Biharથી સામે આવ્યો એક એવો કિસ્સો જેમાં પતિએ Reels બનાવાની ના પાડી તો પત્નીએ કંઈક એવું કર્યું.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 18:36:42

સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર આપણે એટલા એક્ટિવ હોઈએ છીએ કે આપણને સામે બેઠેલા વ્યક્તિ સાથે વાત કરવાની પણ ઈચ્છા નથી થતી. રિલ લાઈફમાં આપણે એટલા બધા રચ્યા પચ્યા થઈ ગયા છીએ કે રિયલ લાઈફને માણવાનું ભૂલી ગયા છીએ. રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકોના લાઈક લેવા માટે એટલા બધા મશગુલ થઈ ગયા છીએ કે જો આપણને કોઈ રિલ્સ બનાવવાની ના પાડે તો આપણે કોઈ પણ હદને વટાવી શકીએ છીએ. આવો જ એક કિસ્સો બિહારથી સામે આવ્યો છે જેમાં પતિએ પત્નીને રિર્લ્સ બનાવવાની ના પાડી તો પત્નીએ પતિ પર હુમલો કરી દીધો. પતિનું ગળું દબાવી પત્નીએ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. 


 

બિહારથી સામે આવી એક વિચિત્ર ઘટના! 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે બાળકોને મુખ્યત્વે મોબાઈલનો શોખ હોય છે. બાળકને મોબાઈલ મળી જાય તે બાદ તે ભૂલી જાય છે કે તેમની આજુબાજુ શું બની રહ્યું છે. આ એક મોટી અને ગંભીર સમસ્યા છે કારણ કે ન માત્ર બાળકો મોબાઈલના addicted હોય છે પરંતુ મોટા લોકો પર મોબાઈલમાં ઘૂસેલા જોવા મળતા હોય છે. અને હવે તો રિલ્સ બનાવવાનો ક્રેઝ પણ લોકોમાં જાગ્યો છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર રિલ મૂકીને લાઈક મેળવવાની ઈચ્છા કોઈના માટે પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બિહારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 


પરિવાર સાથે મળી પત્નીએ પતિની કરી હત્યા 

બિહારના બેગુસરાયમાં એક પત્નીએ પોતાના પતિની જ હત્યા કરી નાખી કારણ કે તેના પતિએ તેને રિલ બનાવવાની ના પાડી. અનેક વખત રિલ્સ બનાવવા માટે ના પાડતો. અનેક વખત ના પાડવામાં આવતા પત્ની ખીજાઈ અને તેણે પોતાના પિયરીયા સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી તેવો કિસ્સો સામે આવ્યો છે. પતિની બેહરમીથી હત્યા કરી નાખી. ઘટના ખોદાબંદપુરના ફફોત ગામની છે. જે પતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમનું નામ મહેશ્વર કુમાર રાય છે અને તે સમસ્તીપુર જિલ્લાના નરહન ગામનો વતની હતો.



રિલ્સ બનાવાની ના પાડતા પત્નીએ કરી પતિની હત્યા 

મીડિયા રિપોર્ટના અનુસાર મહેશ્વર કુમારના લગ્ન સાત વર્ષ પેહલા રાની કુમારી સાથે થઈ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી તે પોતાના પત્નીને રિલ્સ બનાવતી જોતો હતો. રાનીના રિલ્સ બનાવવાનો વિરોધ તેના પતિ દ્વારા કરવામાં આવ્યો. તેની પત્ની રિલ્સ બનાવતી હતી તે તેને પસંદ ન હતું. અનેક વખત ના પાડવા છતાંય તે રિલ્સ બનાવતી હતી. મળતી માહિતી અનુસાર રવિવાર રાત્રે મહેશ્વર પોતાના સાસરે ગયો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. અનેક વખત મહેશ્વરના ભાઈએ તેને ફોન કર્યો પરંતુ તે ફોન ઉપાડતો ન હતો. ત્યારે તેને આશંકા થઈ. તે બાદ ઘટનાની જાણ પોલીસને થઈ. પોસ્ટ મોર્ટમ અર્થે મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે મહેશ્વરની પત્નીની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે