ભાજપના 33 વર્ષ જુના કાર્યકર્તાએ પાર્ટી વિરૂધ્ધ રોષ ઠાલવ્યો, સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-04 18:04:55

અપની બિલ્લી અપને કો મ્યાઉં...જો આવું જ કંઈક ભાજપમાં થાય તો શું થાય? હા પણ આવું જ કંઈક કર્યું છે ભાજપના 33 વર્ષ જુના એક કાર્યકર્તાએ પાર્ટીની નિતીઓ વિરૂધ્ધ રોષ વ્યક્ત કર્યો છે. રાજ્યમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ભરતી મેળાનો ભાજપના જ એક દાયકાઓ જુના કાર્યકરે વિરોધ કર્યો છે. ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીઓ આવે એટલે નેતાઓ પક્ષપલટો કરતા નજરે પડતા હોય છે. ભાજપ 156 સીટોથી પણ ધરાતી ના હોય તેમ ભરતી મેળો શરૂ કર્યો છે. જેમાં વિપક્ષી નેતાઓને ભાજપ તરફી ખેંચવામાં આવે છે. હાલ કોંગ્રેસ અને આપના નેતાઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકરોને ભાજપમાં લાવીને ખેસ પહેરાવવા માટે કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે ભાજપના આ ભરતી મેળાનો વિરોધ ભાજપના 33 વર્ષ જુના ભાજપના કાર્યકર્તાએ કર્યો છે.


સોશિયલ મીડિયા પોસ્ટ  વાયરલ થઈ


ભાજપના આ 33 વર્ષ જુના કાર્યકર્તાનું નામ જયદીપસિંહ વાઘેલા છે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે અને ભાજપ વિષે લખ્યું છે કે, રામ તેરી ગંગા મેલી હો ગઈ સત્તા કી લાલચ મેં..સાથે તેમને એવું પણ લખ્યું છે કે જે કોંગ્રેસના નેતાઓ ભાજપ અંગે જેમ-તેમ બોલતા હતા એ નેતાઓને ભાજપ કેવી રીતે સ્વીકારી શકે છે? જયદીપસિંહ વાઘેલાની આ સોશિયલ મીડિયા પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે અને પાર્ટી તથા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.