ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના કરી બંધ


  • Published By :
  • Published Date : 2023-10-23 16:04:10

ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્યની રાજ્યની સ્વનિર્ભર(નોન ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ 7500 સહાય શાળાને આપવામાં આવતી હતી. સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શાળાઓને મોટો ફટકો પડશે. આ યોજનાને લઈ રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં અનેક પ્રકારની ગેરરીતિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે તપાસ બાદ અંતે યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


શા માટે અપાતી હતી આર્થિક સહાય?


ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ રાજયમાં ચાલતી નોન ગ્રાન્ટેડ બિન સરકારી માધ્યમિક શાળાઓમાં ચાલતી રોજિંદી પ્રવૃતિઓ માટે મદદરૂપ થઈ શકાય તે માટે આ યોજના હેઠળ મદદ કરતો હતો. સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાંઅભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા, શાળાના શૈક્ષણિક સ્ટાફની લાયકાત અને શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ માટેની સુવિધામાં વધારો થાય અને એકંદરે શિક્ષણનું સ્તર સુધરે ઊંચુ આવે તે માટે સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય મંજૂર કરવાની નીતિ નિયત કરવામાં આવી હતી. પણ તેમાં શાળાઓ દ્વારા વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની રાવ ઉઠી હતી. જેની તપાસ કરવામાં આવતા તેમાં તથ્ય જણાયું હતું અને આખરે યોજનામાંથી શાળાઓને આઉટ કરી દેવામાં આવી છે.


વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ખાતામાં જમા થશે


રાજ્ય સરકારે ભલે સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ યોજના બંધ કરી છે, પરંતુ વિદ્યાર્થીઓને અપાતી સહાય તો ચાલું જ રહેશે. હવે નવી યોજનામાં આ સહાય ડાયરેક્ટ વિદ્યાર્થીઓને મળશે. સરકારે વચ્ચેથી શાળાઓને હટાવી દીધી છે. ગુજરાત સરકાર નવી સ્કોલરશિપ અંતર્ગતની આ સહાય સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા થશે. આ સહાય માટે હવે શાળા માધ્યમ નહી બને. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.