સગીર પર બળાત્કાર કરનાર ભાજપના ધારાસભ્યને 25 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.


  • Published By :
  • Published Date : 2023-12-16 09:43:12

અનેક વખત આપણે વિચારતા હોઈએ છીએ કે સત્તાપક્ષના નેતા કે ધારાસભ્ય વિરૂદ્ધ કેસ થાય તો તેમને સજા નથી મળતી. સત્તા આગળ કાયદાનું નથી ચાલતું! પરંતુ ઉત્તર પ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સગીર સાથે બળાત્કારના કેસમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય રામદુલર ગોંડને કોર્ટે સજાની જાહેરાત કરી. કોર્ટે ભાજપના ચાલુ ધારાસભ્યને 25 વર્ષની સજા ફટકારી છે. 

 BJP MLA Ramdular Gond convicted in a rape case

ભાજપના ધારાસભ્યને કોર્ટ સંભળાવી 25 વર્ષની સજા  

કહેવાય છે ને કે કાયદાઓ બધા માટે સમાન હોય છે. તેવું જ કંઈક સામે આવ્યું. ઉત્તર પ્રદેશથી કે જ્યાં સોનભદ્રના દૂધી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યને કોર્ટે સજા ફટકારી છે. ધારાસભ્ય રામદુલાર ગોંડને સોનભદ્રની સાંસદ/ધારાસભ્ય કોર્ટે સગીર પર બળાત્કારના કેસમાં 25 વર્ષની જેલની સજા ફટકારી છે. લગભગ 9 વર્ષ સુધી ચાલેલી લાંબી સુનાવણીમાં તાજેતરમાં જ કોર્ટે ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત જાહેર કર્યા હતા. હવે શુક્રવારે આ કેસમાં ચુકાદો આપતાં એડિશનલ સેશન્સ જજે ભાજપના ધારાસભ્યને 25 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડના 10 લાખ રૂપિયા પીડિતાને આપવામાં આવશે. 


15 વર્ષની બાળકી પર ધારાસભ્ય આચરતા હતા બળાત્કાર!

4 નવેમ્બર, 2014 ના રોજ, ઉત્તર પ્રદેશના છેલ્લા વિધાનસભા મતવિસ્તાર દૂધી-403ના વર્તમાન ધારાસભ્ય રામદુલાર ગોંડ વિરુદ્ધ આ વિસ્તારની રહેવાસી એક સગીર છોકરી દ્વારા બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો. POCSO હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ધારાસભ્ય એક વર્ષથી સતત તેની સાથે બળાત્કાર કરી રહ્યો હતો. તે સમયે પીડિતાની ઉંમર માત્ર 15 વર્ષની હતી. મળતી માહિતી મુજબ, ઘટના સમયે રામદુલાર ગોંડની પત્ની સૂરતાન દેવી ગામના વડા હતા અને રામદુલાર ગોંડ એક શક્તિશાળી નેતાની છબી ધરાવતા હતા. 


ધારાસભ્ય બન્યા બાદ પણ કોર્ટમાં હાજર થતા રહ્યા!

આ પછી, રામદુલાર ગોંડનું રાજકીય કદ સતત વધતું ગયું અને વર્ષ 2022માં, તેઓ ભાજપના દૂધી મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તે દરમિયાન કેસની તપાસ ચાલુ રહી અને ધારાસભ્ય બન્યાના થોડા દિવસ પહેલા જ પોલીસે કોર્ટમાં અંતિમ અહેવાલ રજૂ કર્યો હતો. ધારાસભ્ય બન્યા પછી પણ, રામદુલાર ગોંડ કોર્ટમાં હાજર રહ્યા અને પોતાનો પક્ષ રજૂ કરતા રહ્યા, પરંતુ 12 ડિસેમ્બર, 2023ના રોજ, MP-MLA કોર્ટના એડિશનલ સેશન્સ જજ I એહસાનુલ્લા ખાનની કોર્ટમાં, તેમણે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો અને તેને સજા કરવામાં આવી. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.


ધારાસભ્યનું પદ ગુમાવી શકે છે રામદુલાર ગોંડ   

તમને જણાવી દઈએ કે સજાની જાહેરાત બાદ બીજેપી ધારાસભ્ય તેમની સદસ્યતા ગુમાવી શકે છે. નિયમ એવો છે કે બે કે તેથી વધુ વર્ષની સજા થાય તો વિધાનસભાના સભ્યોની વિધાયક સત્તા રદ થાય છે. પીડિતાના ભાઈએ એમપી-એમએલએ કોર્ટમાંથી ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત ઠેરવવા પર ખુશી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન આવેલા પીડિતાના ભાઈ સાથે જ્યારે આ અંગે ચર્ચા કરવામાં આવી તો તેણે કહ્યું કે તે કોર્ટના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. નવ વર્ષના સંઘર્ષ બાદ આજે તેમને ન્યાય મળ્યો છે. તમને જણાવી દઈએ કે પીડિતાના ભાઈની ફરિયાદ પર રામદુલર ગોંડ વિરુદ્ધ નવ વર્ષ પહેલા બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.