Gandhinagarમાં PSIની તૈયારી કરી રહેલા ઉમેદવારને આવ્યો Heart Attack, પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આપ્યો આ સંદેશ


  • Published By :
  • Published Date : 2023-11-06 15:47:01

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોરોના બાદ તો રાફળો ફાટ્યો છે હાર્ટ એટેકનો. પ્રતિદિન એવા કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા સુરત જિલ્લામાં રહેતા 22 વર્ષીય યુવકનું મોત ગાંધીનગરમાં દોડની પ્રેક્ટિસ કરતી વખતે થઈ ગયું હતું. પીએસઆઈ બનવાના સપના સાથે ગાંધીનગરમાં તૈયારી કરતા સુરતના યુવાનનું દિલ ધબકતું બંધ થઈ ગયું હતું. 5 કિલોમીટરની દોડ દરમિયાન આ ઘટના બની હતી. અકાળે મૃત્યુ થતાં યુવાનના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. જ્યારે યુવરાજસિંહે તેમના મૃતકના પરિવારની મુલાકાત લીધી ત્યારે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેને લઈ પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી વિનંતી તેમના દ્વારા કરવામાં આવી છે.

દોડની પ્રેક્ટિસ દરમિયાન યુવાનને આવ્યો હાર્ટ એટેક 

પ્રતિદિન ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે. ભવિષ્યની ચિંતા કરતો યુવાન ગમે ત્યારે હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી તે વાત આવા કિસ્સાઓ સામે આવતા પૂરવાર થાય છે! અનેક લોકોએ પહેલા કોરોનામાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે તો અનેક લોકો પોતાના સ્વજનને હાર્ટ એટેકને કારણે ગુમાવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો થોડા સમય પહેલા બન્યો હતો. ગાંધીનગરમાં પીએસઆઈની તૈયારી કરી રહેલા યુવાનને દોડની પ્રેક્ટિસ કરતી વખતે આવ્યો. તે મૂળ સુરતના હતા, દોડની પ્રેક્ટિસ કરતી વખતે બ્રિજેશ ચૌધરી નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું. 


યુવાનોને યુવરાજસિંહે કરી આ અપીલ 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગાંધીનગર રહી બ્રિજેશ ચૌધરી તૈયારી કરી રહ્યા હતા. ગાંધીનગરમાં પીએસઆઈ માટેની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ગ્રાઉન્ડમાં રનીંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન પાંચ કિલોમીટરની મેરેથોન દોડ કરતી વખતે તે એકાએક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. મૃતકના પરિવારની યુવરાજસિંહે મુલાકાત લીધી હતી. યુવરાજસિંહે કહ્યું કે પરિવારની અમે રૂબરૂ મુલાકાત લીધી હતી. ઘરની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. સરકાર આ પરિવારને આર્થિક રીતે મદદ કરે તેવી તેમણે સરકારને રજૂઆત કરી હતી. તે ઉપરાંત યુવાનોને પણ તેમણે સલાહ આપી છે. તેમણે કહ્યું કે યુવાનોને વિનંતી કરી કે જીવના જોખમે કોઈ પરીક્ષા ન આપશો. જીવ છે તો બધુ છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.