2000 રૂપિયાની 97% નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી, તમે હજુ પણ પરત કરી શકો છો!


  • Published By :
  • Published Date : 2023-12-01 18:49:01

ભારતીય બેંકોની નિયમનકારી સંસ્થા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે 2000 રૂપિયાની લગભગ 97.26 ટકા ચલણી નોટો ભારતીય રિઝર્વ બેંકમાં પાછી આવી છે. આ વર્ષે 19 મેના રોજ RBIએ રૂ. 2000ની નોટને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. લોકોને 2000 રૂપિયાની નોટ પરત કરવા માટે લગભગ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. RBIએ કહ્યું છે કે 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી રૂ.2000ની નોટોમાંથી 97.26 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. આ વર્ષે 19 મેના રોજ 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી.


રૂ.9,760 કરોડના મૂલ્યની નોટો ચલણમાં


30 નવેમ્બર 2020 સુધીમાં, રૂ.9760 કરોડના મૂલ્યની બે હજારની નોટો જ હવે ચલણમાં રહી છે. ક્લીન નોટ પોલિસીને ટાંકીને, સેન્ટ્રલ બેંકે 19 મે 2023ના રોજ રૂ.2000ની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી, જોકે આ સમયે રૂ.2000ની નોટને અમાન્ય કરવામાં આવી ન હતી. ત્યાર બાદ, 2000 રૂપિયાની નોટ પરત કરવા અથવા બદલવા માટે લગભગ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. અગાઉ રૂ.2000ની નોટો બદલવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર રાખવામાં આવી હતી જે બાદમાં વધારીને 7મી ઓક્ટોબર કરવામાં આવી હતી.


શું તમારી પાસે છે 2 હજારની નોટો? 


જો હજુ પણ તમારી પાસે રૂ 2000ની નોટ હોય તો આરબીઆઈને તેની 19 જેટલી રિજનલ ઓફિસ દ્વારા પાછી આપી શકો છો. આ ઓફિસો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાત્તા સહિત દેશના અનેક રાજ્યોની રાજધાનીમાં આવેલી છે. તમે ઈન્ડિયા પોસ્ટ દ્નારા પણ બે હજારની નોટને RBIની ઓફિસે મોકલી શકે છો. જો તમે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ભારતીય રિઝર્વ બેંકને નોટ મોકલો છો તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.   


વર્ષ 2018-19માં રૂ. 2000ની નોટ છાપવાનું બંધ કરાયું


વર્ષ 2016માં રૂ. 500 અને રૂ.1000ની જૂની નોટો બંધ કરવા આવી ત્યારે બજારમાં રોકડની અછતને ઝડપથી પૂરી કરવા રૂ. 500 અને રૂ. 2000ની નવી નોટો શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે રૂ.500, રૂ.200 અને રૂ.100ની નોટો બજારમાં પૂરતી સંખ્યામાં આવી ગઈ ત્યારે રૂ. 2000ની નોટનું કામ પૂરું થઈ ગયું હતું. વર્ષ 2018-19માં જ રૂ. 2000 ની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું, જોકે RBIએ કહ્યું છે કે રૂ. 2000 ની નોટ હજુ પણ માન્ય છે અને જો તમારી પાસે કોઈ બાકી હોય તો તમે તેને બદલી શકો છો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.