ભાજપના 33 વર્ષ જુના કાર્યકર્તાએ પાર્ટી વિરૂધ્ધ રોષ ઠાલવ્યો, સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-04 18:04:55

અપની બિલ્લી અપને કો મ્યાઉં...જો આવું જ કંઈક ભાજપમાં થાય તો શું થાય? હા પણ આવું જ કંઈક કર્યું છે ભાજપના 33 વર્ષ જુના એક કાર્યકર્તાએ પાર્ટીની નિતીઓ વિરૂધ્ધ રોષ વ્યક્ત કર્યો છે. રાજ્યમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ભરતી મેળાનો ભાજપના જ એક દાયકાઓ જુના કાર્યકરે વિરોધ કર્યો છે. ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીઓ આવે એટલે નેતાઓ પક્ષપલટો કરતા નજરે પડતા હોય છે. ભાજપ 156 સીટોથી પણ ધરાતી ના હોય તેમ ભરતી મેળો શરૂ કર્યો છે. જેમાં વિપક્ષી નેતાઓને ભાજપ તરફી ખેંચવામાં આવે છે. હાલ કોંગ્રેસ અને આપના નેતાઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકરોને ભાજપમાં લાવીને ખેસ પહેરાવવા માટે કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે ભાજપના આ ભરતી મેળાનો વિરોધ ભાજપના 33 વર્ષ જુના ભાજપના કાર્યકર્તાએ કર્યો છે.


સોશિયલ મીડિયા પોસ્ટ  વાયરલ થઈ


ભાજપના આ 33 વર્ષ જુના કાર્યકર્તાનું નામ જયદીપસિંહ વાઘેલા છે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે અને ભાજપ વિષે લખ્યું છે કે, રામ તેરી ગંગા મેલી હો ગઈ સત્તા કી લાલચ મેં..સાથે તેમને એવું પણ લખ્યું છે કે જે કોંગ્રેસના નેતાઓ ભાજપ અંગે જેમ-તેમ બોલતા હતા એ નેતાઓને ભાજપ કેવી રીતે સ્વીકારી શકે છે? જયદીપસિંહ વાઘેલાની આ સોશિયલ મીડિયા પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે અને પાર્ટી તથા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે