2000 રૂપિયાની 97% નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી, તમે હજુ પણ પરત કરી શકો છો!


  • Published By :
  • Published Date : 2023-12-01 18:49:01

ભારતીય બેંકોની નિયમનકારી સંસ્થા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે 2000 રૂપિયાની લગભગ 97.26 ટકા ચલણી નોટો ભારતીય રિઝર્વ બેંકમાં પાછી આવી છે. આ વર્ષે 19 મેના રોજ RBIએ રૂ. 2000ની નોટને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. લોકોને 2000 રૂપિયાની નોટ પરત કરવા માટે લગભગ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. RBIએ કહ્યું છે કે 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી રૂ.2000ની નોટોમાંથી 97.26 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. આ વર્ષે 19 મેના રોજ 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી.


રૂ.9,760 કરોડના મૂલ્યની નોટો ચલણમાં


30 નવેમ્બર 2020 સુધીમાં, રૂ.9760 કરોડના મૂલ્યની બે હજારની નોટો જ હવે ચલણમાં રહી છે. ક્લીન નોટ પોલિસીને ટાંકીને, સેન્ટ્રલ બેંકે 19 મે 2023ના રોજ રૂ.2000ની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી, જોકે આ સમયે રૂ.2000ની નોટને અમાન્ય કરવામાં આવી ન હતી. ત્યાર બાદ, 2000 રૂપિયાની નોટ પરત કરવા અથવા બદલવા માટે લગભગ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. અગાઉ રૂ.2000ની નોટો બદલવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર રાખવામાં આવી હતી જે બાદમાં વધારીને 7મી ઓક્ટોબર કરવામાં આવી હતી.


શું તમારી પાસે છે 2 હજારની નોટો? 


જો હજુ પણ તમારી પાસે રૂ 2000ની નોટ હોય તો આરબીઆઈને તેની 19 જેટલી રિજનલ ઓફિસ દ્વારા પાછી આપી શકો છો. આ ઓફિસો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાત્તા સહિત દેશના અનેક રાજ્યોની રાજધાનીમાં આવેલી છે. તમે ઈન્ડિયા પોસ્ટ દ્નારા પણ બે હજારની નોટને RBIની ઓફિસે મોકલી શકે છો. જો તમે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ભારતીય રિઝર્વ બેંકને નોટ મોકલો છો તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.   


વર્ષ 2018-19માં રૂ. 2000ની નોટ છાપવાનું બંધ કરાયું


વર્ષ 2016માં રૂ. 500 અને રૂ.1000ની જૂની નોટો બંધ કરવા આવી ત્યારે બજારમાં રોકડની અછતને ઝડપથી પૂરી કરવા રૂ. 500 અને રૂ. 2000ની નવી નોટો શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે રૂ.500, રૂ.200 અને રૂ.100ની નોટો બજારમાં પૂરતી સંખ્યામાં આવી ગઈ ત્યારે રૂ. 2000ની નોટનું કામ પૂરું થઈ ગયું હતું. વર્ષ 2018-19માં જ રૂ. 2000 ની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું, જોકે RBIએ કહ્યું છે કે રૂ. 2000 ની નોટ હજુ પણ માન્ય છે અને જો તમારી પાસે કોઈ બાકી હોય તો તમે તેને બદલી શકો છો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.