શ્રીમદ ભગવત ગીતા જયંતિ નિમિત્તે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, શાળાઓના અભ્યાસક્રમમાં થશે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-12-22 14:46:28

આજે 22 ડિસેમ્બર, શુક્રવારના રોજ હિંદુ ધર્મના પવિત્ર ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવત ગીતાની જન્મ જયંતિ છે. આજે વર્ષ ગીતાની આ 5160મી વર્ષગાઠ છે. દર વર્ષે માગશર મહિનાના સુદ પક્ષની મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ મનાવવામાં આવે છે. આજે ગીતા જયંતીના અવસરે ભગવત ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન બાળકોને મળે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં હવે તમામ સરકારી શાળામાં શ્રીમદ ભગવત ગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Image

ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ ભણશે ગીતા


રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 6થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં હવે શ્રીમદ ભગવત ગીતા ભણાવવામા આવશે. આજે ગીતા જંયતીના નિમિત્તે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે શ્રીમદ ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી 8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે અને તેની કાયદેસર પરીક્ષા પણ લેવામાં આવશે.


2024 નવા શૈક્ષણિક સત્રથી શ્રીમદ ભગવત ગીતાનો અભ્યાસ કર્મમાં સમાવેશ


ઉલ્લેખનિય છે કે મહાભારતમાં કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલી વાતચીતથી ભગવત ગીતાનો જન્મ થયો. સનાતન ધર્મમાં આ એકમાત્ર શાસ્ત્ર છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. વળી ભગવત ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાંતને દ્રઢ કરવોનો ઉદ્દેશ છે. બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે. આજે ગીતા જયંતીના દિવસે જ શિક્ષણ વિભાગ દ્રારા આજે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ અવસરે આ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .