Patanમાં 41 વર્ષીય યુવાનને આવ્યો Heart Attack, Corona બાદ Heart Attackના કેસમાં ધરખમ વધારો


  • Published By :
  • Published Date : 2023-10-17 12:15:41

છેલ્લા ઘણા દિવસોથી એક સમાચાર તો આવતા હોય છે કે હાર્ટ એટેકને કારણે આજે આટલા લોકોના જીવ ગયા. કોરોના બાદ યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે તે સમાચાર અમે પણ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. યુવાનો હાર્ટ એેટેકનો ભોગ બની રહ્યા છે તેવી લાઈન અમે લખતા હોઈએ છીએ. ત્યારે ફરી એક આશાવાદ યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. આજે પાટણથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 41 વર્ષિય રાજુભાઈ પ્રજાપતિનું મોત બાથરૂમમાં થઈ ગયું છે. ન્હાતી વખતે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો, ઢળી પડ્યા અને અંતે મોતને ભેટ્યા. આ સમાચાર સાંભળી ન માત્ર પરિવાર પરંતુ સમાજમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી કારણ કે તેઓ સેવાભાવી સ્વભાવના હતા. 

One more person died of heart attack in the state, a 41-year-old person suffered an attack in Patan રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સા વધ્યા


યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

વર્તમાન પળમાં જીવવું એવા વાક્યો આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ. કાળ કોને ભરખી જશે તેની ખબર નથી હોતી. કોઈના મોત અકસ્માતને કારણે થાય છે તો કોઈના મોત હાર્ટ એટેકને કારણે થાય. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે તેવી વાતો આપણે સાંભળી છે. પરંતુ જ્યારે આપણે આપણા સ્વજનને ગુમાવીએ છીએ ત્યારે દુ:ખ થાય છે. પરિવાર પર આ દુખનું આભ ફાટી પડતું હોય છે. ત્યારે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. અનેક આશાવાદી યુવાનોએ તો પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એક સમાચાર તો સામાન્ય રીતે સામે આવતા હોય છે જેમાં યુવાનો મોતને હાર્ટ એટેકને કારણે ભેટી રહ્યા છે. કોણ ક્યારે કાળનો કોળિયો બની જશે તે જાણી શકાતું નથી.


41 વર્ષીય રાજુભાઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત 

કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ગરબા કરતા કરતા, કોઈ યોગા કરતા કરતા કે કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. શાળામાં ભણતા બાળકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. જામનગરથી થોડા દિવસ પહેલા આવો કિસ્સો સામે આવ્યો હતો. તે ઉપરાંત થોડા દિવસોની અંદર જ હાર્ટ એટેકના અનેક બનાવો આપણી સામે આવી રહ્યા છે. આજે પણ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. પાટણમાં  41 વર્ષીય રાજુ પ્રજાપતિ ખોખરવાડામાં રહેતા હતા. ન્હાવા ગયા ત્યારે તેમની છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો અને મોત થઈ ગયું. અચાનક મોત થવાને કારણે પરિવારમાં તો શોકનો માહોલ જોવા મળ્યો છે ઉપરાંત તે અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હતા જેને કારણે સમાજમાં પણ શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. આની પહેલા પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 






સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.