રાજ્યના પ્રવાસી શિક્ષકોને મોટો ઝટકો, સરકારનો 4300 પ્રવાસી શિક્ષકોની મુદ્દત પૂર્ણ થતા છૂટા કરવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2024-01-24 20:15:02

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે (Education Department) પ્રવાસી શિક્ષકોને લઈ મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતની સરકારી શાળાઓમાંથી 4300 પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો ફેંસલો કર્યો છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કાયમી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયકની નિમણૂકનો નિર્ણય લેવાયો હતો, પરંતુ જ્યાં સુધી જ્ઞાન સહાયકોની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રવાસી યોજના ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું. જેમાં 6 માસ અથવા જ્ઞાન સહાયકની નિમણૂક બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની મુદત આપવામાં આવી હતી. આ દરમિયાન મંગળવારના રોજ પ્રવાસી શિક્ષકોની મુદતમાં વધારો કરાયાની 6 માસની મર્યાદા પૂર્ણ થતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં કાર્યરત પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા માટે આદેશ કરાયો છે. આ નિર્ણય પાછળનું કારણ ગુજરાતમાં જ્ઞાન સહાયકોની ભરતી થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે અગાઉ જ્ઞાન સહાયકોને બદલે પ્રવાસી શિક્ષકો (Visiting Teacher)ની નિમણૂંક કરવામાં આવી હતી.


 પ્રવાસી શિક્ષકોની ભરતી હંગામી હતી


રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના રદ કરી તેના સ્થાને જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી. જેમાં કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષણ કરાવવાનું આયોજન કર્યું હતું. જોકે, રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં લાંબો સમય લાગે તેમ હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના લંબાવવાનું નક્કી કરાયું હતું. જેમાં બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વચગાળાની વ્યવસ્થાના ભાગ રૂપે તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગે પ્રવાસી શિક્ષક યોજનાને વધુમાં વધ 6 માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, ઠરાવ અનુસાર પ્રવાસી યોજનાને 6 માસનો સમય 23 જાન્યુઆરી, 2024ના રોજ પૂર્ણ થતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના પૂર્ણ કરવામાં આવી છે. જેથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા માટે વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. 


તાસ દીઠ અપાતો હતો પગાર

રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોને તાસ દીઠ પગાર અપાતો હતો, જો કે જ્ઞાન સહાયકોની ફિકસ પગારથી ભરતી કરાઈ છે. પ્રાથમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને 21 હજાર, માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને માસિક 24 હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને 26 હજાર પગાર આપવામાં આવે છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે