ભાજપના 33 વર્ષ જુના કાર્યકર્તાએ પાર્ટી વિરૂધ્ધ રોષ ઠાલવ્યો, સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-04 18:04:55

અપની બિલ્લી અપને કો મ્યાઉં...જો આવું જ કંઈક ભાજપમાં થાય તો શું થાય? હા પણ આવું જ કંઈક કર્યું છે ભાજપના 33 વર્ષ જુના એક કાર્યકર્તાએ પાર્ટીની નિતીઓ વિરૂધ્ધ રોષ વ્યક્ત કર્યો છે. રાજ્યમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ભરતી મેળાનો ભાજપના જ એક દાયકાઓ જુના કાર્યકરે વિરોધ કર્યો છે. ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીઓ આવે એટલે નેતાઓ પક્ષપલટો કરતા નજરે પડતા હોય છે. ભાજપ 156 સીટોથી પણ ધરાતી ના હોય તેમ ભરતી મેળો શરૂ કર્યો છે. જેમાં વિપક્ષી નેતાઓને ભાજપ તરફી ખેંચવામાં આવે છે. હાલ કોંગ્રેસ અને આપના નેતાઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકરોને ભાજપમાં લાવીને ખેસ પહેરાવવા માટે કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે ભાજપના આ ભરતી મેળાનો વિરોધ ભાજપના 33 વર્ષ જુના ભાજપના કાર્યકર્તાએ કર્યો છે.


સોશિયલ મીડિયા પોસ્ટ  વાયરલ થઈ


ભાજપના આ 33 વર્ષ જુના કાર્યકર્તાનું નામ જયદીપસિંહ વાઘેલા છે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે અને ભાજપ વિષે લખ્યું છે કે, રામ તેરી ગંગા મેલી હો ગઈ સત્તા કી લાલચ મેં..સાથે તેમને એવું પણ લખ્યું છે કે જે કોંગ્રેસના નેતાઓ ભાજપ અંગે જેમ-તેમ બોલતા હતા એ નેતાઓને ભાજપ કેવી રીતે સ્વીકારી શકે છે? જયદીપસિંહ વાઘેલાની આ સોશિયલ મીડિયા પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે અને પાર્ટી તથા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.