Maharastraમાં Congressને મોટો ફટકો, આ પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, એવી અટકળો તેજ બની કે...


  • Published By :
  • Published Date : 2024-02-12 15:49:09

ગુજરાત કોંગ્રેસમાં તો એક સાંધે અને તેર તૂટે તેવી પરસ્થિતિ સર્જાઈ છે. એક બાદ એક અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. તમને થશે કે ગુજરાતમાં આવું રોજનું રહ્યું.. પરંતુ આજે વાત કરવી છે મહારાષ્ટ્રના રાજકારણની... મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને પત્ર મોકલ્યો છે જેમાં તેમણે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા છોડવા માટે રાજીનામું આપી દીધું છે. એવી અટકળો પણ તેજ બની કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.   

छवि

ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું! 

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાંથી એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધી છે. તેમણે ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી અનુસાર અશોક ચવ્હાણ સાથે કોંગ્રેસના 13 જેટલા કદાવર નેતા ભાજપમાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. ત્યારે આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. 


આની પહેલા આ દિગ્ગજ નેતા આપી ચૂક્યા છે રાજીનામું! 

રાજીનામા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે 'મેં મીડિયા પાસેથી અશોક ચવ્હાણ વિશે સાંભળ્યું. પરંતુ અત્યારે હું એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. પ્રજા સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ પક્ષમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મને ખાતરી છે કે કેટલાક મોટા ચહેરાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે. ચાલો જોઈએ આગળ શું થાય છે...' મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણી યોજાવાની છે અને તેની પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી જઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું આ રાજીનામાનો દોર ક્યારે અટકે છે?    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.