Gandhinagarમાં PSIની તૈયારી કરી રહેલા ઉમેદવારને આવ્યો Heart Attack, પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આપ્યો આ સંદેશ


  • Published By :
  • Published Date : 2023-11-06 15:47:01

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોરોના બાદ તો રાફળો ફાટ્યો છે હાર્ટ એટેકનો. પ્રતિદિન એવા કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા સુરત જિલ્લામાં રહેતા 22 વર્ષીય યુવકનું મોત ગાંધીનગરમાં દોડની પ્રેક્ટિસ કરતી વખતે થઈ ગયું હતું. પીએસઆઈ બનવાના સપના સાથે ગાંધીનગરમાં તૈયારી કરતા સુરતના યુવાનનું દિલ ધબકતું બંધ થઈ ગયું હતું. 5 કિલોમીટરની દોડ દરમિયાન આ ઘટના બની હતી. અકાળે મૃત્યુ થતાં યુવાનના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. જ્યારે યુવરાજસિંહે તેમના મૃતકના પરિવારની મુલાકાત લીધી ત્યારે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેને લઈ પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી વિનંતી તેમના દ્વારા કરવામાં આવી છે.

દોડની પ્રેક્ટિસ દરમિયાન યુવાનને આવ્યો હાર્ટ એટેક 

પ્રતિદિન ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે. ભવિષ્યની ચિંતા કરતો યુવાન ગમે ત્યારે હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી તે વાત આવા કિસ્સાઓ સામે આવતા પૂરવાર થાય છે! અનેક લોકોએ પહેલા કોરોનામાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે તો અનેક લોકો પોતાના સ્વજનને હાર્ટ એટેકને કારણે ગુમાવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો થોડા સમય પહેલા બન્યો હતો. ગાંધીનગરમાં પીએસઆઈની તૈયારી કરી રહેલા યુવાનને દોડની પ્રેક્ટિસ કરતી વખતે આવ્યો. તે મૂળ સુરતના હતા, દોડની પ્રેક્ટિસ કરતી વખતે બ્રિજેશ ચૌધરી નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું. 


યુવાનોને યુવરાજસિંહે કરી આ અપીલ 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગાંધીનગર રહી બ્રિજેશ ચૌધરી તૈયારી કરી રહ્યા હતા. ગાંધીનગરમાં પીએસઆઈ માટેની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ગ્રાઉન્ડમાં રનીંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન પાંચ કિલોમીટરની મેરેથોન દોડ કરતી વખતે તે એકાએક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. મૃતકના પરિવારની યુવરાજસિંહે મુલાકાત લીધી હતી. યુવરાજસિંહે કહ્યું કે પરિવારની અમે રૂબરૂ મુલાકાત લીધી હતી. ઘરની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. સરકાર આ પરિવારને આર્થિક રીતે મદદ કરે તેવી તેમણે સરકારને રજૂઆત કરી હતી. તે ઉપરાંત યુવાનોને પણ તેમણે સલાહ આપી છે. તેમણે કહ્યું કે યુવાનોને વિનંતી કરી કે જીવના જોખમે કોઈ પરીક્ષા ન આપશો. જીવ છે તો બધુ છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.