Ahmedabadમાં 7 વર્ષની બાળકી બની હવસનો શિકાર, પહેલા શારીરિક અડપલા કર્યા અને પછી...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-16 14:39:21

ગુજરાતને એકસમયે સેફ રાજ્ય માનવામાં આવતું હતું. એવી પરિસ્થિતિ હતી કે દીકરી જો ઘરેથી નીકળતી તો પરિવારજનોને ચિંતા થતી ન હતી. પરંતુ હવે પરિસ્થિતિ એકદમ અલગ બદલાઈ ગઈ છે. આપણા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તેના અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે. બળાત્કારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હેવાનિયતની તમામ હદ પાર થઈ ગઈ છે. 7 વર્ષીય દીકરી પર પાડોશીએ દુષ્કર્મ આચર્યું છે અને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. વટવા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

ગુજરાતમાં વધુ એક બાળકી ઉપર દુષ્કર્મ કરીને હત્યાની ઘટના, સુરતમાં અઢી વર્ષની  બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમમાં ...

સાત વર્ષની દીકરી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ!

નાની નાની બાળકીઓ લોકોના હવસનો શિકાર બની રહી છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં માસુમ બાળકી પર જબરદસ્તી કરવામાં આવતી હોય છે. અનેક કિસ્સાઓ તો એવા છે જેમાં ઘટનાની જાણ કોઈને થાય નહીં તે માટે બાળકીની હત્યા કરી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. વટવાથી એક કિસ્સો સામે આવ્યો જેમાં સાત વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેના પાડોશી દ્વારા આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. અને પછી બાળકીની હત્યા કરવામાં આવી. 


બાળકીએ બૂમો પાડવાની શરૂઆત કરી, આરોપીએ ગળું દબાવ્યું!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો બિહારથી વટવા મૃતકનો પરિવાર આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતક બાળકીને પોલિયોની બીમારી હતી અને તેની સારવાર કરાવવા માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. આરોપીએ બાળકીને લાલચ આપી તેના ઘરે બોલાવી. જ્યારે બાળકી આરોપીના ઘરે ગઈ હતી ત્યારે તેની સાથે જબરદસ્તી કરવામાં આવી. અડપલા કરાતા બાળકીએ  બૂમાબૂમ કરવાની શરૂઆત કરી. બાળકી બૂમો ના પાડે તે માટે આરોપીએ તેનું ગળું દબાવ્યું. આ દરમિયાન બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી અને શ્વાસ રૂંધાવાને કારણે તેનું મોત નિપજ્યું. અનેક કલાકો વિત્યા બાદ પણ બાળકી ઘરે ન આવી તો પરિવારજનોએ શોધખોળ કરી. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં આરોપીના ઘરે મળી. 


આ મામલે પોલીસે હાથ ધરી તપાસ  

જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો ત્યારે બાળકીના કપડા વેરવિખેર હતા અને ગુપ્તાંગમાં પણ ઈજાઓ થયેલી હતી. ઘટનાની જાણ થતા આરોપીની ધૂલાઈ કરવામાં આવી. ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને કરાતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.