9 હજાર LRD અને 300 PSIની ભરતી થશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી


  • Published By :
  • Published Date : 2022-10-29 20:05:04

આનંદો!  સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારીઓ કરતા લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022ની જેમ ફરીવાર મોટી સંખ્યામાં પોલીસના જવાનોની ભરતી કરવામાં આવશે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરીને માહિતી આપી હતી કે 9 હજાર જેટલા LRD અને ત્રણ સો જેટલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવશે. 


ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આગામી વર્ષમાં 9 હજારથી વધુ લોક રક્ષક દળ અને નવા પોલીસ સબ ઈન્સપેક્ટરની ભરતી કરવામાં આવશે. 

 

LRD ભરતી બોર્ડના વડા IPS હસમખ પટેલે આજે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે વર્ષ 2022ની ભરતી કરાઈ હતી તેના ફોર્મનું વિતરણ થશે. ગુજરાત આજે પોલીસ અકાદમી ખાતે લોક રક્ષક ભરતીના ઉમેદવારોના પસંદગ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. 


ચાલુ વર્ષે પણ ગુજરાત સરકારે અંદાજે 700 જેટલા એએસઆઈ અને 300 જેટલા પોલીસ સબ ઈન્સપેક્ટરની ભરતી કરી હતી. આ ભરતીમાં અંદાજે 10 હજાર જેટલા લોક રક્ષક દળના જવાનોની પણ ભરતી કરવામાં આવી હતી. જોકે આગામી વર્ષે પણ જંગી સંખ્યામાં પોલીસ ભરતી કરવામાં આવશે. 

સમાચાર અપડેટ થઈ રહ્યા છે.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.