મહેસાણાના વિસનગરમાં મળેલી યુવતીની લાશના કેસમાં થયો મોટો ખુલાસો! રીક્ષા ચાલકે જ યુવતી પર આચર્યું દુષ્કર્મ!


  • Published By :
  • Published Date : 2023-05-01 16:27:57

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં મહિલાઓની હત્યા થઈ રહી છે, બળાત્કાર થાય છે. ત્યારે થોડા દિવસ પહેલા મહેસાણાના જિલ્લાના વિસનગર તાલુકાના બાસણા ગામ પાસેથી થોડા દિવસ પહેલા એક 25 વર્ષીય યુવતીની લાશ મળી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આ મામલે એપડેટ આવી છે. શંકાના દાયરામાં રહેલો રીક્ષા ચાલક જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. તપાસની શરૂઆતમાં જ રીક્ષા ચાલકની અટકાયત કરીને તેની તે દિશામાં તપાસને આગળ વધારી હતી.     


જાણો શું હતો સમગ્ર મામલો?               

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ ઘટના છે મેહસાણા જિલ્લાની. મોલમાં કામ કરતી એક સામન્ય ઘરની દીકરી સાથે એક એવી ઘટના બની છે જે સાંભળીને રૂંવાડા ઉભા થઈ ગયા હતા. મહેસાણાના વાલમ ખાતે રહેતી એક 25 વર્ષીય તોરણવાળી માતાના મંદિર પાસે આવેલા ઓશિયા મોલમાં છેલ્લાં 2 વર્ષથી નોકરી કરતી હતી. 25મી એપ્રિલે સાંજે નોકરીથી છૂટીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પોતાનાં મમ્મી સાથે ફોન પર રોજિંદી વાત કરતી હતી. અચાનક મોબાઈલ ફોન હોલ્ડ અને ત્યાર બાદ સ્વિચ ઓફ થઈ ગયો હતો. જેને કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ રાત્રે 10 વાગ્યા સુધી પણ ઘરે યુવતી ના પહોંચતાં પરિવારે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતી સાથે કોઈ અઘટિત ઘટના ના થાય એ બાબતે તપાસ કરવા જણાવ્યું હતું.

ઘરે પરત ન ફરતા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ!

મૃતક યુવતી મૂળ જેતપુર ગામની અને વિસનગરના વાલમ ગામે મોસાળમાં રહેતી અને મહેસાણાના એક ખાનગી મોલમાં નોકરી કરી હતી. મોડી રાત સુધી યુવતી પરત ન આવી હતી. માતા સાથે વાતચીત કરતી હતી. પરંતુ ફોન બંધ થઈ જતાં અનેક વખત છોકરીને ફોન કર્યા હતા. પરંતુ ફોન ન લાગતા સરપંચને જાણ કરવામાં આવી હતી. ગુમ થયાના બે દિવસ બાદ પોલીસને જાણ થઈ હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. મહિલાની લાશ ખેતરમાં નગ્ન હાલતમાં મળી આવી હતી. 

દુપટ્ટા વડે ગળુ દબાવી કરાઈ યુવતીની હત્યા!

વિસનગર તાલુકાના બાસણા પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવવાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવતીના મૃતદેહને ફોરેન્સિક પી.એમ રિપોર્ટ માટે અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો. યુવતીના માતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં યુવતીને દુપટ્ટા વડે ગળુ દબાવી તેમજ માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રીક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ! 

આ સમગ્ર મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. રીક્ષા ચાલક જ આરોપી હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં મોબાઈલ ફોનની મદદથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. તપાસ દરમિયાન રીક્ષા ચાલકે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે યુવતી ઉપર રેપ કરીને હત્યા બાદ તેનો મોબાઈલ ફોન લઈને નીકળ્યો હતો અને આ મોબાઈલ તેને તાવડીયા બ્રિજથી દૂર ફેંકી દીધો હતો. ઉપરાંત પોલીસને તપાસમાં એ પણ ખબર પડી કે રીક્ષામાં બેઠેલી યુવતીને તે પોતાની સાથે એરંડાના ખેતરમાં લઈ ગયો અને ત્યાં તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પુરાવા એકત્રિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.