Ahmedabadમાં 7 વર્ષની બાળકી બની હવસનો શિકાર, પહેલા શારીરિક અડપલા કર્યા અને પછી...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-16 14:39:21

ગુજરાતને એકસમયે સેફ રાજ્ય માનવામાં આવતું હતું. એવી પરિસ્થિતિ હતી કે દીકરી જો ઘરેથી નીકળતી તો પરિવારજનોને ચિંતા થતી ન હતી. પરંતુ હવે પરિસ્થિતિ એકદમ અલગ બદલાઈ ગઈ છે. આપણા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તેના અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે. બળાત્કારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હેવાનિયતની તમામ હદ પાર થઈ ગઈ છે. 7 વર્ષીય દીકરી પર પાડોશીએ દુષ્કર્મ આચર્યું છે અને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. વટવા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

ગુજરાતમાં વધુ એક બાળકી ઉપર દુષ્કર્મ કરીને હત્યાની ઘટના, સુરતમાં અઢી વર્ષની  બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમમાં ...

સાત વર્ષની દીકરી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ!

નાની નાની બાળકીઓ લોકોના હવસનો શિકાર બની રહી છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં માસુમ બાળકી પર જબરદસ્તી કરવામાં આવતી હોય છે. અનેક કિસ્સાઓ તો એવા છે જેમાં ઘટનાની જાણ કોઈને થાય નહીં તે માટે બાળકીની હત્યા કરી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. વટવાથી એક કિસ્સો સામે આવ્યો જેમાં સાત વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેના પાડોશી દ્વારા આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. અને પછી બાળકીની હત્યા કરવામાં આવી. 


બાળકીએ બૂમો પાડવાની શરૂઆત કરી, આરોપીએ ગળું દબાવ્યું!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો બિહારથી વટવા મૃતકનો પરિવાર આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતક બાળકીને પોલિયોની બીમારી હતી અને તેની સારવાર કરાવવા માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. આરોપીએ બાળકીને લાલચ આપી તેના ઘરે બોલાવી. જ્યારે બાળકી આરોપીના ઘરે ગઈ હતી ત્યારે તેની સાથે જબરદસ્તી કરવામાં આવી. અડપલા કરાતા બાળકીએ  બૂમાબૂમ કરવાની શરૂઆત કરી. બાળકી બૂમો ના પાડે તે માટે આરોપીએ તેનું ગળું દબાવ્યું. આ દરમિયાન બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી અને શ્વાસ રૂંધાવાને કારણે તેનું મોત નિપજ્યું. અનેક કલાકો વિત્યા બાદ પણ બાળકી ઘરે ન આવી તો પરિવારજનોએ શોધખોળ કરી. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં આરોપીના ઘરે મળી. 


આ મામલે પોલીસે હાથ ધરી તપાસ  

જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો ત્યારે બાળકીના કપડા વેરવિખેર હતા અને ગુપ્તાંગમાં પણ ઈજાઓ થયેલી હતી. ઘટનાની જાણ થતા આરોપીની ધૂલાઈ કરવામાં આવી. ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને કરાતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.