રાજસ્થાનમાં મોબાઈલ રીપેર કરતાં મોબાઈલમાં થયો બ્લાસ્ટ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 16:24:51

રાજસ્થાનમાં એક આજુક્તિ ઘટના બની છે રાજસ્થાનના પાલીમાં મોબાઈલ રિપેરિંગ દરમિયાન  તેમાં ધડાકો થયો આ દુર્ઘટનામાં દુકાનદાર અને ગ્રાહકનો આબાદ બચાવ થયો હતો. ચાર્જિંગમાં સમસ્યા હોવાથી મોબાઈલ રિપેરિંગ માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બેટરી હટાવતા 1 સેકન્ડમાં મોબાઈલ આગનો ગોળો બની ગયો હતો.


આ ઘટના પાલી જિલ્લાના લલિકપુર વિસ્તારમાં બની હતી. શનિવારે બપોરે એક યુવક મોબાઈલ લઈને દુકાને પહોંચ્યો હતો. આ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. પાલી પોલીસ સ્ટેશનના ટાઉન ઈન્ચાર્જ સિયારામ સિંહ પટેલે જણાવ્યું હતું કે આ મામલે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.


દુકાન દાર અને ગ્રાહક માંડ માંડ બચ્યા !!!


આ ઘટનામાં દુકાનદાર જે રિપેરિંગ કરી રહ્યા હતા તે માંડ બચ્યા દુકાનદાર મહેશ ચૌરસિયાએ જણાવ્યું કે, દુકાનમાં એક ગ્રાહક મોબાઈલ રિપેર કરવા આવ્યો હતો. શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ તે મોબાઈલની બેટરી કાઢીને ચેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન ધડાકો થતાં મોબાઈલ રિપેર ન કર્યો. જો તે સમયસર પાછળ ન ખસ્યો હોત તો તેનો ચહેરો બળી જતો. ગ્રાહક પણ બચી ગયો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે