લોકસભા ચૂંટણી પહેલા માયાવતીને મોટો ઝટકો, 10 સાંસદો BSP સાથે છેડો ફાડશે


  • Published By :
  • Published Date : 2024-02-21 14:10:04

લોકસભા ચૂંટણી પહેલા દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને મોટો ઝટકો લાગી શકે છે. 2019માં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંટણીમાં BSPના સિમ્બોલ પર જીતેલા 10 સાંસદો માયાવતીનો સાથ છોડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BSPના તમામ સાંસદ અન્ય પાર્ટીઓમાં સામેલ થઈ શકે છે.


સાંસદો અન્ય પાર્ટીના સંપર્કમાં 


લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ, સપા અને કોંગ્રેસની નજર BSPના તમામ સાંસદો પર છે. કહેવામાં આવી રહ્યું છે કે માયાવતીની પાર્ટીના 4 સાંસદ બીજેપી, 3 સમાજવાદી પાર્ટી અને 3 કોંગ્રેસના સંપર્કમાં છે. માયાવતીનો ઈરોદા જાણી ગયેલા સાંસદોએ અન્યત્ર શરણું શોધવાનું શરૂ કર્યું છે. 


આ સાંસદો કરી શકે છે પક્ષપલટો


જૌનપુરથી શ્યામ સિંહ યાદવ, લાલગંજ સીટથી સંગીતા આઝાદ, આંબેડકર નગરથી રિતેશ પાંડે, શ્રાવસ્તીથી રામ શિરોમણી, બિજનૌરથી મલૂક નાગર, અમરોહાથી કુંવર દાનિશ અલી, સહારનપુરથી હાજી ફઝલુર રહેમાન, નગીનાથી ગીરીશ ચંદ્ર જાટવ, ઘોસીથી અતુલ કુમાર રાય અને ગાઝીપુરથી અફઝલ અંસારી હાલમાં બીએસપીના સાંસદ છે.



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.