ઝારખંડમાં અનામત 77 ટકા લાગુ કરવાનું બિલ પસાર થયું


  • Published By :
  • Published Date : 2022-11-11 15:27:10

ઝારખંડમાં હેમંત સોરેન સરકારે અનામત વધારીને 77 ટકા કરવાનું બિલ પસાર કરી દીધું છે. હવે ઝારખંડમાં અનુસૂચિત જનજાતિ(ST)ને 28 ટકા, અન્ય પછાત વર્ગ (OBC)ને 27 ટકા, અનુસૂચિત જાતિને 12 ટકા અનામત લાગુ થશે.  


ભાજપ 20 વર્ષમાં ના કરી શકી એ અમે કરી બતાવ્યુંઃ JMM

ઝારખંડની હેમંત સોરેન સરકારે સ્પેશિયલ સેશનમાં બે મહત્વપૂર્ણ બિલ પલટાવવા માટે રાખ્યા હતા. જેમાં ઓબીસી  અનામતને 14 ટકાથી વધારીને 27 ટકા કરી દેવાનું બિલ હતું. ઝારખંડની સોરેન સરકારે ઘોષણા પત્રમાં પણ આ વિશે વાયદો કર્યો હતો. હેમંત સોરેને બે બિલને ચૂંટણી વાયદામાં રાખ્યા હતા. જેમાંથી એક અન્ય પછાત વર્ગની અનામત વધારવાનો હતો. હેમંત સોરેન સરકારના મંત્રીઓએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ 20 વર્ષથી શાસનમાં હતી પરંતુ તે લાગુ ના કરી શકી, ઝારખંડ મોરચા પાર્ટીએ ઓબીસીનું રીઝર્વેશન વધારી દીધું છે. 


આજનો દિવસ સ્વર્ણ અક્ષરોમાં લખાશેઃ હેમંત સોરેન

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજના દિવસને ઝારખંડના ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં લખાશે. હેમંત સોરેને જણાવ્યું હતું કે અમે જે બોલીએ છીએ તે કરી બતાવીએ છીએ. 


ઝારખંડના અનામત બિલને કેન્દ્ર સરકારની નવમી અનુસૂચિમાં સામેલ કરવા માટે અનુરોધ કરાશે. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો ઝારખંડમાં 77 ટકા અનામત લાગુ થઈ જશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.