ઝારખંડમાં અનામત 77 ટકા લાગુ કરવાનું બિલ પસાર થયું


  • Published By :
  • Published Date : 2022-11-11 15:27:10

ઝારખંડમાં હેમંત સોરેન સરકારે અનામત વધારીને 77 ટકા કરવાનું બિલ પસાર કરી દીધું છે. હવે ઝારખંડમાં અનુસૂચિત જનજાતિ(ST)ને 28 ટકા, અન્ય પછાત વર્ગ (OBC)ને 27 ટકા, અનુસૂચિત જાતિને 12 ટકા અનામત લાગુ થશે.  


ભાજપ 20 વર્ષમાં ના કરી શકી એ અમે કરી બતાવ્યુંઃ JMM

ઝારખંડની હેમંત સોરેન સરકારે સ્પેશિયલ સેશનમાં બે મહત્વપૂર્ણ બિલ પલટાવવા માટે રાખ્યા હતા. જેમાં ઓબીસી  અનામતને 14 ટકાથી વધારીને 27 ટકા કરી દેવાનું બિલ હતું. ઝારખંડની સોરેન સરકારે ઘોષણા પત્રમાં પણ આ વિશે વાયદો કર્યો હતો. હેમંત સોરેને બે બિલને ચૂંટણી વાયદામાં રાખ્યા હતા. જેમાંથી એક અન્ય પછાત વર્ગની અનામત વધારવાનો હતો. હેમંત સોરેન સરકારના મંત્રીઓએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ 20 વર્ષથી શાસનમાં હતી પરંતુ તે લાગુ ના કરી શકી, ઝારખંડ મોરચા પાર્ટીએ ઓબીસીનું રીઝર્વેશન વધારી દીધું છે. 


આજનો દિવસ સ્વર્ણ અક્ષરોમાં લખાશેઃ હેમંત સોરેન

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજના દિવસને ઝારખંડના ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં લખાશે. હેમંત સોરેને જણાવ્યું હતું કે અમે જે બોલીએ છીએ તે કરી બતાવીએ છીએ. 


ઝારખંડના અનામત બિલને કેન્દ્ર સરકારની નવમી અનુસૂચિમાં સામેલ કરવા માટે અનુરોધ કરાશે. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો ઝારખંડમાં 77 ટકા અનામત લાગુ થઈ જશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.