ચીનમાં સર્જાઈ મોટી દુર્ઘટના, અકસ્માતમાં થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-08 13:05:30

ચીનમાં એક તરફ કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ ચીનના જિયાંગ્શી પ્રાંતમાં રવિવારે સવારે રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કયા કારણોસર આ દુર્ઘટના બની તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.


અકસ્માતમાં થયા 17 જેટલા લોકોના મોત 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોડ અકસ્માતને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે પૂર્વ ચીનમાં એક રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં 17 જટેલા લોકોના મોત થયા છે ઉપરાંત 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજા પામ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે આ ઘટના નાનચાંગ કાઉંટીમાં સર્જાઈ  છે. 


અનેક લોકો બની રહ્યા છે અકસ્માતનો શિકાર  

ચીનમાં ધુમ્મસને કારણે અનેક લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકોના મોત થાય છે તો અનેક લોકોને ઈજાઓ પહોંચતી હોય છે. વધતા અકસ્માતને રોકવા સૂચનાઓ આપવામાં  આવી છે જેમ કે વાહન ધીમે ચલાવવું, વાહન ચલાવતી વખતે લાઈટ શરૂ કરવી. વાહન ધીમે ચલાવવા તેમજ આવનારી કારથી સુરક્ષિત અંતર બનાઈને રાખવું. આમ કરવાથી અકસ્માતો અટકી શકે તેવી કોશિશ કરવામાં આવી રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.