મહેસાણાના વિસનગરમાં મળેલી યુવતીની લાશના કેસમાં થયો મોટો ખુલાસો! રીક્ષા ચાલકે જ યુવતી પર આચર્યું દુષ્કર્મ!


  • Published By :
  • Published Date : 2023-05-01 16:27:57

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં મહિલાઓની હત્યા થઈ રહી છે, બળાત્કાર થાય છે. ત્યારે થોડા દિવસ પહેલા મહેસાણાના જિલ્લાના વિસનગર તાલુકાના બાસણા ગામ પાસેથી થોડા દિવસ પહેલા એક 25 વર્ષીય યુવતીની લાશ મળી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આ મામલે એપડેટ આવી છે. શંકાના દાયરામાં રહેલો રીક્ષા ચાલક જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. તપાસની શરૂઆતમાં જ રીક્ષા ચાલકની અટકાયત કરીને તેની તે દિશામાં તપાસને આગળ વધારી હતી.     


જાણો શું હતો સમગ્ર મામલો?               

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ ઘટના છે મેહસાણા જિલ્લાની. મોલમાં કામ કરતી એક સામન્ય ઘરની દીકરી સાથે એક એવી ઘટના બની છે જે સાંભળીને રૂંવાડા ઉભા થઈ ગયા હતા. મહેસાણાના વાલમ ખાતે રહેતી એક 25 વર્ષીય તોરણવાળી માતાના મંદિર પાસે આવેલા ઓશિયા મોલમાં છેલ્લાં 2 વર્ષથી નોકરી કરતી હતી. 25મી એપ્રિલે સાંજે નોકરીથી છૂટીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પોતાનાં મમ્મી સાથે ફોન પર રોજિંદી વાત કરતી હતી. અચાનક મોબાઈલ ફોન હોલ્ડ અને ત્યાર બાદ સ્વિચ ઓફ થઈ ગયો હતો. જેને કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ રાત્રે 10 વાગ્યા સુધી પણ ઘરે યુવતી ના પહોંચતાં પરિવારે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતી સાથે કોઈ અઘટિત ઘટના ના થાય એ બાબતે તપાસ કરવા જણાવ્યું હતું.

ઘરે પરત ન ફરતા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ!

મૃતક યુવતી મૂળ જેતપુર ગામની અને વિસનગરના વાલમ ગામે મોસાળમાં રહેતી અને મહેસાણાના એક ખાનગી મોલમાં નોકરી કરી હતી. મોડી રાત સુધી યુવતી પરત ન આવી હતી. માતા સાથે વાતચીત કરતી હતી. પરંતુ ફોન બંધ થઈ જતાં અનેક વખત છોકરીને ફોન કર્યા હતા. પરંતુ ફોન ન લાગતા સરપંચને જાણ કરવામાં આવી હતી. ગુમ થયાના બે દિવસ બાદ પોલીસને જાણ થઈ હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. મહિલાની લાશ ખેતરમાં નગ્ન હાલતમાં મળી આવી હતી. 

દુપટ્ટા વડે ગળુ દબાવી કરાઈ યુવતીની હત્યા!

વિસનગર તાલુકાના બાસણા પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવવાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવતીના મૃતદેહને ફોરેન્સિક પી.એમ રિપોર્ટ માટે અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો. યુવતીના માતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં યુવતીને દુપટ્ટા વડે ગળુ દબાવી તેમજ માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રીક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ! 

આ સમગ્ર મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. રીક્ષા ચાલક જ આરોપી હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં મોબાઈલ ફોનની મદદથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. તપાસ દરમિયાન રીક્ષા ચાલકે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે યુવતી ઉપર રેપ કરીને હત્યા બાદ તેનો મોબાઈલ ફોન લઈને નીકળ્યો હતો અને આ મોબાઈલ તેને તાવડીયા બ્રિજથી દૂર ફેંકી દીધો હતો. ઉપરાંત પોલીસને તપાસમાં એ પણ ખબર પડી કે રીક્ષામાં બેઠેલી યુવતીને તે પોતાની સાથે એરંડાના ખેતરમાં લઈ ગયો અને ત્યાં તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પુરાવા એકત્રિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.