સિંગાપોરથી કિસ્સો સામે આવ્યો જેમાં કેસિનોમાં 33 કરોડ જીત્યા પછી માણસને હાર્ટ એટેક.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-27 18:20:03

આપણે જ્યાં વધારે ખુશ હોઈએ છીએ ત્યારે કાંતો આંખોમાંથી પાણી નીકળતા હોય છે.. જેને આપણે ખુશીના આંસુ કહેતા હોઈએ છીએ.. કાં તો આનંદના સમાચાર સાંભળી ઉછળી પડીએ છીએ.. પરંતુ આજે એક એવો કિસ્સો તમને જણાવો છે કે જેમાં એક વ્યક્તિને એટલી બધી ખુશી મળી કે તેને તેનો આઘાત લાગી જાય..! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, એવા સમાચારની ચર્ચા થઈ રહી છે જે સિંગાપુરનો છે તેવું કહેવાઈ રહ્યું છે. 




જેકપોટ લાગવાની ખુશી એટલી બધી હતી કે... 

સિંગાપુરના એક જુગારખાનામાં એક વ્યક્તિએ 33 કરોડ જેટલા રૂપિયા જીત્યા.. પૈસા જીતવાની ખુશી તે માણસ સહન ના કરી શક્યો અને તે વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો! જે સમાચારની વાત કરીએ છીએ તે ઘટના 22 જૂનનો હોવાની વાત સામે આવી છે. 22 જૂનની રોજ સિંગાપુરના મરિના બે સેંડસ કેસિનોમાં બની હતી તેવી માહિતી સામે આવી છે. માહિતી પ્રમાણે જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો તે કેસિનોનો રેગ્યુલર વિઝીટર હતો. તે વ્યક્તિને જેકપોટ લાગ્યો.. જેકપોટમાં અંદાજીત 33 કરોડની રકમ જીતી. આ જીત થતા તેણે કુદકા મારવાનું શરૂ કર્યું અને તે અચાનક જમીન પર પડી ગયો. 



સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોસ્પિટલ!

જમીન પર પડી જતા આસપાસના લોકો ત્યાં ભેગા થયા તેની મદદ માટે.. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.. તેવા સમાચાર પણ સામે આવ્યા છે કે તે વ્યક્તિની તબિયત સુધારા પર છે.. હાર્ટ એટેકની અસરમાંથી તે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. અનેક મીડિયા રિપોર્ટ પ્રમાણે તે વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે બીજા અનેક મીડિયા રિપોર્ટ પ્રમાણે તે સારવાર હેઠળ છે.. મહત્વનું છે કે આને લઈ કેસિનો તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.