Biharથી સામે આવ્યો એક એવો કિસ્સો જેમાં પતિએ Reels બનાવાની ના પાડી તો પત્નીએ કંઈક એવું કર્યું.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 18:36:42

સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર આપણે એટલા એક્ટિવ હોઈએ છીએ કે આપણને સામે બેઠેલા વ્યક્તિ સાથે વાત કરવાની પણ ઈચ્છા નથી થતી. રિલ લાઈફમાં આપણે એટલા બધા રચ્યા પચ્યા થઈ ગયા છીએ કે રિયલ લાઈફને માણવાનું ભૂલી ગયા છીએ. રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકોના લાઈક લેવા માટે એટલા બધા મશગુલ થઈ ગયા છીએ કે જો આપણને કોઈ રિલ્સ બનાવવાની ના પાડે તો આપણે કોઈ પણ હદને વટાવી શકીએ છીએ. આવો જ એક કિસ્સો બિહારથી સામે આવ્યો છે જેમાં પતિએ પત્નીને રિર્લ્સ બનાવવાની ના પાડી તો પત્નીએ પતિ પર હુમલો કરી દીધો. પતિનું ગળું દબાવી પત્નીએ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. 


 

બિહારથી સામે આવી એક વિચિત્ર ઘટના! 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે બાળકોને મુખ્યત્વે મોબાઈલનો શોખ હોય છે. બાળકને મોબાઈલ મળી જાય તે બાદ તે ભૂલી જાય છે કે તેમની આજુબાજુ શું બની રહ્યું છે. આ એક મોટી અને ગંભીર સમસ્યા છે કારણ કે ન માત્ર બાળકો મોબાઈલના addicted હોય છે પરંતુ મોટા લોકો પર મોબાઈલમાં ઘૂસેલા જોવા મળતા હોય છે. અને હવે તો રિલ્સ બનાવવાનો ક્રેઝ પણ લોકોમાં જાગ્યો છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર રિલ મૂકીને લાઈક મેળવવાની ઈચ્છા કોઈના માટે પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બિહારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 


પરિવાર સાથે મળી પત્નીએ પતિની કરી હત્યા 

બિહારના બેગુસરાયમાં એક પત્નીએ પોતાના પતિની જ હત્યા કરી નાખી કારણ કે તેના પતિએ તેને રિલ બનાવવાની ના પાડી. અનેક વખત રિલ્સ બનાવવા માટે ના પાડતો. અનેક વખત ના પાડવામાં આવતા પત્ની ખીજાઈ અને તેણે પોતાના પિયરીયા સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી તેવો કિસ્સો સામે આવ્યો છે. પતિની બેહરમીથી હત્યા કરી નાખી. ઘટના ખોદાબંદપુરના ફફોત ગામની છે. જે પતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમનું નામ મહેશ્વર કુમાર રાય છે અને તે સમસ્તીપુર જિલ્લાના નરહન ગામનો વતની હતો.



રિલ્સ બનાવાની ના પાડતા પત્નીએ કરી પતિની હત્યા 

મીડિયા રિપોર્ટના અનુસાર મહેશ્વર કુમારના લગ્ન સાત વર્ષ પેહલા રાની કુમારી સાથે થઈ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી તે પોતાના પત્નીને રિલ્સ બનાવતી જોતો હતો. રાનીના રિલ્સ બનાવવાનો વિરોધ તેના પતિ દ્વારા કરવામાં આવ્યો. તેની પત્ની રિલ્સ બનાવતી હતી તે તેને પસંદ ન હતું. અનેક વખત ના પાડવા છતાંય તે રિલ્સ બનાવતી હતી. મળતી માહિતી અનુસાર રવિવાર રાત્રે મહેશ્વર પોતાના સાસરે ગયો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. અનેક વખત મહેશ્વરના ભાઈએ તેને ફોન કર્યો પરંતુ તે ફોન ઉપાડતો ન હતો. ત્યારે તેને આશંકા થઈ. તે બાદ ઘટનાની જાણ પોલીસને થઈ. પોસ્ટ મોર્ટમ અર્થે મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે મહેશ્વરની પત્નીની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.   



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.