સગીર પર બળાત્કાર કરનાર ભાજપના ધારાસભ્યને 25 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.


  • Published By :
  • Published Date : 2023-12-16 09:43:12

અનેક વખત આપણે વિચારતા હોઈએ છીએ કે સત્તાપક્ષના નેતા કે ધારાસભ્ય વિરૂદ્ધ કેસ થાય તો તેમને સજા નથી મળતી. સત્તા આગળ કાયદાનું નથી ચાલતું! પરંતુ ઉત્તર પ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સગીર સાથે બળાત્કારના કેસમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય રામદુલર ગોંડને કોર્ટે સજાની જાહેરાત કરી. કોર્ટે ભાજપના ચાલુ ધારાસભ્યને 25 વર્ષની સજા ફટકારી છે. 

 BJP MLA Ramdular Gond convicted in a rape case

ભાજપના ધારાસભ્યને કોર્ટ સંભળાવી 25 વર્ષની સજા  

કહેવાય છે ને કે કાયદાઓ બધા માટે સમાન હોય છે. તેવું જ કંઈક સામે આવ્યું. ઉત્તર પ્રદેશથી કે જ્યાં સોનભદ્રના દૂધી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યને કોર્ટે સજા ફટકારી છે. ધારાસભ્ય રામદુલાર ગોંડને સોનભદ્રની સાંસદ/ધારાસભ્ય કોર્ટે સગીર પર બળાત્કારના કેસમાં 25 વર્ષની જેલની સજા ફટકારી છે. લગભગ 9 વર્ષ સુધી ચાલેલી લાંબી સુનાવણીમાં તાજેતરમાં જ કોર્ટે ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત જાહેર કર્યા હતા. હવે શુક્રવારે આ કેસમાં ચુકાદો આપતાં એડિશનલ સેશન્સ જજે ભાજપના ધારાસભ્યને 25 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડના 10 લાખ રૂપિયા પીડિતાને આપવામાં આવશે. 


15 વર્ષની બાળકી પર ધારાસભ્ય આચરતા હતા બળાત્કાર!

4 નવેમ્બર, 2014 ના રોજ, ઉત્તર પ્રદેશના છેલ્લા વિધાનસભા મતવિસ્તાર દૂધી-403ના વર્તમાન ધારાસભ્ય રામદુલાર ગોંડ વિરુદ્ધ આ વિસ્તારની રહેવાસી એક સગીર છોકરી દ્વારા બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો. POCSO હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ધારાસભ્ય એક વર્ષથી સતત તેની સાથે બળાત્કાર કરી રહ્યો હતો. તે સમયે પીડિતાની ઉંમર માત્ર 15 વર્ષની હતી. મળતી માહિતી મુજબ, ઘટના સમયે રામદુલાર ગોંડની પત્ની સૂરતાન દેવી ગામના વડા હતા અને રામદુલાર ગોંડ એક શક્તિશાળી નેતાની છબી ધરાવતા હતા. 


ધારાસભ્ય બન્યા બાદ પણ કોર્ટમાં હાજર થતા રહ્યા!

આ પછી, રામદુલાર ગોંડનું રાજકીય કદ સતત વધતું ગયું અને વર્ષ 2022માં, તેઓ ભાજપના દૂધી મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તે દરમિયાન કેસની તપાસ ચાલુ રહી અને ધારાસભ્ય બન્યાના થોડા દિવસ પહેલા જ પોલીસે કોર્ટમાં અંતિમ અહેવાલ રજૂ કર્યો હતો. ધારાસભ્ય બન્યા પછી પણ, રામદુલાર ગોંડ કોર્ટમાં હાજર રહ્યા અને પોતાનો પક્ષ રજૂ કરતા રહ્યા, પરંતુ 12 ડિસેમ્બર, 2023ના રોજ, MP-MLA કોર્ટના એડિશનલ સેશન્સ જજ I એહસાનુલ્લા ખાનની કોર્ટમાં, તેમણે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો અને તેને સજા કરવામાં આવી. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.


ધારાસભ્યનું પદ ગુમાવી શકે છે રામદુલાર ગોંડ   

તમને જણાવી દઈએ કે સજાની જાહેરાત બાદ બીજેપી ધારાસભ્ય તેમની સદસ્યતા ગુમાવી શકે છે. નિયમ એવો છે કે બે કે તેથી વધુ વર્ષની સજા થાય તો વિધાનસભાના સભ્યોની વિધાયક સત્તા રદ થાય છે. પીડિતાના ભાઈએ એમપી-એમએલએ કોર્ટમાંથી ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત ઠેરવવા પર ખુશી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન આવેલા પીડિતાના ભાઈ સાથે જ્યારે આ અંગે ચર્ચા કરવામાં આવી તો તેણે કહ્યું કે તે કોર્ટના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. નવ વર્ષના સંઘર્ષ બાદ આજે તેમને ન્યાય મળ્યો છે. તમને જણાવી દઈએ કે પીડિતાના ભાઈની ફરિયાદ પર રામદુલર ગોંડ વિરુદ્ધ નવ વર્ષ પહેલા બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.