વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી, બે શિક્ષક સહિત 7ના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા


  • Published By :
  • Published Date : 2024-01-18 20:19:36

વડોદરામાં ગોઝારી દુર્ઘટના બની છે, વડોદરાના હરણી સ્થિત તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી એક બોટ પલટી જવાનો મામલો સામે આવ્યો છે. વડોદરાના હરણીમાં આવેલા મોટનાથ તળાવમાં બોટિંગ કરવા આવેલા શાળાના બાળકોની બોટ પાણીમાં ઉંધી પડી જવાની ઘટના બાદ હાહાકાર મચી ગયો છે. આ ઘટના અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બોટમાં સવાર હતાં, મળતી માહિતી મુજબ બે શિક્ષક સહિત 7ના મોત લોકોના મોત થયા છે, તથા હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે, જો કે બોટની ક્ષમતા 14 વ્યકિતની છે ત્યારે તેમાં 23 બાળકો અને ચાર શિક્ષકોનો સમાવેશ કરવા પર સવાલ પેદા થઇ રહ્યો છે. આ દુર્ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમે લાપતા વિદ્યાર્થીઓની શોધખોળની કામગીરી હાથ ધરી છે.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


મળતી માહિતી મુજબ, વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના  વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હોવાથી દુર્ઘટના સર્જાયાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે મોટી બેદરકારી પણ સામે આવી છે કે, એક બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સહિત 27 લોકો સવાર હતા અને એક પણ વિદ્યાર્થીને લાઇફ જેકેટ પહેરવામમાં આવ્યું  ન હતું. આ ઘટનાની જાણ થતા જ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ, શહેરના મેયર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ઓછામાં ઓછા પાંચ વ્યક્તિના મોત થયા છે, જેમાં છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ બને શિક્ષકનો સમાવેશ થાય છે.તળાવમાંથી 7 વિદ્યાર્થીઓને તળાવમાંથી હેમખેમ કાઢી લેવામાં આવ્યા છે. 9થી 10  ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 10થી વધુ એમ્બ્યુલન્સ હાલ ઘટના સ્થળે પહોંચી છે. હજુ પણ કેટલાક વિદ્યાર્થી અને શિક્ષક લાપતા હોવાથી શોધખોળ ચાલું છે. ઘટનાને લઇને શાળાના બાળકોના વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં પણ ઘટના સ્થળે દોડી આવ્યાં છે. બોટમાં સવાર વિદ્યાર્થીઓની સંખ્યા અંગે અસ્પષ્ટતા જોવા મળી રહી છે, સ્કૂલના જ એક શિક્ષિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે 25 નહિ પરંતુ 82 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા. વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા મૃત્યુઆંક વધી શકે છે.


CM ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી


આ દ્રદયદ્રાવક દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે,‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.