Rajkot GameZone દૂર્ઘટના કેસમાં મોટો ખુલાસો, ગેમઝોનવાળાઓએ આ રીતે શોધી હતી છટકબારી? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-26 18:45:54

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં મોતનો આંકડો 28 પર પહોચ્યો છે. પરંતુ આ આંકડો વધવાની શક્યતા છે. જો ગેમઝોનના સંચાલકોએ લાપરવાહી દાખવી ન હોત તો આજે આ બધા જીવતા હોત. રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, આ ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા મોતનું ફોર્મ.. 


ગેમ ઝોનમાં રમવા આવતા લોકો પાસેથી લેવાતી હતી બાંહેધારી! 

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે મળતી માહિતી મુજબ રાજકોટના આ કાલાવાડ રોડના TRP ગેમ ઝોનમાં શનિવારે મોડી સાંજે અચાનક આગ લાગતા મોતનું તાંડવ મચી ગયું છે. ત્યારે આ ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા મોતનું ફોર્મ .રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે કે ગેમિંગ ઝોનમાં ગેમ્સ રમવા આવનાર તમામ પાસે લેખિતમાં બાંહેધરી લેવાતી હતી, તેના માટે એક ફોર્મ ભરવામાં આવતુ હતુ કે જેમાં ઈજા કે ગેમ રમતા કઈપણ બને તો, ગેમિંગ ઝોનના સંચાલકોની કોઈ જવાબદારી નહી રહે.... 


શું લખવામાં આવતું હતું બાંહેધરીમાં?

રાજકોટ TRP ગેમ્સ રમવા આવતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું. આ ફોર્મની અંદર ઈજા કે મોત માટે તેઓ જવાબદાર નહીં હોવાનું લખાવતા હતા . આ ફોર્મમાં લખેલુ છે કે કોઈ પણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી કંપનીની નહીં હોય. ત્યારે કંપની પહેલાથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવતી હતી.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.