઠે વહી થઈ છે. પાણીની સારી આવક થતા અનેક ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ થતા રાજકોટ પર જળસંકટ ઘેરાઈ રહ્યું છે. આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણી આવક થતા ભાદર-1 ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ભાદર-1 ડેમ ઓવરફ્લો

સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. શ્રાવણ મહિનામાં વરસ્યા બાદ ભાદરવા મહિનામાં પણ મેઘમહેર જોવા મળી છે. ભાદરવો ભરપૂર કહેવત સાચી થઈ રહી છે. ભાદર-1 ડેમમાં સતત બીજા દિવસે પાણીની આવક થઈ છે. ડેમ છલોછલ ભરાતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજકોટ:ન્યારી બાદ આજી-ભાદર છલકાવાની તૈયારી

આસપાસના ગામોને કરાયા એલર્ટ

સતત પાણીની આવક થતા ડેમ નજીક આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખીરસરા, સરઘાપુર, વસાવડા, ભૂખી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. ડેમના 8 દરવાજા ખોલી 7000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ડેમ ગણાતા ભાદર ડેમમાં પાણી આવતા પાણીનો સંકટ ટળી ગયો છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .