ઝારખંડમાં અનામત 77 ટકા લાગુ કરવાનું બિલ પસાર થયું


  • Published By :
  • Published Date : 2022-11-11 15:27:10

ઝારખંડમાં હેમંત સોરેન સરકારે અનામત વધારીને 77 ટકા કરવાનું બિલ પસાર કરી દીધું છે. હવે ઝારખંડમાં અનુસૂચિત જનજાતિ(ST)ને 28 ટકા, અન્ય પછાત વર્ગ (OBC)ને 27 ટકા, અનુસૂચિત જાતિને 12 ટકા અનામત લાગુ થશે.  


ભાજપ 20 વર્ષમાં ના કરી શકી એ અમે કરી બતાવ્યુંઃ JMM

ઝારખંડની હેમંત સોરેન સરકારે સ્પેશિયલ સેશનમાં બે મહત્વપૂર્ણ બિલ પલટાવવા માટે રાખ્યા હતા. જેમાં ઓબીસી  અનામતને 14 ટકાથી વધારીને 27 ટકા કરી દેવાનું બિલ હતું. ઝારખંડની સોરેન સરકારે ઘોષણા પત્રમાં પણ આ વિશે વાયદો કર્યો હતો. હેમંત સોરેને બે બિલને ચૂંટણી વાયદામાં રાખ્યા હતા. જેમાંથી એક અન્ય પછાત વર્ગની અનામત વધારવાનો હતો. હેમંત સોરેન સરકારના મંત્રીઓએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ 20 વર્ષથી શાસનમાં હતી પરંતુ તે લાગુ ના કરી શકી, ઝારખંડ મોરચા પાર્ટીએ ઓબીસીનું રીઝર્વેશન વધારી દીધું છે. 


આજનો દિવસ સ્વર્ણ અક્ષરોમાં લખાશેઃ હેમંત સોરેન

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજના દિવસને ઝારખંડના ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં લખાશે. હેમંત સોરેને જણાવ્યું હતું કે અમે જે બોલીએ છીએ તે કરી બતાવીએ છીએ. 


ઝારખંડના અનામત બિલને કેન્દ્ર સરકારની નવમી અનુસૂચિમાં સામેલ કરવા માટે અનુરોધ કરાશે. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો ઝારખંડમાં 77 ટકા અનામત લાગુ થઈ જશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.