Gandhinagarમાં PSIની તૈયારી કરી રહેલા ઉમેદવારને આવ્યો Heart Attack, પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આપ્યો આ સંદેશ


  • Published By :
  • Published Date : 2023-11-06 15:47:01

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોરોના બાદ તો રાફળો ફાટ્યો છે હાર્ટ એટેકનો. પ્રતિદિન એવા કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા સુરત જિલ્લામાં રહેતા 22 વર્ષીય યુવકનું મોત ગાંધીનગરમાં દોડની પ્રેક્ટિસ કરતી વખતે થઈ ગયું હતું. પીએસઆઈ બનવાના સપના સાથે ગાંધીનગરમાં તૈયારી કરતા સુરતના યુવાનનું દિલ ધબકતું બંધ થઈ ગયું હતું. 5 કિલોમીટરની દોડ દરમિયાન આ ઘટના બની હતી. અકાળે મૃત્યુ થતાં યુવાનના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. જ્યારે યુવરાજસિંહે તેમના મૃતકના પરિવારની મુલાકાત લીધી ત્યારે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેને લઈ પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી વિનંતી તેમના દ્વારા કરવામાં આવી છે.

દોડની પ્રેક્ટિસ દરમિયાન યુવાનને આવ્યો હાર્ટ એટેક 

પ્રતિદિન ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે. ભવિષ્યની ચિંતા કરતો યુવાન ગમે ત્યારે હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી તે વાત આવા કિસ્સાઓ સામે આવતા પૂરવાર થાય છે! અનેક લોકોએ પહેલા કોરોનામાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે તો અનેક લોકો પોતાના સ્વજનને હાર્ટ એટેકને કારણે ગુમાવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો થોડા સમય પહેલા બન્યો હતો. ગાંધીનગરમાં પીએસઆઈની તૈયારી કરી રહેલા યુવાનને દોડની પ્રેક્ટિસ કરતી વખતે આવ્યો. તે મૂળ સુરતના હતા, દોડની પ્રેક્ટિસ કરતી વખતે બ્રિજેશ ચૌધરી નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું. 


યુવાનોને યુવરાજસિંહે કરી આ અપીલ 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગાંધીનગર રહી બ્રિજેશ ચૌધરી તૈયારી કરી રહ્યા હતા. ગાંધીનગરમાં પીએસઆઈ માટેની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ગ્રાઉન્ડમાં રનીંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન પાંચ કિલોમીટરની મેરેથોન દોડ કરતી વખતે તે એકાએક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. મૃતકના પરિવારની યુવરાજસિંહે મુલાકાત લીધી હતી. યુવરાજસિંહે કહ્યું કે પરિવારની અમે રૂબરૂ મુલાકાત લીધી હતી. ઘરની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. સરકાર આ પરિવારને આર્થિક રીતે મદદ કરે તેવી તેમણે સરકારને રજૂઆત કરી હતી. તે ઉપરાંત યુવાનોને પણ તેમણે સલાહ આપી છે. તેમણે કહ્યું કે યુવાનોને વિનંતી કરી કે જીવના જોખમે કોઈ પરીક્ષા ન આપશો. જીવ છે તો બધુ છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.