સગીર પર બળાત્કાર કરનાર ભાજપના ધારાસભ્યને 25 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.


  • Published By :
  • Published Date : 2023-12-16 09:43:12

અનેક વખત આપણે વિચારતા હોઈએ છીએ કે સત્તાપક્ષના નેતા કે ધારાસભ્ય વિરૂદ્ધ કેસ થાય તો તેમને સજા નથી મળતી. સત્તા આગળ કાયદાનું નથી ચાલતું! પરંતુ ઉત્તર પ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સગીર સાથે બળાત્કારના કેસમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય રામદુલર ગોંડને કોર્ટે સજાની જાહેરાત કરી. કોર્ટે ભાજપના ચાલુ ધારાસભ્યને 25 વર્ષની સજા ફટકારી છે. 

 BJP MLA Ramdular Gond convicted in a rape case

ભાજપના ધારાસભ્યને કોર્ટ સંભળાવી 25 વર્ષની સજા  

કહેવાય છે ને કે કાયદાઓ બધા માટે સમાન હોય છે. તેવું જ કંઈક સામે આવ્યું. ઉત્તર પ્રદેશથી કે જ્યાં સોનભદ્રના દૂધી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યને કોર્ટે સજા ફટકારી છે. ધારાસભ્ય રામદુલાર ગોંડને સોનભદ્રની સાંસદ/ધારાસભ્ય કોર્ટે સગીર પર બળાત્કારના કેસમાં 25 વર્ષની જેલની સજા ફટકારી છે. લગભગ 9 વર્ષ સુધી ચાલેલી લાંબી સુનાવણીમાં તાજેતરમાં જ કોર્ટે ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત જાહેર કર્યા હતા. હવે શુક્રવારે આ કેસમાં ચુકાદો આપતાં એડિશનલ સેશન્સ જજે ભાજપના ધારાસભ્યને 25 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડના 10 લાખ રૂપિયા પીડિતાને આપવામાં આવશે. 


15 વર્ષની બાળકી પર ધારાસભ્ય આચરતા હતા બળાત્કાર!

4 નવેમ્બર, 2014 ના રોજ, ઉત્તર પ્રદેશના છેલ્લા વિધાનસભા મતવિસ્તાર દૂધી-403ના વર્તમાન ધારાસભ્ય રામદુલાર ગોંડ વિરુદ્ધ આ વિસ્તારની રહેવાસી એક સગીર છોકરી દ્વારા બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો. POCSO હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ધારાસભ્ય એક વર્ષથી સતત તેની સાથે બળાત્કાર કરી રહ્યો હતો. તે સમયે પીડિતાની ઉંમર માત્ર 15 વર્ષની હતી. મળતી માહિતી મુજબ, ઘટના સમયે રામદુલાર ગોંડની પત્ની સૂરતાન દેવી ગામના વડા હતા અને રામદુલાર ગોંડ એક શક્તિશાળી નેતાની છબી ધરાવતા હતા. 


ધારાસભ્ય બન્યા બાદ પણ કોર્ટમાં હાજર થતા રહ્યા!

આ પછી, રામદુલાર ગોંડનું રાજકીય કદ સતત વધતું ગયું અને વર્ષ 2022માં, તેઓ ભાજપના દૂધી મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તે દરમિયાન કેસની તપાસ ચાલુ રહી અને ધારાસભ્ય બન્યાના થોડા દિવસ પહેલા જ પોલીસે કોર્ટમાં અંતિમ અહેવાલ રજૂ કર્યો હતો. ધારાસભ્ય બન્યા પછી પણ, રામદુલાર ગોંડ કોર્ટમાં હાજર રહ્યા અને પોતાનો પક્ષ રજૂ કરતા રહ્યા, પરંતુ 12 ડિસેમ્બર, 2023ના રોજ, MP-MLA કોર્ટના એડિશનલ સેશન્સ જજ I એહસાનુલ્લા ખાનની કોર્ટમાં, તેમણે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો અને તેને સજા કરવામાં આવી. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.


ધારાસભ્યનું પદ ગુમાવી શકે છે રામદુલાર ગોંડ   

તમને જણાવી દઈએ કે સજાની જાહેરાત બાદ બીજેપી ધારાસભ્ય તેમની સદસ્યતા ગુમાવી શકે છે. નિયમ એવો છે કે બે કે તેથી વધુ વર્ષની સજા થાય તો વિધાનસભાના સભ્યોની વિધાયક સત્તા રદ થાય છે. પીડિતાના ભાઈએ એમપી-એમએલએ કોર્ટમાંથી ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત ઠેરવવા પર ખુશી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન આવેલા પીડિતાના ભાઈ સાથે જ્યારે આ અંગે ચર્ચા કરવામાં આવી તો તેણે કહ્યું કે તે કોર્ટના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. નવ વર્ષના સંઘર્ષ બાદ આજે તેમને ન્યાય મળ્યો છે. તમને જણાવી દઈએ કે પીડિતાના ભાઈની ફરિયાદ પર રામદુલર ગોંડ વિરુદ્ધ નવ વર્ષ પહેલા બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.