સીટીએમ ડબલ ડેકર બ્રિજ પરથી 12 વર્ષનો વિદ્યાર્થી લગાવાનો હતો મોતની છલાંગ, સમય રહેતા પોલીસે બચાવી લીધો


  • Published By :
  • Published Date : 2023-02-18 11:31:33

રાજ્યમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી એક મહિલાએ પડતું મૂક્યું હતું ત્યારે આજે ફરી એક વિદ્યાર્થી બ્રિજ ઉપરથી મોતની છલાંગ મારવાનો હતો પરંતુ સમય રહેતા તેને બચાવી લેવામાં આવ્યો છે. બાળકને સમજાવી સહીસલામત તેને પોતાના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. 


યુવતીએ થોડા દિવસો પહેલા લગાવી હતી છલાંગ 

અમદાવાદ શહેરમાં જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા સીટીએમના ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.


આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીને બચાવી લેવાયો 

ત્યારે ફરી એક વખત આપઘાતની ઘટના બનવાની હતી. 7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સીટીએમના ડબલ ડેકર બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવાનો હતો પરંતુ સમય રહેતા તેને આ પગલું ભરતા અટકાવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થી આપઘાત કરવા જતો હતો ત્યારે ત્યાંથી પસાર થતા લોકોની નજર પડતા સતત બૂમો પાડી હતી. વિદ્યાર્થીને આપઘાત કરતા પોલીસે બચાવ્યો હતો. 


કેમ આપઘાતનો પ્રયાસ કરાયો તે કારણ અકબંધ   

જ્યારે વિદ્યાર્થીને પકડવામાં આવ્યો તે બાદ તે બૂમો પાડતો હતો મને મરી જવા દો, મારે મરવું છે જેવી બૂમો પાડતો હતો. પોલીસે તેને શાંત રાખ્યો અને સમજાવટ બાદ તેને ઘરે  મોકલી દેવામાં આવ્યો હતો. 12 વર્ષનો છોકરો કયા કારણોસર આ પગલું ભરવાનો હતો તે જાણી શકાયું નથી. પરંતુ ખુશીની વાત એ છે કે તેને બચાવી લેવામાં આવ્યો છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.