રાજસ્થાનમાં મોબાઈલ રીપેર કરતાં મોબાઈલમાં થયો બ્લાસ્ટ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 16:24:51

રાજસ્થાનમાં એક આજુક્તિ ઘટના બની છે રાજસ્થાનના પાલીમાં મોબાઈલ રિપેરિંગ દરમિયાન  તેમાં ધડાકો થયો આ દુર્ઘટનામાં દુકાનદાર અને ગ્રાહકનો આબાદ બચાવ થયો હતો. ચાર્જિંગમાં સમસ્યા હોવાથી મોબાઈલ રિપેરિંગ માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બેટરી હટાવતા 1 સેકન્ડમાં મોબાઈલ આગનો ગોળો બની ગયો હતો.


આ ઘટના પાલી જિલ્લાના લલિકપુર વિસ્તારમાં બની હતી. શનિવારે બપોરે એક યુવક મોબાઈલ લઈને દુકાને પહોંચ્યો હતો. આ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. પાલી પોલીસ સ્ટેશનના ટાઉન ઈન્ચાર્જ સિયારામ સિંહ પટેલે જણાવ્યું હતું કે આ મામલે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.


દુકાન દાર અને ગ્રાહક માંડ માંડ બચ્યા !!!


આ ઘટનામાં દુકાનદાર જે રિપેરિંગ કરી રહ્યા હતા તે માંડ બચ્યા દુકાનદાર મહેશ ચૌરસિયાએ જણાવ્યું કે, દુકાનમાં એક ગ્રાહક મોબાઈલ રિપેર કરવા આવ્યો હતો. શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ તે મોબાઈલની બેટરી કાઢીને ચેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન ધડાકો થતાં મોબાઈલ રિપેર ન કર્યો. જો તે સમયસર પાછળ ન ખસ્યો હોત તો તેનો ચહેરો બળી જતો. ગ્રાહક પણ બચી ગયો હતો.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.