Gandhinagarમાં PSIની તૈયારી કરી રહેલા ઉમેદવારને આવ્યો Heart Attack, પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આપ્યો આ સંદેશ


  • Published By :
  • Published Date : 2023-11-06 15:47:01

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોરોના બાદ તો રાફળો ફાટ્યો છે હાર્ટ એટેકનો. પ્રતિદિન એવા કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા સુરત જિલ્લામાં રહેતા 22 વર્ષીય યુવકનું મોત ગાંધીનગરમાં દોડની પ્રેક્ટિસ કરતી વખતે થઈ ગયું હતું. પીએસઆઈ બનવાના સપના સાથે ગાંધીનગરમાં તૈયારી કરતા સુરતના યુવાનનું દિલ ધબકતું બંધ થઈ ગયું હતું. 5 કિલોમીટરની દોડ દરમિયાન આ ઘટના બની હતી. અકાળે મૃત્યુ થતાં યુવાનના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. જ્યારે યુવરાજસિંહે તેમના મૃતકના પરિવારની મુલાકાત લીધી ત્યારે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેને લઈ પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી વિનંતી તેમના દ્વારા કરવામાં આવી છે.

દોડની પ્રેક્ટિસ દરમિયાન યુવાનને આવ્યો હાર્ટ એટેક 

પ્રતિદિન ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે. ભવિષ્યની ચિંતા કરતો યુવાન ગમે ત્યારે હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી તે વાત આવા કિસ્સાઓ સામે આવતા પૂરવાર થાય છે! અનેક લોકોએ પહેલા કોરોનામાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે તો અનેક લોકો પોતાના સ્વજનને હાર્ટ એટેકને કારણે ગુમાવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો થોડા સમય પહેલા બન્યો હતો. ગાંધીનગરમાં પીએસઆઈની તૈયારી કરી રહેલા યુવાનને દોડની પ્રેક્ટિસ કરતી વખતે આવ્યો. તે મૂળ સુરતના હતા, દોડની પ્રેક્ટિસ કરતી વખતે બ્રિજેશ ચૌધરી નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું. 


યુવાનોને યુવરાજસિંહે કરી આ અપીલ 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગાંધીનગર રહી બ્રિજેશ ચૌધરી તૈયારી કરી રહ્યા હતા. ગાંધીનગરમાં પીએસઆઈ માટેની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ગ્રાઉન્ડમાં રનીંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન પાંચ કિલોમીટરની મેરેથોન દોડ કરતી વખતે તે એકાએક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. મૃતકના પરિવારની યુવરાજસિંહે મુલાકાત લીધી હતી. યુવરાજસિંહે કહ્યું કે પરિવારની અમે રૂબરૂ મુલાકાત લીધી હતી. ઘરની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. સરકાર આ પરિવારને આર્થિક રીતે મદદ કરે તેવી તેમણે સરકારને રજૂઆત કરી હતી. તે ઉપરાંત યુવાનોને પણ તેમણે સલાહ આપી છે. તેમણે કહ્યું કે યુવાનોને વિનંતી કરી કે જીવના જોખમે કોઈ પરીક્ષા ન આપશો. જીવ છે તો બધુ છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.