Rajkot GameZone દૂર્ઘટના કેસમાં મોટો ખુલાસો, ગેમઝોનવાળાઓએ આ રીતે શોધી હતી છટકબારી? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-26 18:45:54

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં મોતનો આંકડો 28 પર પહોચ્યો છે. પરંતુ આ આંકડો વધવાની શક્યતા છે. જો ગેમઝોનના સંચાલકોએ લાપરવાહી દાખવી ન હોત તો આજે આ બધા જીવતા હોત. રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, આ ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા મોતનું ફોર્મ.. 


ગેમ ઝોનમાં રમવા આવતા લોકો પાસેથી લેવાતી હતી બાંહેધારી! 

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે મળતી માહિતી મુજબ રાજકોટના આ કાલાવાડ રોડના TRP ગેમ ઝોનમાં શનિવારે મોડી સાંજે અચાનક આગ લાગતા મોતનું તાંડવ મચી ગયું છે. ત્યારે આ ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા મોતનું ફોર્મ .રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે કે ગેમિંગ ઝોનમાં ગેમ્સ રમવા આવનાર તમામ પાસે લેખિતમાં બાંહેધરી લેવાતી હતી, તેના માટે એક ફોર્મ ભરવામાં આવતુ હતુ કે જેમાં ઈજા કે ગેમ રમતા કઈપણ બને તો, ગેમિંગ ઝોનના સંચાલકોની કોઈ જવાબદારી નહી રહે.... 


શું લખવામાં આવતું હતું બાંહેધરીમાં?

રાજકોટ TRP ગેમ્સ રમવા આવતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું. આ ફોર્મની અંદર ઈજા કે મોત માટે તેઓ જવાબદાર નહીં હોવાનું લખાવતા હતા . આ ફોર્મમાં લખેલુ છે કે કોઈ પણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી કંપનીની નહીં હોય. ત્યારે કંપની પહેલાથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવતી હતી.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે