2000 રૂપિયાની 97% નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી, તમે હજુ પણ પરત કરી શકો છો!


  • Published By :
  • Published Date : 2023-12-01 18:49:01

ભારતીય બેંકોની નિયમનકારી સંસ્થા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે 2000 રૂપિયાની લગભગ 97.26 ટકા ચલણી નોટો ભારતીય રિઝર્વ બેંકમાં પાછી આવી છે. આ વર્ષે 19 મેના રોજ RBIએ રૂ. 2000ની નોટને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. લોકોને 2000 રૂપિયાની નોટ પરત કરવા માટે લગભગ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. RBIએ કહ્યું છે કે 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી રૂ.2000ની નોટોમાંથી 97.26 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. આ વર્ષે 19 મેના રોજ 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી.


રૂ.9,760 કરોડના મૂલ્યની નોટો ચલણમાં


30 નવેમ્બર 2020 સુધીમાં, રૂ.9760 કરોડના મૂલ્યની બે હજારની નોટો જ હવે ચલણમાં રહી છે. ક્લીન નોટ પોલિસીને ટાંકીને, સેન્ટ્રલ બેંકે 19 મે 2023ના રોજ રૂ.2000ની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી, જોકે આ સમયે રૂ.2000ની નોટને અમાન્ય કરવામાં આવી ન હતી. ત્યાર બાદ, 2000 રૂપિયાની નોટ પરત કરવા અથવા બદલવા માટે લગભગ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. અગાઉ રૂ.2000ની નોટો બદલવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર રાખવામાં આવી હતી જે બાદમાં વધારીને 7મી ઓક્ટોબર કરવામાં આવી હતી.


શું તમારી પાસે છે 2 હજારની નોટો? 


જો હજુ પણ તમારી પાસે રૂ 2000ની નોટ હોય તો આરબીઆઈને તેની 19 જેટલી રિજનલ ઓફિસ દ્વારા પાછી આપી શકો છો. આ ઓફિસો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાત્તા સહિત દેશના અનેક રાજ્યોની રાજધાનીમાં આવેલી છે. તમે ઈન્ડિયા પોસ્ટ દ્નારા પણ બે હજારની નોટને RBIની ઓફિસે મોકલી શકે છો. જો તમે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ભારતીય રિઝર્વ બેંકને નોટ મોકલો છો તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.   


વર્ષ 2018-19માં રૂ. 2000ની નોટ છાપવાનું બંધ કરાયું


વર્ષ 2016માં રૂ. 500 અને રૂ.1000ની જૂની નોટો બંધ કરવા આવી ત્યારે બજારમાં રોકડની અછતને ઝડપથી પૂરી કરવા રૂ. 500 અને રૂ. 2000ની નવી નોટો શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે રૂ.500, રૂ.200 અને રૂ.100ની નોટો બજારમાં પૂરતી સંખ્યામાં આવી ગઈ ત્યારે રૂ. 2000ની નોટનું કામ પૂરું થઈ ગયું હતું. વર્ષ 2018-19માં જ રૂ. 2000 ની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું, જોકે RBIએ કહ્યું છે કે રૂ. 2000 ની નોટ હજુ પણ માન્ય છે અને જો તમારી પાસે કોઈ બાકી હોય તો તમે તેને બદલી શકો છો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.