ભરુચમાં 25 વર્ષની ગેરન્ટીવાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં ધોવાયો, કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ ક્યારે સારા થશે?


  • Published By :
  • Published Date : 2024-07-29 18:40:53

વરસાદ થતાં જ અનેક રસ્તાઓ પર મસ મોટા ખાડા પડી જતા હોય છે. શહેરોમાં ખાડારાજ જોવા મળતું હોય છે. રસ્તાની કામગીરી વખતે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો હોય તેની પોલ વરસાદમાં ખુલી જાય છે. ભરૂચથી એક સમાચાર સામે આવ્યા કે જે રોડ 25 વર્ષ ટકશે તેવી વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી ઉદ્ધાટન વખતે તે રોડ માત્ર 3 મહિનાની અંદર ધોવાઈ ગયો..!

ધારાસભ્યએ ઉદ્ધાટન વખતે કહ્યું હતું કે...

ભરૂચમાં 25 વર્ષની ગેરેન્ટી સાથે બનાવેલો રસ્તો, 25 વર્ષ તો દૂર પણ 25 મહિના પણ ન ટક્યો..જંબુસર આમોદના ધારાસભ્યની 25 વર્ષની ગેરંટી વાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં જ ખખડી ગયો છે. સરકારના લાખો કરોડો રૂપિયાનો સતત બીજીવાર ધુમાડો થતો હોય તેમ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ રૂપિયા 13 કરોડના ખર્ચે બનાવામાં આવેલો રોડ ત્રણ મહિનામાં જ તૂટી ગયો હતો, જેની ફરિયાદ સામાન્ય નાગરિકોએ ગાંધીનગર ટ્રીબ્યુનલ કોર્ટમાં કરી. આશરે રૂપિયા 7.33 કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા થીંગડા મારવાનું કામ શરૂ કરાયું છે.


25 વર્ષની આપી હતી ગેરંટી પણ.... 

ચોમાસું આવતા જ અનેક રસ્તાઓ ખરાબ થઈ જતા હોય છે. રસ્તાઓ પર ખાડા જોવા મળતા હોય છે. ત્યારે ભરૂચમાં 25 વર્ષની ગેરંટી વાળો નેશનલ હાઇવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડી જતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થાય તે સ્વભાવિક છે. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ને ત્રણ મહિના પહેલા જ 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. ૨૫ વર્ષની ગેરંટી વાળો રોડ માત્ર ત્રણ મહિનામાં જ પહેલા વરસાદે ખખડી જતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામેની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે.


અનેક રસ્તાઓ પર પડી જતા હોય છે ગાબડા! 

ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તા પર ગાબડાઓ પડવાની શરૂઆત થઇ હતી. ગાબડાઓના લીધે આબરૂના ધજાગરા ઊડે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરે તાબડતોબ ગાબડાઓ પુરવાનું કામ શરૂ કરી દીધું હતું. જે રસ્તાને 25 વર્ષ સુધી કંઈ ન થવાનો દાવો કરવામાં આવ્યો હતો તે 25 વર્ષ તો દૂર 25 મહિના પહેલાં એટલે કે ત્રણ મહિનામાં જ તૂટવા લાગ્યો છે. નવા નક્કોર રસ્તાની પ્રથમ ચોમાસામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .