નાની ઉંમરે આદ્યાએ મેળવી મોટી સિદ્ધિ, શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગમાં આ ફિલ્મ માટે મેળવ્યો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ


  • Published By :
  • Published Date : 2024-10-23 18:16:17

ગુજરાતી ફિલ્મો શાનદાર પ્રદર્શન કરી રહી છે.. અલગ કોન્સેપ્ટ સાથે ગુજરાતી ફિલ્મો આવી રહી છે. ના માત્ર ફિલ્મો પરંતુ શોર્ટ ફિલ્મો પણ સારૂં પ્રદર્શન કરી રહી છે.. અમદાવાદ ખાતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગનું આયોજન કરવામાં આવ્યું હતું... આ ફેસ્ટિવલમાં 277 ફિલ્મો વચ્ચે જંગ જામ્યો હતો જેમાંથી આદ્યા ત્રિવેદીએ તેની ડેબ્યૂ ફિલ્મ મિટ્ટી પાની માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો છે... ઉપરાંત ફિલ્મના કલાકારો કીર્તિ સોની અને શ્રેય મરાડિયાએ શ્રેષ્ઠ મહિલા અને શ્રેષ્ઠ પુરુષ અભિનેતા તરીકેનો એવોર્ડ જીત્યો છે. એમ મિટ્ટી પાનીએ ત્રણ પુરસ્કાર હાંસલ કર્યા છે...    



અમદાવાદ ખાતે કરાયું શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગ 

એક સમય હતો જ્યારે દર્શકો માનતા હતા કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારી ફિલ્મો નથી આવી રહી... ધીરે ધીરે ઓડિયન્સની આ ફરિયાદ ઓછી થતી ગઈ અને ગુજરાતી ફિલ્મ જગતમાં ફિલ્મો આવવા લાગી અને દર્શકોએ તેનો સ્વીકાર કર્યો.. અનેક એવી ફિલ્મો છે જેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે....  અનેક એવી શોર્ટ ફિલ્મો પણ છે જેણે સારૂં પ્રદર્શન કર્યું છે. ત્યારે શોર્ટ ફિલ્મમાં સારૂં કામ કરનાર ફિલ્મને પ્રોત્સાહિત કરવા માટે સપ્તરંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.. અમદાવાદ ખાતે યોજાયેલા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગના મુખ્ય અતિથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા અને આ ફેસ્ટનું આયોજન 19 અને 20 ઓક્ટોબરે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં થયું હતું.. 



ઉભરતા ફિલ્મ સર્જકોને આપવામાં આવ્યું માર્ગદર્શન!  

આ ફેસ્ટમાં જાણીતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લેખક અને દિગ્દર્શક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક વિજયગીરી બાવા સહિત મોટા ભાગના એક્ટર ઉપસ્થિત હતા. દિગ્દર્શક ર્શકોએ તેમના અનુભવો શેર કર્યા હતા અને ઉભરતા ફિલ્મ સર્જકોને  માર્ગદર્શન આપ્યું હતું.. આ ફેસ્ટમાં મિટ્ટી પાનીએ ત્રણ પુરસ્કાર જીત્યા હતા.. મિટ્ટી પાનીના ડિરેક્ટરની વાત કરીએ તો આદ્યા 20 વર્ષના છે અને તે મુંબઈમાં રહે છે પરંતુ મૂળ તે ગુજરાતના પાલનપુરના છે..



કોને કોને મળ્યો પુરસ્કાર?

મિટ્ટી પાની એ પ્રખ્યાત ગુજરાતી લેખક દોલત ભટ્ટ દ્વારા લખાયેલી ટૂંકી વાર્તા પર આધારિત એક મ્યુઝિકલ શોર્ટ ફિલ્મ છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે આદ્યાએ પ્રખ્યાત લેખક મિહિર ભૂતા સાથે લખ્યો છે.  આ ફિલ્મમાં અભિનેતા જયેશ મોરે,કલ્પના ગાગડેકર, કીર્તિ સોની અને શ્રેય મરડિયાએ  અભિનય કર્યો છે. તેમજ ત્રણ ગીતો અને પૃષ્ઠભૂમિ સંગીત અમર ખાંધાનું મૂળ સર્જન છે અને પ્રખ્યાત લેખક પંકજ ત્રિવેદીએ આ ફિલ્મના ગીતો લખ્યા છે. આ ફિલ્મ ડીઓપી અંકિત ત્રિવેદીએ શૂટ કરી છે અને ફૈઝલ મહાડિક દ્વારા સંપાદિત કરવામાં આવી છે.  જમાવટની ટીમે આદ્યા સાથે વાત કરી હતી જેમાં તેમણે એવોર્ડ મળવાથી અત્યંત ખુશ છે... તે પોતાનું કેરિયલ આમાં જ બનાવા માગે છે તેવી વાત કરી હતી..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.