સીટીએમ ડબલ ડેકર બ્રિજ પરથી 12 વર્ષનો વિદ્યાર્થી લગાવાનો હતો મોતની છલાંગ, સમય રહેતા પોલીસે બચાવી લીધો


  • Published By :
  • Published Date : 2023-02-18 11:31:33

રાજ્યમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી એક મહિલાએ પડતું મૂક્યું હતું ત્યારે આજે ફરી એક વિદ્યાર્થી બ્રિજ ઉપરથી મોતની છલાંગ મારવાનો હતો પરંતુ સમય રહેતા તેને બચાવી લેવામાં આવ્યો છે. બાળકને સમજાવી સહીસલામત તેને પોતાના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. 


યુવતીએ થોડા દિવસો પહેલા લગાવી હતી છલાંગ 

અમદાવાદ શહેરમાં જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા સીટીએમના ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.


આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીને બચાવી લેવાયો 

ત્યારે ફરી એક વખત આપઘાતની ઘટના બનવાની હતી. 7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સીટીએમના ડબલ ડેકર બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવાનો હતો પરંતુ સમય રહેતા તેને આ પગલું ભરતા અટકાવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થી આપઘાત કરવા જતો હતો ત્યારે ત્યાંથી પસાર થતા લોકોની નજર પડતા સતત બૂમો પાડી હતી. વિદ્યાર્થીને આપઘાત કરતા પોલીસે બચાવ્યો હતો. 


કેમ આપઘાતનો પ્રયાસ કરાયો તે કારણ અકબંધ   

જ્યારે વિદ્યાર્થીને પકડવામાં આવ્યો તે બાદ તે બૂમો પાડતો હતો મને મરી જવા દો, મારે મરવું છે જેવી બૂમો પાડતો હતો. પોલીસે તેને શાંત રાખ્યો અને સમજાવટ બાદ તેને ઘરે  મોકલી દેવામાં આવ્યો હતો. 12 વર્ષનો છોકરો કયા કારણોસર આ પગલું ભરવાનો હતો તે જાણી શકાયું નથી. પરંતુ ખુશીની વાત એ છે કે તેને બચાવી લેવામાં આવ્યો છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.