ચીનમાં સર્જાઈ મોટી દુર્ઘટના, અકસ્માતમાં થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-08 13:05:30

ચીનમાં એક તરફ કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ ચીનના જિયાંગ્શી પ્રાંતમાં રવિવારે સવારે રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કયા કારણોસર આ દુર્ઘટના બની તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.


અકસ્માતમાં થયા 17 જેટલા લોકોના મોત 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોડ અકસ્માતને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે પૂર્વ ચીનમાં એક રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં 17 જટેલા લોકોના મોત થયા છે ઉપરાંત 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજા પામ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે આ ઘટના નાનચાંગ કાઉંટીમાં સર્જાઈ  છે. 


અનેક લોકો બની રહ્યા છે અકસ્માતનો શિકાર  

ચીનમાં ધુમ્મસને કારણે અનેક લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકોના મોત થાય છે તો અનેક લોકોને ઈજાઓ પહોંચતી હોય છે. વધતા અકસ્માતને રોકવા સૂચનાઓ આપવામાં  આવી છે જેમ કે વાહન ધીમે ચલાવવું, વાહન ચલાવતી વખતે લાઈટ શરૂ કરવી. વાહન ધીમે ચલાવવા તેમજ આવનારી કારથી સુરક્ષિત અંતર બનાઈને રાખવું. આમ કરવાથી અકસ્માતો અટકી શકે તેવી કોશિશ કરવામાં આવી રહી છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.