80 લાખનો વીમો... ભિખારીની હત્યા, 17 વર્ષ બાદ મર્ડર મિસ્ટ્રીનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-11-08 20:23:24

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 17 વર્ષ  પહેલા થયેલી હત્યાનો ખુલાસો કરી આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ પોલીસે હત્યા અંગે આ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું હતું કે વર્ષો પહેલા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. વીમાના પૈસા મેળવવા માટે આ હત્યા કરવામાં આવી હતી. ઈન્સ્યોરન્સની રકમ 80 લાખ રૂપિયા હતી. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.


વીમો પાસ કરાવવા ઘડ્યું કાવત્રું


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મર્ડર મિસ્ટ્રીનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે 17 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના આગ્રામાં રોડ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ કેસમાં ઈન્સ્યોરન્સ ક્લેમ કરીને 80 લાખ રૂપિયાનો વીમો મેળવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભિખારીની હત્યા કર્યા પછી, અકસ્માતનું બહાનું કરીને, અનિલ સિંહ નામના યુવકે તેના નામે વીમો પાસ કરાવ્યો હતો, આ હત્યારા અનિલ સિંહે ઈન્સ્યોરન્સની રકમ 80 લાખ મેળવવા માટે એક ભીખારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો,  અનિલ સિંહનો ભાંડો 17 વર્ષે ફુટ્યો છે.


વીમાના પૈસા માટે ભિખારીને સળગાવી દીધો


પોલીસે વધુમાં જણાવ્યું કે વર્ષ 2004માં આરોપી અનિલ સિંહે તેના પરિવાર સાથે મળીને  LIC પાસેથી વીમાના પૈસા લેવાનો પ્લાન બનાવ્યો હતો. વર્ષ 2006માં પોતાને મૃત દેખાડવા માટે તેણે આગ્રામાં એક ભિખારીની કારમાં સળગાવીને હત્યા કરી નાખી હતી. આ પછી તેને  LIC પાસેથી 80 લાખ રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રહેવાસી અનિલ સિંહ પોતાનું નામ બદલીને રાજકુમાર ચૌધરી કરી અમદાવાદમાં રહેવા લાગ્યો હતો. તેમજ પિતાનું નામ વિજયપાલને બદલે વિજયકુમાર કરી દીધું હતું.


ભિખારીને ભોજન કરાવવાના બહાને કારમાં બેસાડ્યો અને...


વીમાના પૈસા મેળવવા માટે અનિલ સિંહ 2006માં તેના પિતા વિજયપાલ સિંહ અને ભાઈ અભય સિંહ, સંબંધીઓ મહિપાલ ગડરિયા અને રાકેશ ખટીક સાથે આગ્રા પહોંચ્યો હતો. આગ્રા ટોલટેક્સ પાસે એક ભિખારીને ખોરાક ખવડાવવાનું બહાનું બનાવીને તેની કારમાં લઈ ગયો. ત્યારબાદ તેને ખાવામાં ઊંઘની ગોળી આપવામાં આવી અને તે બેભાન થઈ ગયો હતો. આ પછી, તેઓએ ભિખારીને કારની ડ્રાઇવિંગ સીટ પર બેસાડ્યો અને તેને આગ લગાવી દીધી. આ રીતે, ભિખારીની હત્યા કર્યા પછી, આરોપીએ અનિલ સિંહને અકસ્માતમાં મૃત દેખાડ્યો હતો.


પોલીસે આરોપીની ધરપકડ કર્યો જેલ હવાલે કર્યો


ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અનિલ સિંહે અમદાવાદમાં બધાને કહ્યું કે તેનું નામ રાજકુમાર છે. અહીં ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો પણ બનાવટી નામથી બનાવી દીધા હતા. પોલીસે બનાવટી દસ્તાવેજોનો કેસ નોંધ્યો છે અને આગ્રા પોલીસનો સંપર્ક કર્યો છે. આગ્રા પોલીસ ભિખારીની હત્યાનો કેસ નોંધશે. વીમાના નાણાંની ઉચાપત કરવાનો પ્લાન અનિલ સિંહે તેના પિતા અને ભાઈ સાથે મળીને બનાવ્યો હતો.


પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી 


આરોપી અનિલ ઉર્ફે રાજકુમાર એટલો ચાલાક હતો કે, હત્યાને અંજામ આપી ગણતરીના કલાકોમાં અમદાવાદ આવી ગયો અને અને છેલ્લા 17 વર્ષથી તેની પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી હતી. સાથે જ જો તેના પરિવારના કોઈ વ્યક્તિને મળવું હોય તો દિલ્હી અથવા સુરત મળવા આવી જતો હતો. જોકે વીમા માટે થી ભિક્ષુકની હત્યા અને  અનિલ ઉર્ફે રાજકુમારે ખોટી ઓળખ ઉભી કરી છે એ માહિતી જે તે સમયે અનિલ ઉર્ફે રાજકુમારને સાથ આપનાર કોઈ એક મિત્ર એ જ પોલીસને માહિતી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે પોલીસ તપાસ બાદ અને આગ્રામાં હત્યાનો ગુનો નોંધાયા બાદ ‌શું નવી વિગત સામે આવે છે. તેના પર સૌની નજર છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.