ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના કરી બંધ


  • Published By :
  • Published Date : 2023-10-23 16:04:10

ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્યની રાજ્યની સ્વનિર્ભર(નોન ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ 7500 સહાય શાળાને આપવામાં આવતી હતી. સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શાળાઓને મોટો ફટકો પડશે. આ યોજનાને લઈ રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં અનેક પ્રકારની ગેરરીતિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે તપાસ બાદ અંતે યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


શા માટે અપાતી હતી આર્થિક સહાય?


ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ રાજયમાં ચાલતી નોન ગ્રાન્ટેડ બિન સરકારી માધ્યમિક શાળાઓમાં ચાલતી રોજિંદી પ્રવૃતિઓ માટે મદદરૂપ થઈ શકાય તે માટે આ યોજના હેઠળ મદદ કરતો હતો. સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાંઅભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા, શાળાના શૈક્ષણિક સ્ટાફની લાયકાત અને શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ માટેની સુવિધામાં વધારો થાય અને એકંદરે શિક્ષણનું સ્તર સુધરે ઊંચુ આવે તે માટે સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય મંજૂર કરવાની નીતિ નિયત કરવામાં આવી હતી. પણ તેમાં શાળાઓ દ્વારા વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની રાવ ઉઠી હતી. જેની તપાસ કરવામાં આવતા તેમાં તથ્ય જણાયું હતું અને આખરે યોજનામાંથી શાળાઓને આઉટ કરી દેવામાં આવી છે.


વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ખાતામાં જમા થશે


રાજ્ય સરકારે ભલે સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ યોજના બંધ કરી છે, પરંતુ વિદ્યાર્થીઓને અપાતી સહાય તો ચાલું જ રહેશે. હવે નવી યોજનામાં આ સહાય ડાયરેક્ટ વિદ્યાર્થીઓને મળશે. સરકારે વચ્ચેથી શાળાઓને હટાવી દીધી છે. ગુજરાત સરકાર નવી સ્કોલરશિપ અંતર્ગતની આ સહાય સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા થશે. આ સહાય માટે હવે શાળા માધ્યમ નહી બને. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી