Pakistanના બલુચિસ્તાનમાં થયો બોમ્બ બ્લાસ્ટ, આટલા લોકોના થયા મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 14:15:04

પાકિસ્તાનમાં એક મોટી ઘટના સર્જાઈ છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જેમાં 20 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 30 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બલૂચિસ્તાન પ્રાંતમાં ઈદ નિમિત્તે જુલૂસ નિકળ્યું હતું જેને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. જુલૂસને ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ અને તેમાં 20 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. 



20 લોકોના થયા બોમ્બ બ્લાસ્ટમાં મોત

ઈદ નિમિત્તે પાકિસ્તાનમાં ઝુલુસ નિકળ્યું હતું. ત્યારે ઝુલુસને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. બલુચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જેને કારણે અનેક લોકોના મોત થયા છે. 20 લોકોના મોત થયા હોવાનું અનુમાન છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવા પણ અહેવાલ સામે આવ્યા છે. પોલીસકર્મીના પણ મૃત્યુ થયા છે તેવા સમાચાર આવ્યા છે. મહત્વનું છે કે આ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી કોઈના દ્વારા લેવામાં આવી નથી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે