લોકસભા ચૂંટણી પહેલા માયાવતીને મોટો ઝટકો, 10 સાંસદો BSP સાથે છેડો ફાડશે


  • Published By :
  • Published Date : 2024-02-21 14:10:04

લોકસભા ચૂંટણી પહેલા દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને મોટો ઝટકો લાગી શકે છે. 2019માં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંટણીમાં BSPના સિમ્બોલ પર જીતેલા 10 સાંસદો માયાવતીનો સાથ છોડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BSPના તમામ સાંસદ અન્ય પાર્ટીઓમાં સામેલ થઈ શકે છે.


સાંસદો અન્ય પાર્ટીના સંપર્કમાં 


લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ, સપા અને કોંગ્રેસની નજર BSPના તમામ સાંસદો પર છે. કહેવામાં આવી રહ્યું છે કે માયાવતીની પાર્ટીના 4 સાંસદ બીજેપી, 3 સમાજવાદી પાર્ટી અને 3 કોંગ્રેસના સંપર્કમાં છે. માયાવતીનો ઈરોદા જાણી ગયેલા સાંસદોએ અન્યત્ર શરણું શોધવાનું શરૂ કર્યું છે. 


આ સાંસદો કરી શકે છે પક્ષપલટો


જૌનપુરથી શ્યામ સિંહ યાદવ, લાલગંજ સીટથી સંગીતા આઝાદ, આંબેડકર નગરથી રિતેશ પાંડે, શ્રાવસ્તીથી રામ શિરોમણી, બિજનૌરથી મલૂક નાગર, અમરોહાથી કુંવર દાનિશ અલી, સહારનપુરથી હાજી ફઝલુર રહેમાન, નગીનાથી ગીરીશ ચંદ્ર જાટવ, ઘોસીથી અતુલ કુમાર રાય અને ગાઝીપુરથી અફઝલ અંસારી હાલમાં બીએસપીના સાંસદ છે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.