Patanમાં 41 વર્ષીય યુવાનને આવ્યો Heart Attack, Corona બાદ Heart Attackના કેસમાં ધરખમ વધારો


  • Published By :
  • Published Date : 2023-10-17 12:15:41

છેલ્લા ઘણા દિવસોથી એક સમાચાર તો આવતા હોય છે કે હાર્ટ એટેકને કારણે આજે આટલા લોકોના જીવ ગયા. કોરોના બાદ યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે તે સમાચાર અમે પણ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. યુવાનો હાર્ટ એેટેકનો ભોગ બની રહ્યા છે તેવી લાઈન અમે લખતા હોઈએ છીએ. ત્યારે ફરી એક આશાવાદ યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. આજે પાટણથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 41 વર્ષિય રાજુભાઈ પ્રજાપતિનું મોત બાથરૂમમાં થઈ ગયું છે. ન્હાતી વખતે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો, ઢળી પડ્યા અને અંતે મોતને ભેટ્યા. આ સમાચાર સાંભળી ન માત્ર પરિવાર પરંતુ સમાજમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી કારણ કે તેઓ સેવાભાવી સ્વભાવના હતા. 

One more person died of heart attack in the state, a 41-year-old person suffered an attack in Patan રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સા વધ્યા


યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

વર્તમાન પળમાં જીવવું એવા વાક્યો આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ. કાળ કોને ભરખી જશે તેની ખબર નથી હોતી. કોઈના મોત અકસ્માતને કારણે થાય છે તો કોઈના મોત હાર્ટ એટેકને કારણે થાય. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે તેવી વાતો આપણે સાંભળી છે. પરંતુ જ્યારે આપણે આપણા સ્વજનને ગુમાવીએ છીએ ત્યારે દુ:ખ થાય છે. પરિવાર પર આ દુખનું આભ ફાટી પડતું હોય છે. ત્યારે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. અનેક આશાવાદી યુવાનોએ તો પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એક સમાચાર તો સામાન્ય રીતે સામે આવતા હોય છે જેમાં યુવાનો મોતને હાર્ટ એટેકને કારણે ભેટી રહ્યા છે. કોણ ક્યારે કાળનો કોળિયો બની જશે તે જાણી શકાતું નથી.


41 વર્ષીય રાજુભાઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત 

કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ગરબા કરતા કરતા, કોઈ યોગા કરતા કરતા કે કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. શાળામાં ભણતા બાળકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. જામનગરથી થોડા દિવસ પહેલા આવો કિસ્સો સામે આવ્યો હતો. તે ઉપરાંત થોડા દિવસોની અંદર જ હાર્ટ એટેકના અનેક બનાવો આપણી સામે આવી રહ્યા છે. આજે પણ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. પાટણમાં  41 વર્ષીય રાજુ પ્રજાપતિ ખોખરવાડામાં રહેતા હતા. ન્હાવા ગયા ત્યારે તેમની છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો અને મોત થઈ ગયું. અચાનક મોત થવાને કારણે પરિવારમાં તો શોકનો માહોલ જોવા મળ્યો છે ઉપરાંત તે અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હતા જેને કારણે સમાજમાં પણ શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. આની પહેલા પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.