સીટીએમ ડબલ ડેકર બ્રિજ પરથી 12 વર્ષનો વિદ્યાર્થી લગાવાનો હતો મોતની છલાંગ, સમય રહેતા પોલીસે બચાવી લીધો


  • Published By :
  • Published Date : 2023-02-18 11:31:33

રાજ્યમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી એક મહિલાએ પડતું મૂક્યું હતું ત્યારે આજે ફરી એક વિદ્યાર્થી બ્રિજ ઉપરથી મોતની છલાંગ મારવાનો હતો પરંતુ સમય રહેતા તેને બચાવી લેવામાં આવ્યો છે. બાળકને સમજાવી સહીસલામત તેને પોતાના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. 


યુવતીએ થોડા દિવસો પહેલા લગાવી હતી છલાંગ 

અમદાવાદ શહેરમાં જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા સીટીએમના ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.


આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીને બચાવી લેવાયો 

ત્યારે ફરી એક વખત આપઘાતની ઘટના બનવાની હતી. 7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સીટીએમના ડબલ ડેકર બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવાનો હતો પરંતુ સમય રહેતા તેને આ પગલું ભરતા અટકાવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થી આપઘાત કરવા જતો હતો ત્યારે ત્યાંથી પસાર થતા લોકોની નજર પડતા સતત બૂમો પાડી હતી. વિદ્યાર્થીને આપઘાત કરતા પોલીસે બચાવ્યો હતો. 


કેમ આપઘાતનો પ્રયાસ કરાયો તે કારણ અકબંધ   

જ્યારે વિદ્યાર્થીને પકડવામાં આવ્યો તે બાદ તે બૂમો પાડતો હતો મને મરી જવા દો, મારે મરવું છે જેવી બૂમો પાડતો હતો. પોલીસે તેને શાંત રાખ્યો અને સમજાવટ બાદ તેને ઘરે  મોકલી દેવામાં આવ્યો હતો. 12 વર્ષનો છોકરો કયા કારણોસર આ પગલું ભરવાનો હતો તે જાણી શકાયું નથી. પરંતુ ખુશીની વાત એ છે કે તેને બચાવી લેવામાં આવ્યો છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.