Biharથી સામે આવ્યો એક એવો કિસ્સો જેમાં પતિએ Reels બનાવાની ના પાડી તો પત્નીએ કંઈક એવું કર્યું.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 18:36:42

સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર આપણે એટલા એક્ટિવ હોઈએ છીએ કે આપણને સામે બેઠેલા વ્યક્તિ સાથે વાત કરવાની પણ ઈચ્છા નથી થતી. રિલ લાઈફમાં આપણે એટલા બધા રચ્યા પચ્યા થઈ ગયા છીએ કે રિયલ લાઈફને માણવાનું ભૂલી ગયા છીએ. રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકોના લાઈક લેવા માટે એટલા બધા મશગુલ થઈ ગયા છીએ કે જો આપણને કોઈ રિલ્સ બનાવવાની ના પાડે તો આપણે કોઈ પણ હદને વટાવી શકીએ છીએ. આવો જ એક કિસ્સો બિહારથી સામે આવ્યો છે જેમાં પતિએ પત્નીને રિર્લ્સ બનાવવાની ના પાડી તો પત્નીએ પતિ પર હુમલો કરી દીધો. પતિનું ગળું દબાવી પત્નીએ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. 


 

બિહારથી સામે આવી એક વિચિત્ર ઘટના! 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે બાળકોને મુખ્યત્વે મોબાઈલનો શોખ હોય છે. બાળકને મોબાઈલ મળી જાય તે બાદ તે ભૂલી જાય છે કે તેમની આજુબાજુ શું બની રહ્યું છે. આ એક મોટી અને ગંભીર સમસ્યા છે કારણ કે ન માત્ર બાળકો મોબાઈલના addicted હોય છે પરંતુ મોટા લોકો પર મોબાઈલમાં ઘૂસેલા જોવા મળતા હોય છે. અને હવે તો રિલ્સ બનાવવાનો ક્રેઝ પણ લોકોમાં જાગ્યો છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર રિલ મૂકીને લાઈક મેળવવાની ઈચ્છા કોઈના માટે પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બિહારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 


પરિવાર સાથે મળી પત્નીએ પતિની કરી હત્યા 

બિહારના બેગુસરાયમાં એક પત્નીએ પોતાના પતિની જ હત્યા કરી નાખી કારણ કે તેના પતિએ તેને રિલ બનાવવાની ના પાડી. અનેક વખત રિલ્સ બનાવવા માટે ના પાડતો. અનેક વખત ના પાડવામાં આવતા પત્ની ખીજાઈ અને તેણે પોતાના પિયરીયા સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી તેવો કિસ્સો સામે આવ્યો છે. પતિની બેહરમીથી હત્યા કરી નાખી. ઘટના ખોદાબંદપુરના ફફોત ગામની છે. જે પતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમનું નામ મહેશ્વર કુમાર રાય છે અને તે સમસ્તીપુર જિલ્લાના નરહન ગામનો વતની હતો.



રિલ્સ બનાવાની ના પાડતા પત્નીએ કરી પતિની હત્યા 

મીડિયા રિપોર્ટના અનુસાર મહેશ્વર કુમારના લગ્ન સાત વર્ષ પેહલા રાની કુમારી સાથે થઈ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી તે પોતાના પત્નીને રિલ્સ બનાવતી જોતો હતો. રાનીના રિલ્સ બનાવવાનો વિરોધ તેના પતિ દ્વારા કરવામાં આવ્યો. તેની પત્ની રિલ્સ બનાવતી હતી તે તેને પસંદ ન હતું. અનેક વખત ના પાડવા છતાંય તે રિલ્સ બનાવતી હતી. મળતી માહિતી અનુસાર રવિવાર રાત્રે મહેશ્વર પોતાના સાસરે ગયો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. અનેક વખત મહેશ્વરના ભાઈએ તેને ફોન કર્યો પરંતુ તે ફોન ઉપાડતો ન હતો. ત્યારે તેને આશંકા થઈ. તે બાદ ઘટનાની જાણ પોલીસને થઈ. પોસ્ટ મોર્ટમ અર્થે મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે મહેશ્વરની પત્નીની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.