ભરુચમાં 25 વર્ષની ગેરન્ટીવાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં ધોવાયો, કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ ક્યારે સારા થશે?


  • Published By :
  • Published Date : 2024-07-29 18:40:53

વરસાદ થતાં જ અનેક રસ્તાઓ પર મસ મોટા ખાડા પડી જતા હોય છે. શહેરોમાં ખાડારાજ જોવા મળતું હોય છે. રસ્તાની કામગીરી વખતે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો હોય તેની પોલ વરસાદમાં ખુલી જાય છે. ભરૂચથી એક સમાચાર સામે આવ્યા કે જે રોડ 25 વર્ષ ટકશે તેવી વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી ઉદ્ધાટન વખતે તે રોડ માત્ર 3 મહિનાની અંદર ધોવાઈ ગયો..!

ધારાસભ્યએ ઉદ્ધાટન વખતે કહ્યું હતું કે...

ભરૂચમાં 25 વર્ષની ગેરેન્ટી સાથે બનાવેલો રસ્તો, 25 વર્ષ તો દૂર પણ 25 મહિના પણ ન ટક્યો..જંબુસર આમોદના ધારાસભ્યની 25 વર્ષની ગેરંટી વાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં જ ખખડી ગયો છે. સરકારના લાખો કરોડો રૂપિયાનો સતત બીજીવાર ધુમાડો થતો હોય તેમ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ રૂપિયા 13 કરોડના ખર્ચે બનાવામાં આવેલો રોડ ત્રણ મહિનામાં જ તૂટી ગયો હતો, જેની ફરિયાદ સામાન્ય નાગરિકોએ ગાંધીનગર ટ્રીબ્યુનલ કોર્ટમાં કરી. આશરે રૂપિયા 7.33 કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા થીંગડા મારવાનું કામ શરૂ કરાયું છે.


25 વર્ષની આપી હતી ગેરંટી પણ.... 

ચોમાસું આવતા જ અનેક રસ્તાઓ ખરાબ થઈ જતા હોય છે. રસ્તાઓ પર ખાડા જોવા મળતા હોય છે. ત્યારે ભરૂચમાં 25 વર્ષની ગેરંટી વાળો નેશનલ હાઇવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડી જતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થાય તે સ્વભાવિક છે. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ને ત્રણ મહિના પહેલા જ 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. ૨૫ વર્ષની ગેરંટી વાળો રોડ માત્ર ત્રણ મહિનામાં જ પહેલા વરસાદે ખખડી જતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામેની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે.


અનેક રસ્તાઓ પર પડી જતા હોય છે ગાબડા! 

ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તા પર ગાબડાઓ પડવાની શરૂઆત થઇ હતી. ગાબડાઓના લીધે આબરૂના ધજાગરા ઊડે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરે તાબડતોબ ગાબડાઓ પુરવાનું કામ શરૂ કરી દીધું હતું. જે રસ્તાને 25 વર્ષ સુધી કંઈ ન થવાનો દાવો કરવામાં આવ્યો હતો તે 25 વર્ષ તો દૂર 25 મહિના પહેલાં એટલે કે ત્રણ મહિનામાં જ તૂટવા લાગ્યો છે. નવા નક્કોર રસ્તાની પ્રથમ ચોમાસામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.