Pakistanના બલુચિસ્તાનમાં થયો બોમ્બ બ્લાસ્ટ, આટલા લોકોના થયા મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 14:15:04

પાકિસ્તાનમાં એક મોટી ઘટના સર્જાઈ છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જેમાં 20 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 30 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બલૂચિસ્તાન પ્રાંતમાં ઈદ નિમિત્તે જુલૂસ નિકળ્યું હતું જેને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. જુલૂસને ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ અને તેમાં 20 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. 



20 લોકોના થયા બોમ્બ બ્લાસ્ટમાં મોત

ઈદ નિમિત્તે પાકિસ્તાનમાં ઝુલુસ નિકળ્યું હતું. ત્યારે ઝુલુસને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. બલુચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જેને કારણે અનેક લોકોના મોત થયા છે. 20 લોકોના મોત થયા હોવાનું અનુમાન છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવા પણ અહેવાલ સામે આવ્યા છે. પોલીસકર્મીના પણ મૃત્યુ થયા છે તેવા સમાચાર આવ્યા છે. મહત્વનું છે કે આ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી કોઈના દ્વારા લેવામાં આવી નથી.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.