Biharથી સામે આવ્યો એક એવો કિસ્સો જેમાં પતિએ Reels બનાવાની ના પાડી તો પત્નીએ કંઈક એવું કર્યું.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 18:36:42

સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર આપણે એટલા એક્ટિવ હોઈએ છીએ કે આપણને સામે બેઠેલા વ્યક્તિ સાથે વાત કરવાની પણ ઈચ્છા નથી થતી. રિલ લાઈફમાં આપણે એટલા બધા રચ્યા પચ્યા થઈ ગયા છીએ કે રિયલ લાઈફને માણવાનું ભૂલી ગયા છીએ. રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકોના લાઈક લેવા માટે એટલા બધા મશગુલ થઈ ગયા છીએ કે જો આપણને કોઈ રિલ્સ બનાવવાની ના પાડે તો આપણે કોઈ પણ હદને વટાવી શકીએ છીએ. આવો જ એક કિસ્સો બિહારથી સામે આવ્યો છે જેમાં પતિએ પત્નીને રિર્લ્સ બનાવવાની ના પાડી તો પત્નીએ પતિ પર હુમલો કરી દીધો. પતિનું ગળું દબાવી પત્નીએ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. 


 

બિહારથી સામે આવી એક વિચિત્ર ઘટના! 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે બાળકોને મુખ્યત્વે મોબાઈલનો શોખ હોય છે. બાળકને મોબાઈલ મળી જાય તે બાદ તે ભૂલી જાય છે કે તેમની આજુબાજુ શું બની રહ્યું છે. આ એક મોટી અને ગંભીર સમસ્યા છે કારણ કે ન માત્ર બાળકો મોબાઈલના addicted હોય છે પરંતુ મોટા લોકો પર મોબાઈલમાં ઘૂસેલા જોવા મળતા હોય છે. અને હવે તો રિલ્સ બનાવવાનો ક્રેઝ પણ લોકોમાં જાગ્યો છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર રિલ મૂકીને લાઈક મેળવવાની ઈચ્છા કોઈના માટે પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બિહારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 


પરિવાર સાથે મળી પત્નીએ પતિની કરી હત્યા 

બિહારના બેગુસરાયમાં એક પત્નીએ પોતાના પતિની જ હત્યા કરી નાખી કારણ કે તેના પતિએ તેને રિલ બનાવવાની ના પાડી. અનેક વખત રિલ્સ બનાવવા માટે ના પાડતો. અનેક વખત ના પાડવામાં આવતા પત્ની ખીજાઈ અને તેણે પોતાના પિયરીયા સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી તેવો કિસ્સો સામે આવ્યો છે. પતિની બેહરમીથી હત્યા કરી નાખી. ઘટના ખોદાબંદપુરના ફફોત ગામની છે. જે પતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમનું નામ મહેશ્વર કુમાર રાય છે અને તે સમસ્તીપુર જિલ્લાના નરહન ગામનો વતની હતો.



રિલ્સ બનાવાની ના પાડતા પત્નીએ કરી પતિની હત્યા 

મીડિયા રિપોર્ટના અનુસાર મહેશ્વર કુમારના લગ્ન સાત વર્ષ પેહલા રાની કુમારી સાથે થઈ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી તે પોતાના પત્નીને રિલ્સ બનાવતી જોતો હતો. રાનીના રિલ્સ બનાવવાનો વિરોધ તેના પતિ દ્વારા કરવામાં આવ્યો. તેની પત્ની રિલ્સ બનાવતી હતી તે તેને પસંદ ન હતું. અનેક વખત ના પાડવા છતાંય તે રિલ્સ બનાવતી હતી. મળતી માહિતી અનુસાર રવિવાર રાત્રે મહેશ્વર પોતાના સાસરે ગયો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. અનેક વખત મહેશ્વરના ભાઈએ તેને ફોન કર્યો પરંતુ તે ફોન ઉપાડતો ન હતો. ત્યારે તેને આશંકા થઈ. તે બાદ ઘટનાની જાણ પોલીસને થઈ. પોસ્ટ મોર્ટમ અર્થે મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે મહેશ્વરની પત્નીની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે