ન્યુઝીલેન્ડમાં આવ્યો 7.1 તીવ્રતાનો ભૂકંપ, ધરતીકંપ બાદ સુનામી માટે રહેવું પડશે તૈયાર!


  • Published By :
  • Published Date : 2023-03-16 09:29:20

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપે વિનાશ સર્જયો હતો. હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા જ્યારે હજારો લોકો નિરાધાર બની ગયા હતા. ભૂકંપને લઈ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે ત્યારે ન્યુઝીલેન્ડમાં પણ ભારે તીવ્રતાવાળા ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1ની નોંધાઈ હતી.


રિક્ટર સ્કેલ પર નોંધાઈ 7.1ની તીવ્રતા 

ભૂકંપના આંચકાનો અનુભવ અનેક દેશોમાં થઈ રહ્યો છે. અનેક દેશોમાં ધરતીકંપના આંચકાને લઈ ભારે નુકસાન થતું હોય છે. તુર્કી અને સીરિયામાં ભારે નુકસાન ધરતીકંપને કારણે થયું છે. તે બાદ અફઘાનિસ્તાન સહિત અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ત્યારે ગુરૂવારે ન્યુઝીલેન્ડમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપ ન્યુઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર અંદર નોંધાયું હતું. ભૂકંપ બાદ સુનામી માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.