Maharastraમાં Congressને મોટો ફટકો, આ પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, એવી અટકળો તેજ બની કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 15:49:09

ગુજરાત કોંગ્રેસમાં તો એક સાંધે અને તેર તૂટે તેવી પરસ્થિતિ સર્જાઈ છે. એક બાદ એક અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. તમને થશે કે ગુજરાતમાં આવું રોજનું રહ્યું.. પરંતુ આજે વાત કરવી છે મહારાષ્ટ્રના રાજકારણની... મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને પત્ર મોકલ્યો છે જેમાં તેમણે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા છોડવા માટે રાજીનામું આપી દીધું છે. એવી અટકળો પણ તેજ બની કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.   

छवि

ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું! 

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાંથી એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધી છે. તેમણે ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી અનુસાર અશોક ચવ્હાણ સાથે કોંગ્રેસના 13 જેટલા કદાવર નેતા ભાજપમાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. ત્યારે આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. 


આની પહેલા આ દિગ્ગજ નેતા આપી ચૂક્યા છે રાજીનામું! 

રાજીનામા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે 'મેં મીડિયા પાસેથી અશોક ચવ્હાણ વિશે સાંભળ્યું. પરંતુ અત્યારે હું એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. પ્રજા સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ પક્ષમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મને ખાતરી છે કે કેટલાક મોટા ચહેરાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે. ચાલો જોઈએ આગળ શું થાય છે...' મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણી યોજાવાની છે અને તેની પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી જઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું આ રાજીનામાનો દોર ક્યારે અટકે છે?    




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.