Rajkot GameZone દૂર્ઘટના કેસમાં મોટો ખુલાસો, ગેમઝોનવાળાઓએ આ રીતે શોધી હતી છટકબારી? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-26 18:45:54

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં મોતનો આંકડો 28 પર પહોચ્યો છે. પરંતુ આ આંકડો વધવાની શક્યતા છે. જો ગેમઝોનના સંચાલકોએ લાપરવાહી દાખવી ન હોત તો આજે આ બધા જીવતા હોત. રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, આ ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા મોતનું ફોર્મ.. 


ગેમ ઝોનમાં રમવા આવતા લોકો પાસેથી લેવાતી હતી બાંહેધારી! 

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે મળતી માહિતી મુજબ રાજકોટના આ કાલાવાડ રોડના TRP ગેમ ઝોનમાં શનિવારે મોડી સાંજે અચાનક આગ લાગતા મોતનું તાંડવ મચી ગયું છે. ત્યારે આ ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા મોતનું ફોર્મ .રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે કે ગેમિંગ ઝોનમાં ગેમ્સ રમવા આવનાર તમામ પાસે લેખિતમાં બાંહેધરી લેવાતી હતી, તેના માટે એક ફોર્મ ભરવામાં આવતુ હતુ કે જેમાં ઈજા કે ગેમ રમતા કઈપણ બને તો, ગેમિંગ ઝોનના સંચાલકોની કોઈ જવાબદારી નહી રહે.... 


શું લખવામાં આવતું હતું બાંહેધરીમાં?

રાજકોટ TRP ગેમ્સ રમવા આવતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું. આ ફોર્મની અંદર ઈજા કે મોત માટે તેઓ જવાબદાર નહીં હોવાનું લખાવતા હતા . આ ફોર્મમાં લખેલુ છે કે કોઈ પણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી કંપનીની નહીં હોય. ત્યારે કંપની પહેલાથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવતી હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .