Maharastraમાં Congressને મોટો ફટકો, આ પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, એવી અટકળો તેજ બની કે...


  • Published By :
  • Published Date : 2024-02-12 15:49:09

ગુજરાત કોંગ્રેસમાં તો એક સાંધે અને તેર તૂટે તેવી પરસ્થિતિ સર્જાઈ છે. એક બાદ એક અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. તમને થશે કે ગુજરાતમાં આવું રોજનું રહ્યું.. પરંતુ આજે વાત કરવી છે મહારાષ્ટ્રના રાજકારણની... મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને પત્ર મોકલ્યો છે જેમાં તેમણે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા છોડવા માટે રાજીનામું આપી દીધું છે. એવી અટકળો પણ તેજ બની કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.   

छवि

ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું! 

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાંથી એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધી છે. તેમણે ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી અનુસાર અશોક ચવ્હાણ સાથે કોંગ્રેસના 13 જેટલા કદાવર નેતા ભાજપમાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. ત્યારે આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. 


આની પહેલા આ દિગ્ગજ નેતા આપી ચૂક્યા છે રાજીનામું! 

રાજીનામા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે 'મેં મીડિયા પાસેથી અશોક ચવ્હાણ વિશે સાંભળ્યું. પરંતુ અત્યારે હું એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. પ્રજા સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ પક્ષમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મને ખાતરી છે કે કેટલાક મોટા ચહેરાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે. ચાલો જોઈએ આગળ શું થાય છે...' મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણી યોજાવાની છે અને તેની પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી જઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું આ રાજીનામાનો દોર ક્યારે અટકે છે?    




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.