સિંગાપોરથી કિસ્સો સામે આવ્યો જેમાં કેસિનોમાં 33 કરોડ જીત્યા પછી માણસને હાર્ટ એટેક.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-27 18:20:03

આપણે જ્યાં વધારે ખુશ હોઈએ છીએ ત્યારે કાંતો આંખોમાંથી પાણી નીકળતા હોય છે.. જેને આપણે ખુશીના આંસુ કહેતા હોઈએ છીએ.. કાં તો આનંદના સમાચાર સાંભળી ઉછળી પડીએ છીએ.. પરંતુ આજે એક એવો કિસ્સો તમને જણાવો છે કે જેમાં એક વ્યક્તિને એટલી બધી ખુશી મળી કે તેને તેનો આઘાત લાગી જાય..! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, એવા સમાચારની ચર્ચા થઈ રહી છે જે સિંગાપુરનો છે તેવું કહેવાઈ રહ્યું છે. 




જેકપોટ લાગવાની ખુશી એટલી બધી હતી કે... 

સિંગાપુરના એક જુગારખાનામાં એક વ્યક્તિએ 33 કરોડ જેટલા રૂપિયા જીત્યા.. પૈસા જીતવાની ખુશી તે માણસ સહન ના કરી શક્યો અને તે વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો! જે સમાચારની વાત કરીએ છીએ તે ઘટના 22 જૂનનો હોવાની વાત સામે આવી છે. 22 જૂનની રોજ સિંગાપુરના મરિના બે સેંડસ કેસિનોમાં બની હતી તેવી માહિતી સામે આવી છે. માહિતી પ્રમાણે જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો તે કેસિનોનો રેગ્યુલર વિઝીટર હતો. તે વ્યક્તિને જેકપોટ લાગ્યો.. જેકપોટમાં અંદાજીત 33 કરોડની રકમ જીતી. આ જીત થતા તેણે કુદકા મારવાનું શરૂ કર્યું અને તે અચાનક જમીન પર પડી ગયો. 



સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોસ્પિટલ!

જમીન પર પડી જતા આસપાસના લોકો ત્યાં ભેગા થયા તેની મદદ માટે.. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.. તેવા સમાચાર પણ સામે આવ્યા છે કે તે વ્યક્તિની તબિયત સુધારા પર છે.. હાર્ટ એટેકની અસરમાંથી તે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. અનેક મીડિયા રિપોર્ટ પ્રમાણે તે વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે બીજા અનેક મીડિયા રિપોર્ટ પ્રમાણે તે સારવાર હેઠળ છે.. મહત્વનું છે કે આને લઈ કેસિનો તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .