ન્યુઝીલેન્ડમાં આવ્યો 7.1 તીવ્રતાનો ભૂકંપ, ધરતીકંપ બાદ સુનામી માટે રહેવું પડશે તૈયાર!


  • Published By :
  • Published Date : 2023-03-16 09:29:20

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપે વિનાશ સર્જયો હતો. હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા જ્યારે હજારો લોકો નિરાધાર બની ગયા હતા. ભૂકંપને લઈ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે ત્યારે ન્યુઝીલેન્ડમાં પણ ભારે તીવ્રતાવાળા ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1ની નોંધાઈ હતી.


રિક્ટર સ્કેલ પર નોંધાઈ 7.1ની તીવ્રતા 

ભૂકંપના આંચકાનો અનુભવ અનેક દેશોમાં થઈ રહ્યો છે. અનેક દેશોમાં ધરતીકંપના આંચકાને લઈ ભારે નુકસાન થતું હોય છે. તુર્કી અને સીરિયામાં ભારે નુકસાન ધરતીકંપને કારણે થયું છે. તે બાદ અફઘાનિસ્તાન સહિત અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ત્યારે ગુરૂવારે ન્યુઝીલેન્ડમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપ ન્યુઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર અંદર નોંધાયું હતું. ભૂકંપ બાદ સુનામી માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."