સીટીએમ ડબલ ડેકર બ્રિજ પરથી 12 વર્ષનો વિદ્યાર્થી લગાવાનો હતો મોતની છલાંગ, સમય રહેતા પોલીસે બચાવી લીધો


  • Published By :
  • Published Date : 2023-02-18 11:31:33

રાજ્યમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી એક મહિલાએ પડતું મૂક્યું હતું ત્યારે આજે ફરી એક વિદ્યાર્થી બ્રિજ ઉપરથી મોતની છલાંગ મારવાનો હતો પરંતુ સમય રહેતા તેને બચાવી લેવામાં આવ્યો છે. બાળકને સમજાવી સહીસલામત તેને પોતાના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. 


યુવતીએ થોડા દિવસો પહેલા લગાવી હતી છલાંગ 

અમદાવાદ શહેરમાં જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા સીટીએમના ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.


આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીને બચાવી લેવાયો 

ત્યારે ફરી એક વખત આપઘાતની ઘટના બનવાની હતી. 7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સીટીએમના ડબલ ડેકર બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવાનો હતો પરંતુ સમય રહેતા તેને આ પગલું ભરતા અટકાવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થી આપઘાત કરવા જતો હતો ત્યારે ત્યાંથી પસાર થતા લોકોની નજર પડતા સતત બૂમો પાડી હતી. વિદ્યાર્થીને આપઘાત કરતા પોલીસે બચાવ્યો હતો. 


કેમ આપઘાતનો પ્રયાસ કરાયો તે કારણ અકબંધ   

જ્યારે વિદ્યાર્થીને પકડવામાં આવ્યો તે બાદ તે બૂમો પાડતો હતો મને મરી જવા દો, મારે મરવું છે જેવી બૂમો પાડતો હતો. પોલીસે તેને શાંત રાખ્યો અને સમજાવટ બાદ તેને ઘરે  મોકલી દેવામાં આવ્યો હતો. 12 વર્ષનો છોકરો કયા કારણોસર આ પગલું ભરવાનો હતો તે જાણી શકાયું નથી. પરંતુ ખુશીની વાત એ છે કે તેને બચાવી લેવામાં આવ્યો છે.    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.