Maharastraમાં Congressને મોટો ફટકો, આ પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, એવી અટકળો તેજ બની કે...


  • Published By :
  • Published Date : 2024-02-12 15:49:09

ગુજરાત કોંગ્રેસમાં તો એક સાંધે અને તેર તૂટે તેવી પરસ્થિતિ સર્જાઈ છે. એક બાદ એક અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. તમને થશે કે ગુજરાતમાં આવું રોજનું રહ્યું.. પરંતુ આજે વાત કરવી છે મહારાષ્ટ્રના રાજકારણની... મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને પત્ર મોકલ્યો છે જેમાં તેમણે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા છોડવા માટે રાજીનામું આપી દીધું છે. એવી અટકળો પણ તેજ બની કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.   

छवि

ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું! 

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાંથી એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધી છે. તેમણે ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી અનુસાર અશોક ચવ્હાણ સાથે કોંગ્રેસના 13 જેટલા કદાવર નેતા ભાજપમાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. ત્યારે આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. 


આની પહેલા આ દિગ્ગજ નેતા આપી ચૂક્યા છે રાજીનામું! 

રાજીનામા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે 'મેં મીડિયા પાસેથી અશોક ચવ્હાણ વિશે સાંભળ્યું. પરંતુ અત્યારે હું એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. પ્રજા સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ પક્ષમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મને ખાતરી છે કે કેટલાક મોટા ચહેરાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે. ચાલો જોઈએ આગળ શું થાય છે...' મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણી યોજાવાની છે અને તેની પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી જઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું આ રાજીનામાનો દોર ક્યારે અટકે છે?    




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.