9 હજાર LRD અને 300 PSIની ભરતી થશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી


  • Published By :
  • Published Date : 2022-10-29 20:05:04

આનંદો!  સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારીઓ કરતા લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022ની જેમ ફરીવાર મોટી સંખ્યામાં પોલીસના જવાનોની ભરતી કરવામાં આવશે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરીને માહિતી આપી હતી કે 9 હજાર જેટલા LRD અને ત્રણ સો જેટલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવશે. 


ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આગામી વર્ષમાં 9 હજારથી વધુ લોક રક્ષક દળ અને નવા પોલીસ સબ ઈન્સપેક્ટરની ભરતી કરવામાં આવશે. 

 

LRD ભરતી બોર્ડના વડા IPS હસમખ પટેલે આજે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે વર્ષ 2022ની ભરતી કરાઈ હતી તેના ફોર્મનું વિતરણ થશે. ગુજરાત આજે પોલીસ અકાદમી ખાતે લોક રક્ષક ભરતીના ઉમેદવારોના પસંદગ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. 


ચાલુ વર્ષે પણ ગુજરાત સરકારે અંદાજે 700 જેટલા એએસઆઈ અને 300 જેટલા પોલીસ સબ ઈન્સપેક્ટરની ભરતી કરી હતી. આ ભરતીમાં અંદાજે 10 હજાર જેટલા લોક રક્ષક દળના જવાનોની પણ ભરતી કરવામાં આવી હતી. જોકે આગામી વર્ષે પણ જંગી સંખ્યામાં પોલીસ ભરતી કરવામાં આવશે. 

સમાચાર અપડેટ થઈ રહ્યા છે.... 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.