ભરુચમાં 25 વર્ષની ગેરન્ટીવાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં ધોવાયો, કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ ક્યારે સારા થશે?


  • Published By :
  • Published Date : 2024-07-29 18:40:53

વરસાદ થતાં જ અનેક રસ્તાઓ પર મસ મોટા ખાડા પડી જતા હોય છે. શહેરોમાં ખાડારાજ જોવા મળતું હોય છે. રસ્તાની કામગીરી વખતે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો હોય તેની પોલ વરસાદમાં ખુલી જાય છે. ભરૂચથી એક સમાચાર સામે આવ્યા કે જે રોડ 25 વર્ષ ટકશે તેવી વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી ઉદ્ધાટન વખતે તે રોડ માત્ર 3 મહિનાની અંદર ધોવાઈ ગયો..!

ધારાસભ્યએ ઉદ્ધાટન વખતે કહ્યું હતું કે...

ભરૂચમાં 25 વર્ષની ગેરેન્ટી સાથે બનાવેલો રસ્તો, 25 વર્ષ તો દૂર પણ 25 મહિના પણ ન ટક્યો..જંબુસર આમોદના ધારાસભ્યની 25 વર્ષની ગેરંટી વાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં જ ખખડી ગયો છે. સરકારના લાખો કરોડો રૂપિયાનો સતત બીજીવાર ધુમાડો થતો હોય તેમ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ રૂપિયા 13 કરોડના ખર્ચે બનાવામાં આવેલો રોડ ત્રણ મહિનામાં જ તૂટી ગયો હતો, જેની ફરિયાદ સામાન્ય નાગરિકોએ ગાંધીનગર ટ્રીબ્યુનલ કોર્ટમાં કરી. આશરે રૂપિયા 7.33 કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા થીંગડા મારવાનું કામ શરૂ કરાયું છે.


25 વર્ષની આપી હતી ગેરંટી પણ.... 

ચોમાસું આવતા જ અનેક રસ્તાઓ ખરાબ થઈ જતા હોય છે. રસ્તાઓ પર ખાડા જોવા મળતા હોય છે. ત્યારે ભરૂચમાં 25 વર્ષની ગેરંટી વાળો નેશનલ હાઇવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડી જતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થાય તે સ્વભાવિક છે. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ને ત્રણ મહિના પહેલા જ 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. ૨૫ વર્ષની ગેરંટી વાળો રોડ માત્ર ત્રણ મહિનામાં જ પહેલા વરસાદે ખખડી જતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામેની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે.


અનેક રસ્તાઓ પર પડી જતા હોય છે ગાબડા! 

ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તા પર ગાબડાઓ પડવાની શરૂઆત થઇ હતી. ગાબડાઓના લીધે આબરૂના ધજાગરા ઊડે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરે તાબડતોબ ગાબડાઓ પુરવાનું કામ શરૂ કરી દીધું હતું. જે રસ્તાને 25 વર્ષ સુધી કંઈ ન થવાનો દાવો કરવામાં આવ્યો હતો તે 25 વર્ષ તો દૂર 25 મહિના પહેલાં એટલે કે ત્રણ મહિનામાં જ તૂટવા લાગ્યો છે. નવા નક્કોર રસ્તાની પ્રથમ ચોમાસામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.