Pakistanના બલુચિસ્તાનમાં થયો બોમ્બ બ્લાસ્ટ, આટલા લોકોના થયા મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 14:15:04

પાકિસ્તાનમાં એક મોટી ઘટના સર્જાઈ છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જેમાં 20 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 30 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બલૂચિસ્તાન પ્રાંતમાં ઈદ નિમિત્તે જુલૂસ નિકળ્યું હતું જેને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. જુલૂસને ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ અને તેમાં 20 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. 



20 લોકોના થયા બોમ્બ બ્લાસ્ટમાં મોત

ઈદ નિમિત્તે પાકિસ્તાનમાં ઝુલુસ નિકળ્યું હતું. ત્યારે ઝુલુસને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. બલુચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જેને કારણે અનેક લોકોના મોત થયા છે. 20 લોકોના મોત થયા હોવાનું અનુમાન છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવા પણ અહેવાલ સામે આવ્યા છે. પોલીસકર્મીના પણ મૃત્યુ થયા છે તેવા સમાચાર આવ્યા છે. મહત્વનું છે કે આ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી કોઈના દ્વારા લેવામાં આવી નથી.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.