2000 રૂપિયાની 97% નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી, તમે હજુ પણ પરત કરી શકો છો!


  • Published By :
  • Published Date : 2023-12-01 18:49:01

ભારતીય બેંકોની નિયમનકારી સંસ્થા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે 2000 રૂપિયાની લગભગ 97.26 ટકા ચલણી નોટો ભારતીય રિઝર્વ બેંકમાં પાછી આવી છે. આ વર્ષે 19 મેના રોજ RBIએ રૂ. 2000ની નોટને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. લોકોને 2000 રૂપિયાની નોટ પરત કરવા માટે લગભગ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. RBIએ કહ્યું છે કે 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી રૂ.2000ની નોટોમાંથી 97.26 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. આ વર્ષે 19 મેના રોજ 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી.


રૂ.9,760 કરોડના મૂલ્યની નોટો ચલણમાં


30 નવેમ્બર 2020 સુધીમાં, રૂ.9760 કરોડના મૂલ્યની બે હજારની નોટો જ હવે ચલણમાં રહી છે. ક્લીન નોટ પોલિસીને ટાંકીને, સેન્ટ્રલ બેંકે 19 મે 2023ના રોજ રૂ.2000ની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી, જોકે આ સમયે રૂ.2000ની નોટને અમાન્ય કરવામાં આવી ન હતી. ત્યાર બાદ, 2000 રૂપિયાની નોટ પરત કરવા અથવા બદલવા માટે લગભગ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. અગાઉ રૂ.2000ની નોટો બદલવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર રાખવામાં આવી હતી જે બાદમાં વધારીને 7મી ઓક્ટોબર કરવામાં આવી હતી.


શું તમારી પાસે છે 2 હજારની નોટો? 


જો હજુ પણ તમારી પાસે રૂ 2000ની નોટ હોય તો આરબીઆઈને તેની 19 જેટલી રિજનલ ઓફિસ દ્વારા પાછી આપી શકો છો. આ ઓફિસો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાત્તા સહિત દેશના અનેક રાજ્યોની રાજધાનીમાં આવેલી છે. તમે ઈન્ડિયા પોસ્ટ દ્નારા પણ બે હજારની નોટને RBIની ઓફિસે મોકલી શકે છો. જો તમે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ભારતીય રિઝર્વ બેંકને નોટ મોકલો છો તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.   


વર્ષ 2018-19માં રૂ. 2000ની નોટ છાપવાનું બંધ કરાયું


વર્ષ 2016માં રૂ. 500 અને રૂ.1000ની જૂની નોટો બંધ કરવા આવી ત્યારે બજારમાં રોકડની અછતને ઝડપથી પૂરી કરવા રૂ. 500 અને રૂ. 2000ની નવી નોટો શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે રૂ.500, રૂ.200 અને રૂ.100ની નોટો બજારમાં પૂરતી સંખ્યામાં આવી ગઈ ત્યારે રૂ. 2000ની નોટનું કામ પૂરું થઈ ગયું હતું. વર્ષ 2018-19માં જ રૂ. 2000 ની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું, જોકે RBIએ કહ્યું છે કે રૂ. 2000 ની નોટ હજુ પણ માન્ય છે અને જો તમારી પાસે કોઈ બાકી હોય તો તમે તેને બદલી શકો છો.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.