રાજસ્થાનમાં મોબાઈલ રીપેર કરતાં મોબાઈલમાં થયો બ્લાસ્ટ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 16:24:51

રાજસ્થાનમાં એક આજુક્તિ ઘટના બની છે રાજસ્થાનના પાલીમાં મોબાઈલ રિપેરિંગ દરમિયાન  તેમાં ધડાકો થયો આ દુર્ઘટનામાં દુકાનદાર અને ગ્રાહકનો આબાદ બચાવ થયો હતો. ચાર્જિંગમાં સમસ્યા હોવાથી મોબાઈલ રિપેરિંગ માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બેટરી હટાવતા 1 સેકન્ડમાં મોબાઈલ આગનો ગોળો બની ગયો હતો.


આ ઘટના પાલી જિલ્લાના લલિકપુર વિસ્તારમાં બની હતી. શનિવારે બપોરે એક યુવક મોબાઈલ લઈને દુકાને પહોંચ્યો હતો. આ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. પાલી પોલીસ સ્ટેશનના ટાઉન ઈન્ચાર્જ સિયારામ સિંહ પટેલે જણાવ્યું હતું કે આ મામલે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.


દુકાન દાર અને ગ્રાહક માંડ માંડ બચ્યા !!!


આ ઘટનામાં દુકાનદાર જે રિપેરિંગ કરી રહ્યા હતા તે માંડ બચ્યા દુકાનદાર મહેશ ચૌરસિયાએ જણાવ્યું કે, દુકાનમાં એક ગ્રાહક મોબાઈલ રિપેર કરવા આવ્યો હતો. શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ તે મોબાઈલની બેટરી કાઢીને ચેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન ધડાકો થતાં મોબાઈલ રિપેર ન કર્યો. જો તે સમયસર પાછળ ન ખસ્યો હોત તો તેનો ચહેરો બળી જતો. ગ્રાહક પણ બચી ગયો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .